AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાનો એક એવો ખતરનાક કેદી, જેણે પોતાના માટે 5 સ્ટાર જેલ બનાવડાવી હતી

આ જેલમાં ફૂટબોલનું મેદાન, જકુઝી અને ઝરણું પણ હતું. ઘણા લોકો લા કેટેડ્રલને જેલ કરતાં કિલ્લો વધારે કહે છે. એક કિલ્લો જ્યાંથી એસ્કોબારે તેના દુશ્મનોને દૂર રાખ્યા હતા અને તેણે પોતાને અહીં બંધ રાખ્યો હતો. એવું કહેવાય છે કે, એસ્કોબાર જેલમાંથી તેની પ્રવૃત્તિઓ કરતો હતો.

દુનિયાનો એક એવો ખતરનાક કેદી, જેણે પોતાના માટે 5 સ્ટાર જેલ બનાવડાવી હતી
This prison is in Colombia
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 3:15 PM
Share

તમે 60 અને 70 ના દાયકામાં બોલીવુડની આવી ઘણી ફિલ્મો જોઈ હશે જેમના ખલનાયક કિલ્લાવાળા ઘરમાં રહેતા હતા. તેની આસપાસ એવી સુરક્ષા હતી કે જોનારાઓ ચોંકી જાય. પરંતુ આજે અમે તમને વાસ્તવિક જિંદગીના ખલનાયક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે કિલ્લા જેવા ઘરમાં નહીં પરંતુ ફાઈવ સ્ટાર જેલમાં રહેતો હતો. આ ડ્રગ માફિયા હતો જેને દુનિયા ‘ કિંગ ઓફ કોકેન’ તરીકે ઓળખાતો હતો અને તેનું નામ પાબ્લો એસ્કોબાર (Pablo Escobar) હતું.

જેલમાં ફૂટબોલ મેદાન અને ઝરણા વહેતા

પાબ્લોને જે જેલમાં રાખવામાં આવ્યો હતો તે કોલંબિયામાં હતી અને તે પોતાની શરતે આ જેલમાં રહેવા ગયો હતો. પાબ્લોએ આ જેલને એટલી વૈભવી બનાવી કે, તેને ક્યારેક હોટેલ એસ્કોબાર અથવા ક્લબ મેડેલીન પણ કહેવાતી. પરંતુ તેનું મૂળ નામ લા કેટેડ્રલ (La Catedral) અથવા ધ કેથેડ્રલ હતું અને આ નામ તેને ઘણા કારણોસર આપવામાં આવ્યું હતું.

આ જેલમાં ફૂટબોલનું મેદાન, જકુઝી અને ઝરણું પણ હતું. ઘણા લોકો લા કેટેડ્રલને જેલ કરતાં કિલ્લો વધારે કહે છે. એક કિલ્લો જ્યાંથી એસ્કોબારે તેના દુશ્મનોને દૂર રાખ્યા હતા અને તેણે પોતાને અહીં બંધ રાખ્યો હતો. એવું કહેવાય છે કે, એસ્કોબાર જેલમાંથી તેની પ્રવૃત્તિઓ કરતો હતો.

એસ્કોબાર કેદીઓમાં લોકપ્રિય હતો

કોલંબિયાની સરકારને આ જેલમાં એસ્કોબારની કાર્યવાહી અને સજા કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અહીંના કેદીઓમાં એસ્કોબાર ખૂબ જ લોકપ્રિય હતો. આજે પણ એસ્કોબારની યાદો આ જેલમાં સચવાયેલી છે. ઘણા લોકો એસ્કોબારને માફિયા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે. તે માને છે કે, તેણે આ શહેર માટે ઘણું કર્યું છે. પરંતુ કેટલાક રાજકારણીઓ અને પોલીસકર્મીઓએ એસ્કોબારથી ડરવાની અને તેમને નમન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. મંત્રણાના ઘણા રાઉન્ડ પછી એસ્કોબાર શરણાગતિ માટે સંમત થયો હતો.

સરકાર સમક્ષ શરતો મુકવામાં આવી હતી

એસ્કોબારે વાતચીત દરમિયાન જે શરતો મૂકી હતી તે હતી કે, તેની સજાની મુદત ઘટાડીને પાંચ વર્ષ કરવામાં આવે. તેણે કહ્યું હતું કે તે પોતે જેલ બનાવશે જેમાં તે પોતાની સજા ભોગવશે. અહીં તે તેના પસંદ કરેલા ગાર્ડને ગોઠવશે અને કોલંબિયાના સૈનિકો તેને દુશ્મનોથી બચાવશે. એસ્કોબારના વિરોધીઓ તેની વિરુદ્ધ હતા, પરંતુ કોલંબિયાની સરકારે બંધારણમાં ફેરફાર કર્યો. આ સુધારા પછી જૂન 1991થી નાગરિકોના પ્રત્યાર્પણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

છેવટે શરણાગતિ માટે સંમત થયો

એસ્કોબાર તેની શરતો મનાવવાનો પ્રયાસ કરવાનું ચાલુ રાખ્યો અને તે પછી જ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ સીઝર ગાવિરિયાએ જાહેર કર્યું ન હતું કે, તેની સાથે કાયદા મુજબ વર્તવામાં આવશે. અંતે અમેરિકામાં પ્રત્યાર્પણ ન થાય તે માટે એસ્કોબરે શરણાગતિ સ્વીકારી.

યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના એજન્ટ સ્ટીવ મર્ફીએ એક મુલાકાતમાં કહ્યું છે કે, પાબ્લો પાસે આખી અઢળક પૈસા હતા. અન્ય તસ્કરો પણ તેને પૈસા આપતા હતા. તેણે કહ્યું કે, પાબ્લો એસ્કોબારે 10થી 15 હજાર લોકોનો જીવ લીધો હતો. 2 ડિસેમ્બર 1993 ના રોજ 44 વર્ષની ઉંમરે એસ્કોબારની હત્યા કરવામાં આવી હતી. પરંતુ તેની હત્યામાં પોલીસનો પરસેવો છૂટી ગયો હતો.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રવિ દહિયાએ રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં સ્થાન મેળવ્યું,ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: Vadodara : સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">