એપ્રિલમાં ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરોમાં 83 ટકાનો વધારો, કોરોના મહામારીની અસર ઓછી થઈ: રિપોર્ટ

કોવિડ-19 મહામારી ફાટી નીકળવાની સાથે, એપ્રિલમાં સ્થાનિક ફ્લાઇટ્સ (domestic flights) પર મુસાફરોની સંખ્યા વાર્ષિક ધોરણે 83 ટકાના વધારા સાથે 1.05 કરોડ થવાનો અંદાજ છે. આ રોગચાળા પહેલાના સ્તર કરતાં માત્ર પાંચ ટકા ઓછું છે.

એપ્રિલમાં ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરોમાં 83 ટકાનો વધારો, કોરોના મહામારીની અસર ઓછી થઈ: રિપોર્ટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 8:13 PM

કોરોના મહામારીના (Covid-19 Pandemic) પ્રકોપમાં ઘટાડો થવાને કારણે એપ્રિલમાં સ્થાનિક ફ્લાઈટ્સના મુસાફરોની સંખ્યા વાર્ષિક ધોરણે 83 ટકાની વૃદ્ધિ સાથે 10.5 કરોડ રહેવાનો અંદાજ છે. આ મહામારીના પહેલાના સ્તર કરતાં માત્ર પાંચ ટકા ઓછું છે. રેટિંગ એજન્સી ઈકરાએ સોમવારે આ માહિતી આપી હતી. એપ્રિલ 2019માં 11 મિલિયન મુસાફરોએ ભારતીય એરલાઈન્સ (Airlines) દ્વારા મુસાફરી કરી હતી. ઈકરાએ કહ્યું કે સ્થાનિક એરલાઈન્સના આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા પ્રી-પેન્ડિક લેવલ નજીક લગભગ 1.83 કરોડને પાર કરીને 1.85 કરોડ પર પહોંચી ગઈ છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષને લીધે ઉદ્ભવતા ભૌગોલિક રાજકીય મુદ્દાઓને કારણે ઉડ્ડયન ઈંધણ (ATF)ની વધતી કિંમતો રીકવરીની પ્રક્રિયા માટે મોટો ખતરો છે.

ICRAના વાઈસ પ્રેસિડેન્ટ અને ડિવિઝનલ હેડ સુપ્રિયો બેનર્જીએ જણાવ્યું હતું કે એપ્રિલ 2022માં દરરોજ સરેરાશ 2,726 ફ્લાઇટ્સ ઉપડી છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 2,000ના આંકડા કરતાં વધુ છે. આ માર્ચ 2022માં રહેલા 2,588ના આંકડા કરતાં વધુ છે.

ATFના ઉંચા ભાવ ઉદ્યોગ માટે પડકાર: રિપોર્ટ

તેમણે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં સ્થાનિક એરલાઈન કામગીરીમાં લગભગ સામાન્યતાને ધ્યાનમાં રાખીને મુસાફરોના ટ્રાફિકમાં રિક્વરી તુલનાત્મક રીતે ઝડપી થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે ઊંચા એટીએફ ભાવ ઉદ્યોગ માટે એક પડકાર છે અને તે ભારતીય એરલાઈન્સના નફાને અસર કરશે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ સિવાય તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગયા મહિને કહ્યું હતું કે કોવિડ પહેલા અમે ફરીથી દરરોજ 4.1 લાખ મુસાફરોનો રેકોર્ડ હાંસલ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય માટે આ એક ઐતિહાસિક દિવસ છે. મને ખાતરી છે કે આવનારા દિવસોમાં અમે આ રેકોર્ડ જાળવી રાખીશું. અત્યારે પ્લેનની ટિકિટની કિંમત 15 દિવસની રોલિંગ સિસ્ટમ પર લાગુ છે. અમે યોગ્ય સમયે આ અંગે નિર્ણય લઈશું.

સાથે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક માટે અમે આરોગ્ય મંત્રાલય સાથે મળીને નિયમો તૈયાર કર્યા છે અને તેને વેબસાઈટ્સ પર પોસ્ટ કર્યા છે કે, જેમકે, રસીકરણ પ્રમાણપત્ર અથવા મુસાફરીના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ અપલોડ કરવો જોઈએ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે હવે ઘરેલુ મુસાફરી માટે RTPCR ટેસ્ટની જરૂર નથી, પરંતુ ઘણા રાજ્યોમાં કેટલાક નિયમો છે અને જો તેમને લાગે છે કે કેસ વધારે છે અને તેઓ સાવચેતી રાખવા માંગે છે તો તેમને આમ કરવાનો અધિકાર છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">