AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MadhyaPradesh : રાજકારણ કરવા જતા KamalNath કરી બેઠા દેશનું જ અપમાન, જાણો સમગ્ર ઘટના

MadhyaPradesh : કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવા જતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ (KamalNath) એ દેશનું અપમાન કર્યું છે એવા આક્ષેપો થઇ રહ્યાં છે.

MadhyaPradesh : રાજકારણ કરવા જતા KamalNath કરી બેઠા દેશનું જ અપમાન, જાણો સમગ્ર ઘટના
FILE PHOTO
| Updated on: May 28, 2021 | 6:12 PM
Share

MadhyaPradesh : રાજકીય પક્ષના વિવિધ નેતાઓ રાજકારણ કરવા, વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવા, પ્રસિદ્ધિ મેળવવા કે અન્ય કોઈ કારણથી વિરોધી પક્ષના નેતાઓ પર પ્રહાર કરતા હોય છે અને વિવાદિત નિવેદન પણ કરી બેસતા હોય છે. પણ વિરોધ કરવામાં અને વિવાદિત નિવેદનો કરવાની હોડમાં જાણે અજાણે નેતાઓ દેશનું પણ અપમાન કરી બેસતા હોય છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ (KamalNath) કેન્દ્ર સરકારનો વિરોધ કરવામાં દેશનું અપમાન કરી બેઠા છે.

કમલનાથે કહ્યું “ભારત મહાન નહી, ભારત બદનામ” દેશમાં કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવા જતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ (KamalNath) એ દેશનું અપમાન કર્યું છે એવા આક્ષેપો થઇ રહ્યાં છે. કમલનાથે એક પત્રકાર પરિષદમાં કહ્યું, “ભારત મહાન નહી, ભારત બદનામ છે. બધા દેશોએ ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.” તેમણે કહ્યું કે અમેરિકામાં ભારતીય ટેક્સી ડ્રાઈવર વાળી ટેક્સીમાં કોઈ બેસવા તૈયાર નથી.

રાજનીતિની આડમાં દેશનું અપમાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ (KamalNath) એ રાજનીતિની આડમાં દેશનું અપમાન કરી બેઠા છે એવા આક્ષેપો થઇ રહ્યાં છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવા જતા તેમણે દેશને બદનામ કહી દીધો.

આજે જેમ વિવિધ દેશોએ ભારતીયો પર પ્રતિબંધ લગાવ્યો છે એમ પહેલા કોરોના પ્રભાવિત વિવિધ દેશોના નાગરીકો પર પણ અન્ય દેશોમાં જવા પર પ્રતિબંધ લાગી ચુક્યા છે. ભારતે તો આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પણ સ્થગિત કરી દીધી છે અને હજી પણ પ્રતિબંધ યથાવત છે. આવા મુદ્દાને દેશની ગરિમા, દેશના મહત્વ સાથે જોડી રાજકીય સ્વાર્થ સાધવો કેટલું યોગ્ય છે?

કમલનાથ પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરાઈ કોંગ્રેસ નેતા કમલનાથ (KamalNath) એ 21 મે ના દિવસે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધન કરતી વખતે કોરોનાના એક પ્રકાર સાથે ભારતનું નામ જોડ્યું હતું. કમલનાથના આ નિવેદન બાદ MadhyaPradesh ના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સહીત સરકારના મંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કમલનાથ પર પ્રહારો કરવાના શરૂ કર્યા હતા.

તો અન્ય એક વિવાદિત નિવેદનના આધારે કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ પર હિંસક ગતિવિધિનો આરોપ લાગ્યો છે અને આ સાથે જ કમલનાથ પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરવામાં આવી છે.

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">