AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN CARD ધારક વહેલી તકે પતાવીલો આ કામ નહીંતર 10 હજાર રૂપિયા સુધી દંડ ભરવો પડશે

જો તમે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છેલ્લી તારીખ સુધી તમારા આધાર અને PANને લિંક નથી કરાવતા તો તમારે આ માટે દંડ ભરવો પડશે.

PAN CARD ધારક વહેલી તકે પતાવીલો આ કામ નહીંતર 10 હજાર રૂપિયા સુધી દંડ ભરવો પડશે
PAN card holders may get fined up to ₹10,000 after 31st March
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 8:27 AM
Share

જો તમારી પાસે પણ PAN કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. PAN કાર્ડ ધારકોને 31 માર્ચ, 2022 સુધીમાં આધાર કાર્ડ નંબર સાથે તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને લિંક કરવું જરૂરી છે. જો તમે આ સમયમર્યાદા પહેલાં તમારા PAN ને આધાર સાથે લિંક નહીં કરો તો તમારું PAN કાર્ડ પણ નિષ્ક્રિય થઈ શકે છે. તમારે સમય મર્યાદા બાદ પાનને આધાર સાથે જોડવા માટે 1,000 રૂપિયા દંડ પણ ચૂકવવો પડશે.

પાન કાર્ડ ધારકની સમસ્યા અહીં સમાપ્ત થશે નહીં કારણ કે વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બેંક એકાઉન્ટ ખોલવા વગેરેમાં રોકાણ કરી શકશે નહીં જ્યાં તેને પાન કાર્ડ રજૂ કરવું જરૂરી છે.

આધાર અને પાન કાર્ડ હવે દરેક સામાન્ય વ્યક્તિ માટે જરૂરી દસ્તાવેજ બની ગયા છે. સરકારના નિયમ મુજબ આ દસ્તાવેજોને એકબીજા સાથે લિંક કરવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે એટલા માટે જરૂરી છે કે આવકવેરા રિટર્ન (ITR) ભરવાથી લઈને મોટા બેંકિંગ વ્યવહારો માટે દરેક વ્યક્તિ પાસે પાન કાર્ડ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બીજી તરફ જો કોઈ કામ ફાઇનાન્સ સાથે સંબંધિત છે તો તેના માટે PAN પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગે આધાર અને પાન કાર્ડ સંબંધિત અપડેટ જારી કર્યું છે.

છેલ્લી તારીખ 31 માર્ચ 2022

તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે PAN ને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2022 નક્કી કરી છે. જો તમારું PAN કાર્ડ- આધાર કાર્ડ આપેલ સમયમર્યાદા સુધી લિંક કરવામાં આવ્યું નથી તો તમારે તેના માટે ભારે દંડ ચૂકવવો પડી શકે છે. અમને જણાવો કે તમે તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકો છો.

જો તમે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છેલ્લી તારીખ સુધી તમારા આધાર અને PANને લિંક નથી કરાવતા તો તમારે આ માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જેમણે 31 માર્ચ 2022 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું નથી તેમનું પાન કાર્ડ 1 એપ્રિલ 2022થી નિષ્ક્રિય થઈ જશે. એટલે કે તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

આ સંજોગોમાં દંડની રકમ 10000 રૂપિયા

જો કોઈ વ્યક્તિ અમાન્ય થી ગયેલ PAN કાર્ડ સબમિટ કરે છે તો આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 272N હેઠળ આકારણી અધિકારી નિર્દેશ આપી શકે છે કે આવી વ્યક્તિ રૂ. 10000 ની રકમ દંડ તરીકે ચૂકવે.

વેબસાઇટ દ્વારા લિંક કેવી રીતે કરી શકાય ?

  • પ્રથમ ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જાઓ
  • આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો
  • આધારકાર્ડમાં જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ટિક કરો
  • હવે કેપ્ચા કોડ દાખલ કરો
  •  હવે Link Aadhaar બટન પર ક્લિક કરો
  • તમારો પાન આધાર સાથે જોડવામાં આવશે.

SMS દ્વારા PANને આધાર સાથે જોડવાની રીત

આ માટે તમારે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરવું પડશે. આ પછી 12-અંકનો આધાર નંબર અને પછી 10-અંકનો પાન નંબર લખો. હવે step 1 માં ઉલ્લેખિત સંદેશને 567678 અથવા 56161 પર મોકલો.

Deactive PAN કેવી રીતે ઓપરેટીવ કરી શકાય

નિષ્ક્રીય પાન કાર્ડ ઓપરેટિવ કરી શકાય છે. આ માટે તમારે એક SMS કરવો પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાંથી 12-અંકનો પાન નંબર દાખલ કર્યા પછી તમારે 10 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને મેસેજ 567678 અથવા 56161 પર મોકલવો પડશે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 80 ડોલર નજીક પહોંચી, જાણો આજે તમારા શહેરમાં શું છે 1 લીટર પેટ્રોલ-ડીઝલનો ભાવ

આ પણ વાંચો : Mukesh Ambani ની કંપની બોન્ડ માર્કેટમાંથી દેશના ઈતિહાસમાં સૌથી વધુ નાણાં એકત્ર કરશે,રૂપિયા 5000 કરોડના બોન્ડ ઈશ્યુ કરાશે

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">