ભારતની બેંકોમાં જમા 78,213 કરોડના ક્લેમ વગરના રૂપિયાનો માલિક કોણ છે? આ પૈસા તમારા તો નથી ને!

આજે પણ દેશની વિવિધ બેંકોમાં હજારો કરોડ રૂપિયાની થાપણો પડી છે જેની માલિકીના કોઈ દાવા નથી. આ સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે એ પૈસાનો માલિક કોણ છે?

ભારતની બેંકોમાં જમા 78,213 કરોડના ક્લેમ વગરના રૂપિયાનો માલિક કોણ છે? આ પૈસા તમારા તો નથી ને!
| Edited By: | Updated on: Jul 27, 2024 | 7:58 AM

આજે પણ દેશની વિવિધ બેંકોમાં હજારો કરોડ રૂપિયાની થાપણો પડી છે જેની માલિકીના કોઈ દાવા નથી. આ સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે એ પૈસાનો માલિક કોણ છે? અને જે લોકો ખરેખર તે પૈસાના હકદાર છે તેઓ તેમના ખાતામાંથી પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરી અથવા ઉપાડી શકાય છે?

આરબીઆઈના અહેવાલ મુજબ બેંકોમાં ક્લેમ વગરની થાપણોમાં ગયા વર્ષની સરખામણીમાં 26 ટકાનો વધારો જોવા મળ્યો છે જે માર્ચ 2024ના અંત સુધીમાં રૂપિયા 78,213 કરોડ સુધી પહોંચી ગયો છે. માર્ચ 2023 ના અંત સુધીમાં ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા રકમ 62,225 કરોડ રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે બેંકોના ખાતામાં 10 કે તેથી વધુ વર્ષોથી પડેલી ક્લેમ વગરની થાપણોને આરબીઆઈના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરે છે.

ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ શું છે?

ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2014 માં ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF) ની સ્થાપના કરી હતી. વાસ્તવમાં, કોઈ દાવેદાર ન હોય તેવી બેંકો પાસે આવી રકમ હંમેશા ચિંતાનું કારણ રહી છે. અહીં લોકો પૈસા જમા કરાવીને ભૂલી ગયા છે. પરિવારમાં કોઈને કહ્યું નહીં અને અકાળે આ દુનિયા છોડી દીધી હોય તેવા પણ મામલાઓ છે.

આ ભંડોળની સ્થાપના સાથે જાહેર અને ખાનગી બંને ક્ષેત્રની બેંકોની આ સમસ્યા હલ થઈ ગઈ છે. તેમની પાસે પૈસા રાખવાની કોઈ મજબૂરી નથી. તેઓ સેન્ટ્રલ બેંક દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર આ ફંડમાં દાવો ન કરેલી રકમ જમા કરી રહ્યા છે અને જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય એટલે કે જ્યારે દાવેદાર આગળ આવે ત્યારે તેને પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છે.

કેવી રીતે ક્લેમ કરવો?

  1. તમામ બેંકોએ નિષ્ક્રિય ખાતાઓ અંગે નામ અને સરનામાં સાથે અને દાવો ન કરેલા ખાતાઓની યાદી જાહેર કરવી જરૂરી છે.
  2. તમારું નામ કોઈપણ લિસ્ટમાં છે કે નહીં તે જાણવા માટે દરેક બેંકની વેબસાઇટની મુલાકાત લો.
  3. જો તમને તમારું અથવા કોઈ સંબંધીનું નામ મળે તો બેંકની નજીકની શાખાની મુલાકાત લો અને ક્લેમ ફોર્મ ભરો, તેના પર સહી કરો અને સબમિટ કરો.
  4. KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
  5. જો ખાતાધારકનું મૃત્યુ થયું હોય અને કોઈ નોંધાયેલ નોમિની ન હોય અથવા જો નોમિની પણ મૃત્યુ પામ્યા હોય તો લાભાર્થી દ્વારા ઉત્તરાધિકાર પ્રમાણપત્ર અથવા પ્રોબેટ અને નોટરાઇઝ્ડ મૃત્યુ પ્રમાણપત્ર આપીને રકમનો દાવો કરી શકાય છે.
  6. જો રકમ મોટી હોય તો કેટલીક બેંકોને પરિવારના તમામ સભ્યો પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની પણ જરૂર પડી શકે છે.
  7. બેંક દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી વ્યાજ સહિતની રકમ જો કોઈ હોય તો તે દાવેદારને ટ્રાન્સફર કરવામાં આવશે.
  8. ક્લેમ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી પરંતુ બેંકોએ તમામ સહાયક દસ્તાવેજો સાથે ફાઇલ કર્યાના 15 દિવસની અંદર આવી દાવાની વિનંતીઓનું સમાધાન કરવું જરૂરી છે.

આ પણ વાંચો : ITR Filing : તમે ITR ફાઇલ કરતા પહેલા છેલ્લી ક્ષણે પણ તમારી ટેક્સ સિસ્ટમ બદલી શકો છો! જાણો નિયમ શું છે?