AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘વેક્સિનેશનની અસર જોવા મળી રહી છે’: SBI પ્રમુખે ભારતીય અર્થવ્યવસ્થા વિશે કહી આ મોટી વાત

એસબીઆઈના વડાએ કહ્યું કે અર્થતંત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષ સુધી ખૂબ જ ઓછી હતી. એવી આશા છે કે હવે ક્ષમતાનો ઉપયોગ સુધરશે અને કોર્પોરેટ ક્ષેત્રમાં રોકાણની માંગને પુનર્જીવિત કરવામાં મદદ કરશે.

'વેક્સિનેશનની અસર જોવા મળી રહી છે': SBI પ્રમુખે ભારતીય અર્થવ્યવસ્થા વિશે કહી આ મોટી વાત
State Bank of India - SBI
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 11:51 PM
Share

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન દિનેશ કુમાર ખારાએ શનિવારે જણાવ્યું હતું કે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમના સફળ અમલીકરણ સાથે ભારત વિકાસના આગલા તબક્કામાં આગળ વધવા માટે તૈયાર છે. ખારાએ દુબઈમાં આયોજિત એક્સ્પો 2020 દરમિયાન ઈન્ડિયન પેવેલિયનમાં કહ્યું કે દેશે જે પ્રકારનું રસીકરણ અભિયાન જોયું છે, તે તમામ ભારતીયોને ગર્વનો અનુભવ કરાવે છે. ખાસ કરીને કારણ કે સ્થાનિક રીતે બનાવેલી વેક્સિનનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે દેશમાં છેલ્લા બે વર્ષથી અર્થવ્યવસ્થામાં ક્રેડિટ ગ્રોથ ખૂબ જ ઓછો હતો. એવી આશા રાખવામાં આવી રહી છે કે હવે ક્ષમતાનો ઉપયોગ સુધરશે અને કોર્પોરેટ ક્ષેત્રમાં રોકાણની માંગને પુનર્જીવિત કરવામાં મદદ કરશે. એસબીઆઈના ચેરમેને જણાવ્યું હતું કે, સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ પર તેનું ધ્યાન ચાલુ રાખીને એક મહાન કામ કર્યું છે, જે અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં લાંબો રસ્તો કાઢ્યો છે. ખાનગી કોર્પોરેટ સેક્ટરમાં રોકાણ સાથે, ભારતીય અર્થતંત્ર ચોક્કસપણે વૃદ્ધિના આગલા તબક્કામાં આગળ વધશે. તેમણે કહ્યું કે એક્સ્પો 2020માં દેશનું પેવેલિયન વાસ્તવિક ભારતને રજૂ કરી રહ્યું છે, જે તકોથી ભરપૂર છે.

જો અર્થવ્યવસ્થામાં તેજી આવશે તો આવકમાં વધારો થશે

રસીકરણને કારણે, ઈકોનોમિક રીકવરીની ગતિ ખૂબ ઝડપી બની છે. સરકારનુ અનુમાન છે કે આ નાણાકીય વર્ષ તેના અંદાજ કરતાં વધુ કમાણી કરશે. નાણાકીય વર્ષ 2021-22 માટે સરકારે 15.45 લાખ કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંક રાખ્યો છે. એવું માનવામાં આવે છે કે ચાર વર્ષ પછી પ્રથમ વખત તિજોરીમાં આશા કરતા વધુ પૈસા આવશે. સરકાર આ નાણાંનો ઉપયોગ રાજકોષીય ખાધ ઘટાડવા માટે નહીં કરે. બે વિશ્વસનીય સરકારી સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.

આરબીઆઈએ વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કર્યો છે.

જો કે, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનું અનુમાન 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કર્યું છે, જ્યારે IMFએ 2021માં 9.5 ટકા અને તેના આગામી વર્ષમાં 8.5 ટકા વૃદ્ધિની આગાહી કરી છે.

આ પણ વાંચો :  દેશમાં Cash Less સિસ્ટમની રચનાના પ્રયાસો વચ્ચે આર્થિક વ્યવહારોમાં વિક્રમી વધારો, લોકો પાસે 28.30 લાખ કરોડ રૂપિયા કેશ પડયા છે

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">