AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DAP, NPK, Neem અને Urea ખાતરનો ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ ઉપયોગ ? જાણો તમામ વિગત

પાકમાં વધુ કે ઓછું ખાતર ઉમેરવાથી પાકને નુકસાન થાય છે અને ખેડૂતોને પણ નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ડીએપી(DAP), એનપીકે (NPK) અને યુરિયા (Urea)જેવા ખાતરનો પાકમાં ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

DAP, NPK, Neem અને Urea ખાતરનો ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ ઉપયોગ ? જાણો તમામ વિગત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 12:49 PM
Share

આપણા શરીરને જેમ બધા પોષક તત્વોની જરૂર પડે છે તેવી જ રીતે એક છોડને પણ તમામ પોષક તત્વોની જરૂર રહેતી હોય છે, ત્યારે ખાતરના ઉપયોગ (Use of Fertilizer) અંગે યોગ્ય માહિતીના અભાવે ઘણા ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાતર એ બાળકોની રમત નથી, કારણ કે પાકમાં વધુ કે ઓછું ખાતર ઉમેરવાથી પાકને નુકસાન થાય છે અને ખેડૂતોને પણ નુકસાન થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ડીએપી (DAP), એનપીકે (NPK) અને યુરિયા (Urea) જેવા ખાતરનો પાકમાં ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ડીએપી, એનપીકે, નીમ અને યુરિયા ખાતરનો ઉપયોગ

ડાય-એમોનિયમ ફોસ્ફેટ ખાતર (DAP)

  1. 2020-21માં 119.19 લાખ ટનના વેચાણ સાથે DAP ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ વપરાતું ખાતર છે.
  2. આ ખાતરો વાવણી કરતા પહેલા અથવા તે સમયે નાખવામાં આવે છે, કારણ કે તેમાં ફોસ્ફરસ વધુ હોય છે, જે મૂળની સ્થાપના અને વિકાસને નિર્ધારિત કરે છે.
  3. જો તમે તેનો ઉપયોગ ન કરો તો છોડ તેના સામાન્ય કદમાં વૃદ્ધિ પામશે નહીં કારણ કે તે કુદરતી રીતે વધવા માટે ઘણો સમય લે છે.
  4. DAPમાં 46% ફોસ્ફરસ (P) અને 18% નાઈટ્રોજન (N) હોય છે.
  5. તાજેતરમાં સરકારે DAP પર સબસિડીમાં 137 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
  6. ડીએપી પર આપવામાં આવતી સબસિડી પોષક તત્ત્વો આધારિત સબસિડી છે, જેના દર પોષક તત્વોમાં બદલાય છે.

DAPનો ઉપયોગ કેવી રીતે કરવો

  1. તમે હેક્ટર દીઠ છોડની સંખ્યા બરાબર ડીએપીનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે 1 હેક્ટર માટે 100 કિલો DAPનો ઉપયોગ કરી શકાય છે.

NPK

  1. ઘણા વૈજ્ઞાનિકો દાવો કરે છે કે NPK ખાતર DAP કરતાં વધુ સારું છે કારણ કે તે જમીનને એસિડિફાઈ કરતું નથી.
  2. પાકના સંતુલિત વિકાસ માટે છ મેક્રો પોષક તત્વોની જરૂર છે જેમાં નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટેશિયમ (K), કેલ્શિયમ (A), મેગ્નેશિયમ (Mg), સલ્ફર (S)નો સમાવેશ થાય છે.
  3. તે જ સમયે, નાઇટ્રોજન ખાતરોમાં એમોનિયમ નાઈટ્રેટ અને એમોનિયમ સલ્ફેટનો સમાવેશ થાય છે.
  4. પોટાસિક ખાતરોમાં પોટેશિયમ નાઈટ્રેટ અને ચિલી સલ્ફેટનો સમાવેશ થાય છે.
  5. ફોસ્ફેટિક ખાતરોમાં સુપર ફોસ્ફેટ, ટ્રિપલ ફોસ્ફેટનો સમાવેશ થાય છે.
  6. 4:2:1 નો NPK ગુણોત્તર જમીનના સ્વાસ્થ્યને સુધારે છે અને પાકની ઉપજમાં વધારો કરે છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

