AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્મી કંપોસ્ટ ખાતરથી પાકની ઉપજ વધશે અને ગુણવત્તા સુધરશે, ખેડૂતોની આવકમાં પણ થશે વધારો

કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કૃષિમાં વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ અને જંતુનાશકોના સતત ઉપયોગને કારણે અળસિયાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. તેથી હવે જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે.

વર્મી કંપોસ્ટ ખાતરથી પાકની ઉપજ વધશે અને ગુણવત્તા સુધરશે, ખેડૂતોની આવકમાં પણ થશે વધારો
વર્મી કંપોસ્ટ ખાતર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 11:13 AM
Share

ચૌધરી ચરણ સિંહ કૃષિ યુનિવર્સિટી, હિસારની કૃષિ ટેકનોલોજી તાલીમ અને શિક્ષણ સંસ્થામાં (Agriculture Technology Training and Education Institute) અળસિયા ખાતર (Vermicompost) ઉત્પાદન ટેકનોલોજી પર ત્રણ દિવસીય ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને (Farmers) તેમના ખેતરની જમીનની ગુણવત્તા સુધારવા અને પાકનું ઉત્પાદન વધારવા માટે અળસિયા ખાતર તૈયાર કરવાની ટેકનિક વિશે માહિતી આપવામાં આવી હતી.

યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બી.આર. કંબોજે જણાવ્યું હતું કે દરેક ખેડૂતે અળસિયાનું ખાતર તૈયાર કરવા માટે જાગૃત હોવું જોઈએ, જેથી ખેડૂત આવી નવી ઉત્પાદન ટેકનોલોજી દ્વારા ખેતરની ફળદ્રુપતા વધારી શકે. અળસિયા ખાતરને વર્મી ખાતર પણ કહેવામાં આવે છે. જે પોષક તત્વોથી સમૃદ્ધ સારું ઓર્ગેનિક ખાતર છે.

વર્મી ખાતરનું ઉત્પાદન કરી ખેડૂતો વેચાણ પણ કરી શકે છે

સંસ્થાના સહ-નિયામક ડો.અશોક કુમાર ગોદારાએ જણાવ્યું હતું કે, ખેડૂતો વર્મીકમ્પોસ્ટ ઉત્પાદનને વ્યવસાય તરીકે અપનાવીને તેમની આવક વધારી શકે છે. આ સિવાય જમીનમાં વર્મી ખાતર ઉમેરવાથી તેની ફળદ્રુપતા વધી શકે છે. એટલું જ નહીં, તે પાકની ઉપજ અને ગુણવત્તામાં વધારો કરે છે.

ખેડૂતોને જણાવવામાં આવ્યું કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સૂક્ષ્મ તત્વો સામાન્ય છાણિયા ખાતર કરતાં આ ખાતરમાં વધારે માત્રામાં જોવા મળે છે. આ ખાતર જમીનની ફળદ્રુપ ક્ષમતામાં સ્થિરતા લાવે છે અને પાકની ગુણવત્તા સુધારે છે. ખાસ વાત એ છે કે વર્મી ખાતરમાં કોઈ ગંધ નથી. આ પર્યાવરણને પ્રદૂષિત કરતું નથી.

જંતુનાશકોના કારણે અળસિયાઓની સંખ્યા ઘટી છે

કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કૃષિમાં વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ અને જંતુનાશકોના સતત ઉપયોગને કારણે અળસિયાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. તેથી હવે જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. અળસિયા જમીન અને કાચા કાર્બનિક પદાર્થોને ખાય છે અને તેને સુંદર ખાતરમાં રૂપાંતરિત કરે છે.

અળસિયામાંથી બનાવેલ ખાતર પોષક તત્વોથી ભરપૂર હોય છે અને છોડ દ્વારા તરત જ શોષાય છે. વિશ્વભરમાં અળસિયાઓની લગભગ 4500 પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ બે પ્રજાતિઓ સૌથી ઉપયોગી માનવામાં આવે છે, જેમ કે એસીનિયા ફોટીડા (લાલ અળસિયા) અને યુડ્રીલય યુજીની (ભૂરા ગુલાબી અળસિયા).

આ પણ વાંચો : Farming Technology: જમીન ના હોય તો પણ ગામમાં કરી શકો છો વ્યવસાય, સરકાર 2.5 લાખ રૂપિયાની કરશે મદદ

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે શેરડીના ભાવમાં કર્યો આટલો વધારો

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">