AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: બજેટમાં આરોગ્ય સબંધિત મોટી જાહેરાતો પર નજર, શું સરકાર કોઈ નવો વેક્સીન પ્રોગ્રામ લોન્ચ કરશે

માર્ચ મહિનાથી 12-15 વર્ષના બાળકોનો વારો આવશે. આ રસીકરણ પણ વિના મુલ્યે થશે અને સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડશે. આગળ હવે બૂસ્ટર ડોઝનું અભીયાન ચાલવાનું છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે શું સરકાર કોવિડ રસીકરણ માટે અલગથી કોઈ કાર્યક્રમ લોન્ચ કરશે?

Budget 2022: બજેટમાં આરોગ્ય સબંધિત મોટી જાહેરાતો પર નજર, શું સરકાર કોઈ નવો વેક્સીન પ્રોગ્રામ લોન્ચ કરશે
Healthcare Budget 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 10:40 PM
Share

બજેટને હવે ગણતરીના દિવસો બાકી છે. સામાન્ય બજેટ (Budget 2022) પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ બજેટ નાણાકીય વર્ષ 2022-23 માટે હશે. આ બજેટ કોરોના મહામારી વચ્ચે રજૂ થવા જઈ રહ્યું છે. આ જોતાં હેલ્થકેર સેક્ટર માટે ઘણી અપેક્ષાઓ વધી છે. સામાન્ય લોકોથી લઈને ઉદ્યોગો સુધીના લોકો સરકાર પાસે આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવણી વધારવાની માગ કરી રહ્યા છે. કારણ કે કોરોના વાયરસની મહામારી હજી પૂરી થઈ નથી અને સમયાંતરે તેમાં વધારો જોવા મળે તેવી આશંકા છે. તેથી, સરકાર કોરોના માટે કોઈ નવો રસી કાર્યક્રમ શરૂ કરશે કે કેમ તેના પર સૌનું ધ્યાન છે.

છેલ્લા બજેટની સ્થિતિ જાણીને સરકારે કોરોના રસીકરણ માટે 35,000 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું હતું. આ ફંડનું પરિણામ એ છે કે દેશભરમાં કોવિડ રસીકરણ અભિયાન હેઠળ વિનામુલ્યે રસી આપવામાં આવી રહી છે. આ એક વિશાળ અભિયાન છે કારણ કે ભારત લગભગ 1.5 અબજની વસ્તી ધરાવતો દેશ છે. આમાં, જો આપણે 15 વર્ષથી ઓછી વયની વસ્તીને બાકાત રાખીએ, તો તેનાથી વધારે વયના તમામ લોકોને વિનામુલ્યે રસી લાગવાની છે.

માર્ચમાં બાળકો માટે રસીકરણ

માર્ચ મહિનાથી 12-15 વર્ષના બાળકોનો વારો આવશે. આ રસીકરણ પણ વિના મુલ્યે થશે અને સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડશે. આગળ હવે બૂસ્ટર ડોઝનું અભીયાન ચાલવાનું છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું સરકાર કોવિડ રસીકરણ માટે અલગથી કોઈ કાર્યક્રમ લોન્ચ કરશે?

બજેટ 2021 માં, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ 21 જૂનથી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કહે છે કે દેશમાં જે પણ કંપનીઓ રસી બનાવે છે, તેમની પાસે તેમના મંથલી પ્રોડક્શનના 25% ભાગ ખાનગી હોસ્પિટલોને વેચવાનો વિકલ્પ છે. સરકાર બાકીની રસી ખરીદશે અને મફત રસીકરણ અભિયાનમાં તેનો ઉપયોગ કરશે. જો કે, ગત નાણાકીય વર્ષ હજુ ચાલુ હોવાથી, આગામી બજેટમાં સરકાર આ કાર્યક્રમમાં શું સુધારો કરે છે, તેના માટે બજેટમાં ફાળવણી વધારે છે કે ઘટાડે છે તે જોવાનું રહેશે.

નિષ્ણાતો શું કહે છે

કોવિડ રસીકરણ અભિયાન સાથે સંકળાયેલા અને તેનાથી વાકેફ નિષ્ણાતો માને છે કે રસીની જાળવણી કરવાનું કાર્ય ખૂબ જ પડકારજનક છે અને તેના માટે કોલ્ડ સ્ટોરેજની જરૂર હોય છે. જો સરકાર બજેટમાં આ વસ્તુ માટે અલગથી ફાળવણી કરે તો કોવિડનું સંચાલન અને રસીનો બગાડ અટકાવવામાં મદદ મળશે. કોઈપણ રસીકરણ અભિયાનની સફળતા માટે વિશ્વસનીય કોલ્ડ સ્ટોરેજ સાંકળ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો સરકાર કોલ્ડ સ્ટોરેજ ચેઈન બનાવવા માટે જીએસટીમાં થોડી છૂટછાટ આપે તો ઘણી કંપનીઓ આ કામ માટે આગળ આવે અને રસીઓની જાળવણીની સમસ્યા હલ થઈ જાય. અત્યારે આ કામ માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે. પરંતુ જો બજેટમાં આ માટે વિશેષ વ્યવસ્થાપન કરવામાં આવે અને કોલ્ડ ચેઇન સંબંધિત આયાત ડ્યૂટી ઘટાડવામાં આવે તો દેશમાં જ તેના ઉત્પાદનને વેગ મળી શકે છે.

આ પગલાથી ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહનો સુધારવામાં મદદ મળશે. દેશમાં જ વિશ્વ કક્ષાની મેડિકલ કોલ્ડ ચેઈન બનશે અને દેશની ક્ષમતા અને આ ઉદ્યોગમાં તેજી જોવા મળશે. તેનાથી રોજગાર વધારવામાં પણ મદદ મળશે.

આ પણ વાંચો : Budget 2022: દેશમાં નિકાસ વધારવા માટે સરકારે લેવા જોઈએ પગલા, નિકાસકારોની નાણામંત્રી પાસે આ છે માંગણીઓ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">