ખેડૂતો માટે સારા સમાચાર, આ રેપર ફળોને ઝડપથી બગડતા અટકાવશે અને ફળોની સેલ્ફ લાઈફ વધશે

ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેક્નોલોજી (INST) ના સંશોધકોએ કાર્બનથી બનેલું રેપર (કાગળ) વિકસાવ્યું છે જે ફળોને બગાડથી બચાવશે. સંશોધકોનું કહેવું છે કે ફળોની સેલ્ફ લાઈફ વધારવા માટે તેનો ઉપયોગ રેપર તરીકે થઈ શકે છે.

ખેડૂતો માટે સારા સમાચાર, આ રેપર ફળોને ઝડપથી બગડતા અટકાવશે અને ફળોની સેલ્ફ લાઈફ વધશે
Fruits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 12:02 PM

સંશોધકોએ એવી ટેકનોલોજી (Technology) વિકસાવી છે કે જેના દ્વારા ફળોને (Fruits) વહેલા બગાડથી બચાવી શકાય. આ એક કાગળ છે જે પ્રિઝર્વેટિવ્સથી સજ્જ છે. તે એક પ્રકારનું રેપર છે અને તેની ખાસ વાત એ છે કે તેનો ફરીથી ઉપયોગ પણ કરી શકાય છે. પ્રારંભિક પ્રયોગમાં પરિણામો સારા આવ્યા છે. આ સ્થિતિમાં ખેડૂતોની (Farmers) મોટી સમસ્યા આવનારા સમયમાં હલ થઈ શકે છે.

મોહાલીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી (INST) ના સંશોધકોએ કાર્બનથી બનેલું સંયુક્ત કાગળ વિકસાવ્યું છે જે ફળોને બગાડથી બચાવશે. સંશોધકોનું કહેવું છે કે ફળોની સેલ્ફ લાઈફ વધારવા માટે તેનો ઉપયોગ રેપર તરીકે થઈ શકે છે.

ખેડૂતોને ફાયદો થશે

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ નવી શોધ અંગે સંશોધકોએ કહ્યું છે કે આ નવી પ્રોડક્ટ ફળોના સેલ્ફ લાઈફમાં વધારો કરશે એટલું જ નહીં, તેનાથી ખેડૂતો અને વેપારીઓને ઘણો ફાયદો થશે. આ રેપર કાર્બન (ગ્રાફીન ઓક્સાઈડ) ના સંયુક્ત મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે સંકળાયેલી સ્વાયત્ત સંસ્થા નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી (INST) ના સંશોધકો ડો. વિજય કુમારના નેતૃત્વમાં આ અભ્યાસ કરવામાં આવ્યો છે.

સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક

હાલમાં ફળોના બગાડને રોકવા માટે મીણ અથવા ખાદ્ય પોલિમરનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ છતાં તેમાંથી લગભગ 50 ટકા ફળો બગડી જાય છે. કેટલીકવાર તેમાં રાસાયણિક કોટિંગ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. પરંતુ આ રેપર સ્વાસ્થ્ય માટે પણ સારું છે. સંશોધકો દાવો કરે છે કે ફળો માટે આ રેપરનો ઉપયોગ કરવાથી ફળોની ગુણવત્તાને અસર નહીં થાય.

તાજા ફળથી થતા લાભ

તે એન્ટી ઑક્સીડેન્ટ ગુણધર્મો ધરાવે છે જે શરીરને ફ્રી રેડિકલ ડેમેજને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને કેન્સર નિવારણમાં મદદ કરે છે. ફળોમાં ભરપૂર પાણી રહેલું છે જેનાથી શરીરમાં મોઇશ્ચર જળવાઈ રહે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સનું બેલેન્સ પાછું મળે છે. આ જ કારણસર સ્પોર્ટ્સના ખેલાડીઓ ઘણાં બધાં ફળ ખાય છે. કેલ્શિયમના પ્રમાણને કારણે ફળો હાડકાંના અને  દાંતના વિકાસ માટે સારા છે અને એજ રિલેટેડ ડીજનરેટિવ રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : Aloe Vera Farming : એલોવેરાની ખેતીથી આ ગામને મળી ઓળખ, પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ કર્યો છે ઉલ્લેખ

આ પણ વાંચો : ખેડૂતો માટે કામની વાત, પુસાના કૃષિ વૈજ્ઞાનિકોએ જુદા-જુદા પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ માટે એડવાઈઝરી જાહેર કરી

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">