કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઇફકો નેનો યુરિયા ટેકનોલોજી મોટી ક્રાંતિ: સહકાર મંત્રી અમિત શાહ

સામાન્ય યુરિયાનો ઉપયોગ ઓછામાં ઓછો 50 ટકા ઘટાડવાના ઉદ્દેશથી તેની રચના કરવામાં આવી છે. તેની 500 મિલીની બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે, જે સામાન્ય યુરિયાની થેલી જેટલું નાઇટ્રોજન પોષક તત્વો પૂરું પાડે છે.

કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઇફકો નેનો યુરિયા ટેકનોલોજી મોટી ક્રાંતિ: સહકાર મંત્રી અમિત શાહ
Amit Shah - Minister of Home Affairs and Co-operation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 12:27 PM

દેશની પ્રથમ રાષ્ટ્રીય સહકારી પરિષદમાં ઇફકો નેનો યુરિયાની (Nano Urea Liquid) પ્રશંસા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે (Amit Shah) વિશ્વની નંબર વન ખાતર કો-ઓપરેટિવની (Fertilizer Co-Operative) આ શોધની પ્રશંસા કરી.

તેમણે તેને કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ ગણાવી. આ સાથે હરિત ક્રાંતિને સફળ બનાવવામાં ઇફકોની ભૂમિકાને મહત્વની ગણાવી હતી. શાહે કહ્યું કે ઇફકો જેવી મોટી કંપની ખેડૂતોને તેના ચોખ્ખા નફામાં ભાગીદાર બનાવે છે, જે સહકારીના મુખ્ય મંત્ર પર આધારિત છે.

વર્ષ 1967 માં 57 સહકારી સાથે ઇફકો એક સોસાયટી બની હતી અને આજે 36,000 થી વધુ સહકારી સભ્યો બનાવીને લગભગ 5.5 કરોડ ખેડૂતોને તેનો લાભ લઈ રહ્યા છે. શાહે કહ્યું કે સામાન્ય રીતે જ્યારે કોઈ મોટી કંપની નફો કરે છે ત્યારે તેનો મોટો હિસ્સો તેના માલિકને જાય છે, પરંતુ સહકારીતામાં આવું થતું નથી. ઈફકો જે પણ કમાશે તેની આવક 5.5 કરોડ ખેડૂતોને મળશે અને તેને જ સહકારીતા કહેવાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નેનો યુરિયા ક્યારે શરૂ થયું

ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (ઇફકો) એ આ વર્ષે 31 મી મેના રોજ ખેડૂતો માટે વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ લોન્ચ કર્યું હતું. સામાન્ય યુરિયાનો ઉપયોગ ઓછામાં ઓછો 50 ટકા ઘટાડવાના ઉદ્દેશથી તેની રચના કરવામાં આવી છે. તેની 500 મિલીની બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે, જે સામાન્ય યુરિયાની થેલી જેટલું નાઇટ્રોજન પોષક તત્વો પૂરું પાડે છે. દેશમાં 94 થી વધુ પાક પર આશરે 11,000 કૃષિ ક્ષેત્ર પરિક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાં પાકની ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ખેડૂતોને થશે નાણાંની બચત

નેનો યુરિયા લિક્વિડ નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, કલોલમાં સ્વદેશી ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. હવે તે બજારમાં ઉપલબ્ધ છે. ઇફકોએ ખેડૂતો માટે 500 મિલી નેનો યુરિયાની બોટલની કિંમત 240 રૂપિયા નક્કી કરી છે. જે સામાન્ય યુરિયાની બેગની કિંમત કરતા 10 ટકા ઓછી છે. હવે ખેડૂતોને તેના ઉપયોગ વિશે દરેક જગ્યાઓ પર માહિતી આપવામાં આવી રહી છે.

રોગ અને જીવાતોનું જોખમ ઘટાડશે

છોડ નેનો યુરિયામાંથી સંતુલિત માત્રામાં પોષક તત્વો મેળવે છે. જમીનમાં યુરિયાનો વધુ પડતો ઉપયોગ ઘટે છે. જ્યારે સામાન્ય યુરિયાનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે, જમીનના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. છોડ રોગ અને જીવાતો માટે વધુ સંવેદનશીલ હોય છે. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે નેનો યુરિયા લિક્વિડના ઉપયોગથી આવું નહીં થાય. નેનો યુરિયાના નાના કદને કારણે ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, આ રેપર ફળોને ઝડપથી બગડતા અટકાવશે અને ફળોની સેલ્ફ લાઈફ વધશે

આ પણ વાંચો : ખેડૂતો માટે કામની વાત, પુસાના કૃષિ વૈજ્ઞાનિકોએ જુદા-જુદા પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ માટે એડવાઈઝરી જાહેર કરી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">