NPKનો ઉપયોગ કેવી રીતે કરવો

1 ટન અનાજ ઉત્પન્ન કરવા માટે છોડને હેક્ટર દીઠ 15થી 20 કિલો નાઈટ્રોજન (Use of NPK Per Hectare) લેવાની જરૂર છે. આનો અર્થ એ થયો કે એક ટન અનાજનું ઉત્પાદન કરવા માટે, બમણું ખાતર અથવા 30-40 કિગ્રા N પ્રતિ હેક્ટરની જરૂર પડે છે.

યુરિયા ખાતર

  1. યુરિયા ખાતર (Urea Fertilizer)નું મુખ્ય કાર્ય પાકના વિકાસને પ્રોત્સાહન આપવા સાથે નાઈટ્રોજન પૂરું પાડવાનું છે. આ છોડને તાજા થવામાં અને ઝડપથી મદદ કરે છે.
  2. યુરિયાનો કૃષિ ક્ષેત્રમાં ખાતર તરીકે વ્યાપકપણે ઉપયોગ થાય છે.
  3. નાઈટ્રોજનનું પ્રમાણ અને ઓછો ઉત્પાદન ખર્ચ એ યુરિયા ખાતરની લાક્ષણિકતાઓ છે.
  4. યુરિયા એ તમામ પ્રકારના પાક અને જમીન માટે શ્રેષ્ઠ ખાતરોમાંનું એક છે.

યુરિયા ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો

યુરિયાનો ઉપયોગ કરવાનો એક ફોર્મ્યુલા છે. જો તમારે તમારા ખેતર પ્રમાણે યુરિયાનો ઉપયોગ કરવો હોય તો તમે તેને અપનાવી શકો છો (કિગ્રા/હેક્ટરમાં ખાતરની માત્રા = કિગ્રા/હેક્ટર પોષક તત્વ % ખાતરમાં %પોષક તત્વ x100). ત્યારે એક અંદાજ મુજબ, એકર દીઠ 200 પાઉન્ડ યુરિયાનો ઉપયોગ થાય છે.

નીમ કોટેડ ખાતર

  1. નીમ કોટેડ યુરિયા: નાઈટ્રિફિકેશન અને અવરોધક ગુણધર્મો માટે યુરિયાને લીમડાના તેલ સાથે યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે.
  2. લીમડાની પેસ્ટ દ્વારા યુરિયામાંથી નાઈટ્રોજન દૂર કરવાની પ્રક્રિયા શોધી કાઢવામાં આવે છે અને નાઈટ્રોજનના ઉપયોગની કાર્યક્ષમતા વધે છે.
  3. નીમ કોટ યુરિયા ડાંગર, શેરડી, મકાઈ, સોયાબીન, તુવેર/લાલ ચણાની ઉપજમાં વધારો કરે છે. યુરિયામાં 46% અને 60%ની ઉચ્ચ N અને K સામગ્રી છે, જે જમીનની તંદુરસ્તી અને પાકના વિકાસને સુધારવામાં મદદ કરે છે.

અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે ઉપરોક્ત માહિતી રાસાયણિક ખાતરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના સંદર્ભમાં છે. નહીં કે તેને પ્રોત્સાહન આપવાનો. કારણ કે આપણે જોઈએ છીએ કે જૈવિક ખેતી તમામ રીતે ઉપયોગી છે, ત્યારે રાસાયણિક ખાતર અને દેશી ખાતરોના સમતોલ ઉપયોગથી સારૂ ઉત્પાદન તેમજ જમીનની ફળદ્રુપતા પણ જાળવી શકાય છે.

આ પણ વાંચો: Agricultural Exports: ભારતની કૃષિ નિકાસમાં 23 ટકાનો વધારો, ભારતીય ઘઉંની માગમાં જોરદાર ઉછાળો

આ પણ વાંચો: Eucalyptus Farming: ખેડૂતો નીલગિરીની ખેતીથી મેળવી શકે છે સારી કમાણી, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">