AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટેમ્પ ડ્યૂટીનો ખર્ચ બચાવી પાવર ઓફ એટર્નીથી મિલ્કતની લે-વેચ લાભદાયક કે નુકસાનનો સોદો? જાણો જવાબ

દેશના ઘણા રાજ્યોમાં પાવર ઓફ એટર્ની પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડતી નથી. આ જ કારણ છે કે પ્રોપર્ટી ડીલને લગતા ઘણા કેસોમાં સ્ટેમ્પ ડ્યુટી પર પૈસા બચાવવા માટે લોકો સેલ ડીડ કરવાને બદલે પાવર ઓફ એટર્ની મેળવે છે

સ્ટેમ્પ ડ્યૂટીનો ખર્ચ બચાવી પાવર ઓફ એટર્નીથી મિલ્કતની લે-વેચ લાભદાયક કે નુકસાનનો સોદો? જાણો જવાબ
power of attorney rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 6:30 AM
Share

મોંઘવારીના આ યુગમાં પ્રોપર્ટી ખરીદવી એ મામૂલી બાબત નથી અને આપણે બધા આ સારી રીતે જાણીએ છીએ. કોઈ વ્યક્તિ મિલકત ખરીદવા માટે તેની મહેનતના પૈસા ખર્ચે છે. બીજી તરફ એવા લોકોની પણ કમી નથી જેઓ પોતાના સપનાનું ઘર બનાવવા માટે જીવનભરની કમાણી ખર્ચી નાખે છે.

પ્રોપર્ટી ડીલિંગ હંમેશા એક મોટી ડીલ હોય છે. પ્રોપર્ટીમાં ડીલ કરતી વખતે તમારે હંમેશા સાવચેત રહેવું જોઈએ અને કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રોપર્ટી ખરીદતી વખતે તમારી એક નાની ભૂલ અથવા ‘લાલચ તમારા જીવનભરની કમાણી બરબાદ કરી શકે છે. જેના પછી તમે ઈચ્છો તો પણ કંઈ કરી શકશો નહીં.

પ્રોપર્ટી ખરીદતી વખતે આ બાબત ધ્યાનમાં રાખજો

આજે અમે તમને પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડાયેલી કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. હકીકતમાં નિયમો અનુસાર જો તમે મિલકત ખરીદો છો, તો તમારે તેના બદલામાં સરકારને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. સ્ટેમ્પ ડ્યુટી ભર્યા પછી જ તમારી મિલકતની નોંધણી થાય છે. ઘણા લોકો થોડા પૈસાની લાલચમાં સ્ટેમ્પ ડ્યુટી ભરતા નથી. જેના કારણે તેમની મિલકતની રજિસ્ટ્રી પણ થઈ શકતી નથી.

આશ્ચર્યની વાત એ છે કે, લાખો રૂપિયાની પ્રોપર્ટી ખરીદનારા ઘણા લોકો સ્ટેમ્પ ડ્યુટીમાંથી કેટલાક પૈસા બચાવવાના પ્રયાસમાં પાવર ઓફ એટર્ની (Power Of Attorney)અથવા પ્રોપર્ટી ડીલનો ફૂલ પેમેન્ટ એગ્રીમેન્ટ બનાવે છે. જોકે આ કાયદો યોગ્ય નથી. પાવર ઓફ એટર્ની અથવા ફૂલ પેમેન્ટ એગ્રીમેન્ટ તમને કોઈપણ મિલકતની કાનૂની માલિકી આપતું નથી.

પાવર ઓફ એટર્ની શું છે?

દેશના ઘણા રાજ્યોમાં પાવર ઓફ એટર્ની પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડતી નથી. આ જ કારણ છે કે પ્રોપર્ટી ડીલને લગતા ઘણા કેસોમાં સ્ટેમ્પ ડ્યુટી પર પૈસા બચાવવા માટે લોકો સેલ ડીડ કરવાને બદલે પાવર ઓફ એટર્ની મેળવે છે પરંતુ સરકારી નિયમો મુજબ આ બિલકુલ યોગ્ય નથી.

વાસ્તવમાં પાવર ઑફ એટર્ની એક એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ તેની મિલકતના અધિકારો અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરે છે. પરંતુ અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે પાવર ઓફ એટર્નીમાં માત્ર મિલકતના અધિકારો જ મળે છે. વધુમાં પાવર ઓફ એટર્નીનો ઉપયોગ મિલકત વેચવા માટે કરી શકાય છે. જો કે, પાવર ઓફ એટર્નીની મિલકત કાયદેસર રીતે તે વ્યક્તિની માલિકીની છે જેના નામે તે નોંધાયેલ છે.

પાવર ઓફ એટર્નીના ગેરફાયદા શું છે?

પાવર ઓફ એટર્નીનો નિયમ એવો છે કે તમે જેની પાસેથી મિલકત ખરીદો છો તેના મૃત્યુ પછી તે પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થઈ જશે. તે કિસ્સામાં બાળક અથવા વ્યક્તિના નજીકના સંબંધીઓ મિલકત પર દાવો કરી શકે છે. જો તેઓ તે મિલકત પર દાવો કરે છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કારણ કે તમારી પાસે પ્રોપર્ટી માટે પાવર ઓફ એટર્ની છે, જે તમને તે પ્રોપર્ટીના અધિકારો જ આપે છે. પાવર ઓફ એટર્ની ક્યારેય વ્યક્તિને મિલકત ધરાવવાનો અધિકાર આપતી નથી.

આ પણ વાંચો : PAN CARD ધારક વહેલી તકે પતાવીલો આ કામ નહીંતર 10 હજાર રૂપિયા સુધી દંડ ભરવો પડશે

આ પણ વાંચો : Mukesh Ambani ની કંપની બોન્ડ માર્કેટમાંથી દેશના ઈતિહાસમાં સૌથી વધુ નાણાં એકત્ર કરશે,રૂપિયા 5000 કરોડના બોન્ડ ઈશ્યુ કરાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">