Zero Budget Natural Farming: કૃષિ મંત્રાલયે ખેડૂતોના મોબાઈલ પર મોકલ્યો ખાસ મેસેજ, જાણો તેના વિશે

ભારતીય કુદરતી ખેતી પ્રણાલીને આગળ વધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 12,200 રૂપિયાના દરે આર્થિક સહાય આપી રહી છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ખેડૂતોના મોબાઈલ પર એક ખાસ સંદેશ મોકલ્યો છે.

Zero Budget Natural Farming: કૃષિ મંત્રાલયે ખેડૂતોના મોબાઈલ પર મોકલ્યો ખાસ મેસેજ, જાણો તેના વિશે
The government is promoting the Indian Natural Farming System
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 10:02 AM

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ખેડૂતોના મોબાઈલ પર એક ખાસ સંદેશ મોકલ્યો છે. આ સંદેશ 16 ડિસેમ્બરે ગુજરાતમાં આયોજિત થવા જઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના કાર્યક્રમ સાથે સંબંધિત છે. જ્યાં તેઓ નેશનલ કોન્ક્લેવ ઓફ નેચરલ ફાર્મિંગમાં ખેડૂતોને સંબોધિત કરશે. આ મેસેજમાં એક લિંક આપવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતોને વડાપ્રધાનનો કાર્યક્રમ લાઈવ જોવાની અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ અપીલ કરી છે.

હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી જમીનને ખતરનાક ખાતરો અને જંતુનાશકોથી બચાવવા માટે અપીલ કરી રહ્યા છે. હાલમાં આપણો દેશ માત્ર ખોરાકમાં આત્મનિર્ભર નથી, પરંતુ તે અન્ય દેશોને પણ ખોરાક આપી રહ્યો છે. તેથી જ કેટલાક કૃષિ વૈજ્ઞાનિકો વિચારે છે કે કુદરતી ખેતી (Natural Farming ) અને સજીવ ખેતી (Organic Farming) પર ધ્યાન આપવામાં આવે. આના કારણે ખેડૂતોએ ખેતીમાં કોઈ પણ પ્રકારનું ઈનપુટ લગાવવું પડશે નહીં અને જે અનાજ કે શાકભાજી અને ફળોનું ઉત્પાદન થશે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે.

સરકાર આ દિશામાં શું કરી રહી છે?

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કેન્દ્ર સરકાર પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ નામની પેટા યોજના ચલાવી રહી છે. તે ઇન્ડિયન નેચરલ ફાર્મિંગ સિસ્ટમ (BPKP) નામથી અમલમાં આવી રહ્યું છે. આ પદ્ધતિ સામાન્ય રીતે તમામ રાસાયણિક ઇનપુટ્સને ખેતરમાં નાખવાનીની મનાઈ કરે છે. આમાં ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સરકાર ખેડૂતોને ત્રણ વર્ષ માટે 12,200 રૂપિયા પ્રતિ હેક્ટરના દરે આર્થિક મદદ કરી રહી છે.

કેટલો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી (Zero Budget Farming) પર આઠ રાજ્યોમાં કામ ચાલી રહ્યું છે. આમાં 4.09 લાખ હેક્ટર વિસ્તારમાં ભારતીય કુદરતી ખેતી પદ્ધતિ અનુસાર ખેતી કરવામાં આવી રહી છે. આ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશમાં આ પ્રકારની ખેતી એક લાખ હેક્ટરથી વધુ જમીનમાં કરવામાં આવે છે. આ રાજ્યોમાં સરકારે 4980.99 લાખ રૂપિયાની મદદ કરી છે.

થઈ રહ્યું છે મૂલ્યાંકન

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓર્ગેનિક અને કુદરતી ખેતી ખેડૂતો (Farmers) માટે ફાયદાકારક નથી કારણ કે તેમાં ઉત્પાદન ઘટે છે. ઉત્પાદનની કિંમતને કારણે, તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ નથી. તેથી જ સરકાર કરાવી રહી છે. ભારતીય કૃષિ પ્રણાલી સંશોધન સંસ્થા મોદીપુરમ, ગાઝિયાબાદ અને ઓલ ઈન્ડિયા નેટવર્ક પ્રોજેક્ટ દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

જેમાં આવી ખેતીમાં ઉત્પાદકતા, અર્થશાસ્ત્ર, જમીનમાં ઓર્ગેનિક કાર્બન, ફળદ્રુપતા અને જમીનના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે. રવી સિઝન 2017 થી ચાર રાજ્યોમાં અને ખરીફ 2020 થી 15 રાજ્યોમાં બાસમતી ચોખા અને ઘઉંના મૂલ્યાંકન અને માન્યતા પર અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Viral Video: જંગલી સુવ્વરે તોડી નાખ્યો લોખંડનો દરવાજો, તેની તાકાત જોઈ લોકો ચોંકી ગયા !

આ પણ વાંચો:Crime: 200 મહિલાની હત્યા કરનાર સીરિયલ કિલરને કોર્ટે એકસાથે બે આજીવન કેદની સંભળાવી સજા

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">