Covid Vaccination : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે
દેશમાં કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination) અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
Covid Vaccination : દેશમાં કોરોના વિરૂદ્ધ લડાઈમાં રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છે કે દેશમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય જેથી કરીને રસી લેનારા લોકો કરોના સામે લડવા સક્ષમ બને અને ઓછા લોકો કોરોના સંક્રમિત બને. દેશમાં તમામ લોકોનું રસીકરણ ક્યારે પૂરું થશે આ પ્રશ્ન અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) સ્પષ્ટતા કરી છે.
2021 પૂર્ણ થતા બધા લોકોનું રસીકરણ થશે દેશમાં કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination) અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) ના એક નિવેદન પર વળતો પ્રહાર કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વર્ષ 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે દેશમાં 130 કરોડની વસ્તી સામે 3 ટકા લોકોનું જ રસીકરણ થયું છે, આના જવાબમાં પ્રકાશ જાવડેકરે આ સ્પષ્ટતા કરી હતી.
राहुल गाँधी जी दिसम्बर तक भारत में 216 करोड़ नए टीके आएंगे। जो कि108 करोड़ से भी ज्यादा लोगों को लगेंगे। भय फैलाने का कार्य ना करें। भारत सबसे तेज़ और सबसे ज्यादा vaccination करने वाला आज दूसरा देश है।
— Prakash Javadekar (@PrakashJavdekar) May 28, 2021
કોંગ્રેસ શાસિત રાજ્યો પર કર્યા પ્રહાર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપતા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination) અંગે પ્રશ્નો ઉઠાવી કોંગ્રેસ શાસિત રાજ્યો પર પ્રહાર કર્યા હતા.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે જો રાહુલ ગાંધી કોરોના રસીકારણ અંગે ચિંતિત છે તો તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યો તરફ ધ્યાન આપવું જોઈએ જ્યાં મોટી ખામીઓ છે. કોંગ્રેસ શાસિત રાજ્યો 1 મેથી આપેલ વેક્સીન લઇ રહ્યા નથી, જેનો ઉપયોગ 18 થી 44 વર્ષની વયના લોકોના રસીકરણ માટે કરવામાં આવનાર છે.
ડીસેમ્બર 2021 સુધીમાં 216 કરોડ ડોઝનું ઉત્પાદન કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશમાં કોરોના રસીકરણ (Covid Vaccination) અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક રોડ મેપ તૈયાર કર્યો છે. આ રોડ મેપ મુજબ આ વર્ષના અંત સુધીમાં દેશમાં કોરોના રસીના 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં દેશની તમામ પુખ્ત વયની વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવશે.
આ પણ વાંચો : MadhyaPradesh : રાજકારણ કરવા જતા KamalNath કરી બેઠા દેશનું જ અપમાન, જાણો સમગ્ર ઘટના