Sandalwood cultivation: ચંદનની ખેતી છે નફાકારક, પરંતુ ખેડૂતોએ આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન

ચંદનની દેશ-વિદેશમાં ખુબ માંગ છે. ચંદનના લાકડાની ગણના વિશ્વના સૌથી મોંઘા લાકડામાં થાય છે. ત્યારે 10-15 વર્ષ પછી ચંદનના છોડમાંથી બમ્પર કમાણી શરૂ થાય છે.

Sandalwood cultivation: ચંદનની ખેતી છે નફાકારક, પરંતુ ખેડૂતોએ આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન
Sandalwood Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 1:38 PM

હાલ ખેતીમાં નવી નવી ટેક્નોલોજી આવી રહી છે જેનાથી ખેડૂતો(Farmers)ની ઘણી મહેનત બચી જાય છે તેવી જ રીતે પરંપરાગત ખેતીની સાથે ખેડૂતો નવા પાકો અજમાવી બમણી કમાણી કરી શકે છે. ત્યારે ચંદનની ખેતી વિશે તમે સાંભળ્યું હશે અને જોઈ પણ હશે જેમાં ઘણા ખેડૂતોને ચંદનની ખેતી કરવી હોય છે પરંતુ માહિતીના અભાવે તેઓ આ ખેતી કરી શકતા નથી.

ચંદન (sandalwood cultivation) એવું લાકડું છે, જેની દેશ-વિદેશમાં ખુબ માંગ છે. ચંદનની ખેતીમાં તમે જે ખર્ચ કરશો તેના કરતાં કમાણી કરવાની તકો અનેક ગણી સારી હશે. આજે અમે તમને ચંદનની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. ચંદનના લાકડાની ગણના વિશ્વના સૌથી મોંઘા લાકડામાં થાય છે. ત્યારે 10-15 વર્ષ પછી ચંદનના છોડમાંથી બમ્પર કમાણી શરૂ થશે.

ચંદનની ખેતી કેવી રીતે કરવી

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ચંદન(Sandalwood)નાં વૃક્ષો બે રીતે તૈયાર કરી શકાય છે. પ્રથમ ઓર્ગેનિક ખેતી(organic farming) છે અને બીજી પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવે છે. ચંદનનાં વૃક્ષોને ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં લગભગ 10 થી 15 વર્ષનો સમય લાગે છે, જ્યારે પરંપરાગત રીતે એક વૃક્ષને ઉગાડવામાં લગભગ 20 થી 25 વર્ષનો સમય લાગે છે.

તેને પ્રથમ 8 વર્ષ સુધી કોઈ બાહ્ય સુરક્ષાની જરૂર નથી. તે પછી તેમાંથી સુગંધ આવવા લાગે છે. આથી આવી સ્થિતિમાં છૂપી રીતે કપાઈ જવાનો ભય રહે છે. એટલા માટે તમારે વૃક્ષને પ્રાણીઓ અને અન્ય લોકોથી દૂર રાખવું પડશે જ્યાં સુધી તે સંપૂર્ણપણે તૈયાર ન થાય. તેના વૃક્ષો રેતાળ અને બરફીલા વિસ્તારો સિવાય દરેક જગ્યાએ ઉગાડી શકાય છે.

5 લાખની કમાણી કરનાર વૃક્ષ

ચંદન(Sandalwood)નો ઉપયોગ ઘણી બધી વસ્તુઓમાં થાય છે. તેનો મોટાભાગનો ઉપયોગ અત્તર બનાવવામાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં પણ થાય છે. ચંદનનો ઉપયોગ આયુર્વેદિક દવા બનાવવા માટે પણ થાય છે.

ખેડૂત ચંદનની ખેતીમાંથી વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. બીજી તરફ, જો ખેડૂત 100 વૃક્ષો વાવવામાં સફળ થાય છે અને જ્યારે તેને વેચવામાં આવે છે ત્યારે તેમાથી ખેડૂતને 5 કરોડ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.

છોડની કિંમત

ચંદનનો છોડ કોઈપણ સારી નર્સરીમાં 100 થી 150 રૂપિયામાં મળી જશે. ચંદનનો છોડ પરોપજીવી છે, એટલે કે તે જમીનમાં જ ટકી શકતો નથી. તેને ટકી રહેવા માટે કોઈના સમર્થનની જરૂર છે.એટલે કે તેની સાથે યજમાન છોડની જરૂર છે. એટલે કે સાથી છોડ વાવવો જરૂરી હોય છે. આ સાથી છોડ 50-60 રૂપિયામાં આવે છે.

જ્યારે ચંદનનું વૃક્ષ મોટું થાય છે, ત્યારે ખેડૂત દર વર્ષે તેમાંથી 15-20 કિલો લાકડું સરળતાથી મેળવી શકે છે. બજારમાં આ લાકડું 30 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકાય છે. આવી સ્થિતિમાં ખેડૂત એક વૃક્ષ વાવીને દર વર્ષે લગભગ 5 લાખ રૂપિયા કમાઈ શકે છે.

સરકારના આ કાયદાનું ધ્યાન રાખો

જો તમે પણ ચંદનની ખેતી કરવાનું મન બનાવી રહ્યા છો, તો એક બીજી વાત જાણી લો. વર્ષ 2017માં સરકારે કાયદો બનાવીને ચંદનના વેચાણ અને ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલે કે, તમે ચંદનના વૃક્ષો વાવી શકો છો,

પરંતુ તમે તેનું લાકડું સરકારને જ વેચી શકો છો. આમ કર્યા પછી પણ દર વર્ષે લાખોથી લઈને કરોડો રૂપિયા સુધીનો નફો થાય છે. તે જ સમયે, અન્ય કોઈ પાસેથી ચંદન ખરીદવા અથવા વેચવા પર પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો: આ ખેડૂતે એક છોડ પર ઉગાડી છ ફ્લાવર કોબી, દુર દુરથી લોકો આવ્યા જોવા, સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ

આ પણ વાંચો: DAPની અછત વચ્ચે વૈકલ્પિક ખાતરના વેચાણમાં મોટો ઉછાળો, વાવેતરમાં ખેડૂતો મોટાપાયે કરી રહ્યા છે ઉપયોગ

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">