રેગિંગથી વિદ્યાર્થીનું મૃત્યુ : IITના ડાયરેક્ટર આવ્યા લપેટમાં, જાણો કોર્ટે શું કહ્યું

|

Jan 21, 2023 | 9:00 AM

IIT Kharagpur Ragging Case : IIT ખડગપુરમાં રેગિંગનું કારણ એક વિદ્યાર્થીની મૌત કેસમાં Calcutta High Court આઈઆઈટી ડાયરેક્ટરને ફટકો માર્યો છે. તપાસ અને રૈંગિંગ રોકવાના નિયમોને લઈને પણ નિર્દેશ આપ્યા છે.

રેગિંગથી વિદ્યાર્થીનું મૃત્યુ : IITના ડાયરેક્ટર આવ્યા લપેટમાં, જાણો કોર્ટે શું કહ્યું
IIT Kharagpur Ragging Case (Symbolic Image)

Follow us on

Ragging in IIT-Kharagpur : ગયા વર્ષે IIT ખડગપુરની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની સડેલી લાશ મળવાના મામલામાં આજે 20 જાન્યુઆરીએ કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ નવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન કલકત્તા હાઈકોર્ટે IIT ખડગપુરના ડાયરેક્ટરને ફટકાર લગાવી હતી. કોર્ટે IIT ખડગપુરના ડાયરેક્ટરને કહ્યું, ‘તમને ખબર હોવી જોઈતી હતી કે વધુ સારી ક્ષમતાવાળા બાળકો અહીં આવે છે. વિવિધ સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિના બાળકો IITમાં અભ્યાસ કરવા આવે છે. તેઓ અન્ય પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ સાથે સરળતાથી ભળતા નથી.

આ પણ વાંચો : Ragging news : જુનિયર વિદ્યાર્થીઓને ‘દત્તક’ લેશે સિનિયરો ! UPમાં રેગિંગ રોકવા માટે અનોખી પહેલ

રેગિંગની ફરિયાદ પર કાર્યવાહી ન કરવા બદલ કોર્ટે ગયા વર્ષે 1 ડિસેમ્બરે ડિરેક્ટરને ઠપકો પણ આપ્યો હતો. કારણ કે ફરિયાદના થોડાં દિવસો બાદ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. કોર્ટે આજે પોલીસને એમ પણ કહ્યું હતું કે, ‘અમે આ મામલે કોઈ ઢીલાશ જોઈ શકતા નથી’. આ કોર્ટની નમ્ર વિનંતી છે. મહેરબાની કરીને કોઈનો પક્ષ લેશો નહીં.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

રેગિંગ પર કોલકાતા હાઈકોર્ટે શું કહ્યું?

કોર્ટે કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રેગિંગ અંગેની માર્ગદર્શિકા સાચી હોય તો એક ઉચ્ચ સત્તા સમિતિની રચના કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે, એવી અપેક્ષા છે કે IIT ખડગપુર દ્વારા માત્ર આ ઘટનામાં જ નહીં પરંતુ ભવિષ્યમાં ઉપરોક્ત ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે પણ કડક અને નિવારક પગલાં લેવામાં આવશે.

હાઈકોર્ટે કહ્યું કે, 6 ફેબ્રુઆરીએ તપાસની સ્થિતિ પર વિચાર કરવામાં આવશે. IITની ભૂમિકા અને તેના પરના નિર્દેશો પર 13 ફેબ્રુઆરીએ વિચારણા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, IIT KGP મિકેનિકલ એન્જિનિયરિંગ ત્રીજા વર્ષના વિદ્યાર્થી ફૈઝાન અહેમદના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણીમાં કોલકત્તા હાઈકોર્ટે ડિરેક્ટરને હાજર થવાનો આદેશ આપ્યો હતો. મૃતક વિદ્યાર્થીના માતા-પિતાનો આરોપ છે કે સંસ્થાના કેમ્પસમાં તેમના પુત્રનું મૃત્યુએ હત્યાનો સ્પષ્ટ મામલો છે. અધિકારીઓને ફરિયાદ કર્યા પછી પણ તે રેગિંગનો શિકાર બન્યો હતો.

આ સમગ્ર મામલો છે

ગયા વર્ષે 14 ઓક્ટોબરે ફૈઝાન અહેમદનો સડતો મૃતદેહ હોસ્ટેલના રૂમમાંથી મળી આવ્યો હતો. કોર્ટે IIT ડાયરેક્ટર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો અને તેને જોયા બાદ કોર્ટે કહ્યું કે, ડિરેક્ટરનો રિપોર્ટ સંપૂર્ણપણે ભ્રામક છે.

Next Article