AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ શા માટે અપનાવવો જોઈએ ? કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર આપી જાણકારી

કૃષિ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને (Natural Farming) પ્રોત્સાહન આપવા માટે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ દિશામાં કૃષિ મંત્રાલય મિશન મોડમાં કામ કરવા જઈ રહ્યું છે.

પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ શા માટે અપનાવવો જોઈએ ? કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર આપી જાણકારી
Narendra Singh Tomar - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 5:20 PM
Share

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે જ્યારે પણ દેશ સામે કોઈ પડકાર આવ્યો છે ત્યારે કૃષિ અને ખેડૂતો(Farmers) સાથ આપ્યો છે. તેથી જ ખેતી પર ધ્યાન આપવું જરૂરી છે. આજે સમયની માગ એ ખેતી છે જે કુદરત સાથે સંતુલન સાધે છે. એક સમય એવો હતો જ્યારે ભારતમાં અનાજની અછત હતી. પછી આપણે આપણી જાતને બદલી નાખી. રસાયણો દ્વારા કૃષિમાં આગળ વધ્યા. પરંતુ આજે સમયની જરૂરિયાત કંઈક બીજી જ છે. આ વર્ષે લગભગ 4 લાખ કરોડ રૂપિયાની કૃષિ પેદાશોની નિકાસ કરી છે. હવે આપણી પાસે અનાજનો સરપ્લસ છે, તેથી આપણે પ્રાકૃતિક ખેતીનો (Natural Farming) વિકલ્પ અપનાવવાની સ્થિતિમાં છીએ. આથી સમયની સાથે સાથે ખેતીમાં પણ પરિવર્તનો આવવાના છે.

તોમર સોમવારે વિજ્ઞાન ભવન ખાતે નીતિ આયોગ દ્વારા આયોજિત ઈનોવેટિવ એગ્રીકલ્ચર પર એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે દરેક રાજ્યમાં કેટલીક એવી જમીન હોય છે જેમાં કેમિકલનો ઉપયોગ નહિવત હોય છે. જો આવી જમીન રાજ્ય સરકારો દ્વારા પ્રમાણિત અને મોકલવામાં આવશે, તો અમે તેને ઓર્ગેનિક વિસ્તાર તરીકે જાહેર કરીશું. ઓર્ગેનિક વાવેતર વિસ્તાર વધારવા માટે, અમે મોટા વિસ્તારનું પ્રમાણપત્ર લાગુ કર્યું છે.

આપણે કૃષિ ક્ષેત્રમાં આવી નવીનતા લાવવી પડશે જેથી કરીને યુવાનોમાં કૃષિ પ્રત્યે અરુચિ ન રહે. આ પ્રસંગે નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર (કૃષિ) ડો. નીલમ પટેલ, નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત અને સભ્ય પ્રો. રમેશ ચંદ અને ઉપપ્રમુખ રાજીવ કુમાર પણ હાજર હતા.

પ્રકૃતિ સાથે સુમેળમાં વૃદ્ધિ થશે

કૃષિ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ દિશામાં કૃષિ મંત્રાલય મિશન મોડમાં કામ કરવા જઈ રહ્યું છે. કૃષિ સંબંધિત અભ્યાસક્રમોમાં કુદરતી ખેતી વિષયનો સમાવેશ કરવા માટે રચાયેલી સમિતિએ કામ શરૂ કરી દીધું છે. પ્રાકૃતિક ખેતી દ્વારા કુદરત સાથે આપણો તાલમેલ વધશે, જેના કારણે ગામડાઓમાં જ રોજગારી વધશે. આ આપણી દેશી પ્રાચીન પદ્ધતિ છે, જેમાં ખેતીનો ખર્ચ ઓછો થાય છે.

પ્રાકૃતિક ખેતી વિસ્તાર ચાર લાખ હેક્ટર

પ્રાકૃતિક ખેતી રસાયણ મુક્ત અને પશુધન આધારિત છે, જે ખર્ચમાં ઘટાડો કરશે તેમજ ખેડૂતોની આવક અને સ્થિર ઉપજમાં વધારો કરશે. તે પર્યાવરણ અને જમીનના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, જે હવે લગભગ ચાર લાખ હેક્ટર વિસ્તાર સુધી પહોંચી ગયો છે. કુદરતી ખેતી દ્વારા જમીનનું સ્વાસ્થ્ય સારું રહેશે. કોરોનાને કારણે લોકોની ખાણીપીણીની આદતોમાં પરિવર્તન આવી રહ્યું છે અને ઓર્ગેનિક ઉત્પાદનોની માગ વધી રહી છે.

આ પણ વાંચો : PM Kisan eKYC: ખેડૂતો માટે રાહતના સમાચાર, ફરીથી ઘરે બેઠા મોબાઈલથી કરી શકાશે eKYC

આ પણ વાંચો : Gladiolus Flower: વિદેશોમાં પણ આ ફૂલની છે ભારે માગ, ઓછા ખર્ચમાં આ રીતે કરો સારી કમાણી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
g clip-path="url(#clip0_868_265)">