Budget 2022: દેશમાં નિકાસ વધારવા માટે સરકારે લેવા જોઈએ પગલા, નિકાસકારોની નાણામંત્રી પાસે આ છે માંગણીઓ

નિકાસકારોએ આવતા અઠવાડિયે રજૂ થનારા બજેટમાં સરકારને નિકાસની દિશામાં જરૂરી પગલાં ભરવાની વિનંતી કરતાં કહ્યું છે કે ઘણી પ્રોડક્ટ્સ પરની કસ્ટમ્સ ડ્યુટી દૂર કરવાની પણ જરૂર છે.

Budget 2022: દેશમાં નિકાસ વધારવા માટે સરકારે લેવા જોઈએ પગલા, નિકાસકારોની નાણામંત્રી પાસે આ છે માંગણીઓ
Budget expectations
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 11:58 PM

Budget 2022: નિકાસકારોએ (Exporters) આવતા અઠવાડિયે રજૂ થનારા બજેટમાં સરકારને નિકાસની દિશામાં જરૂરી પગલાં ભરવાની વિનંતી કરતાં કહ્યું છે કે ઘણી પ્રોડક્ટ્સ પરની કસ્ટમ્સ ડ્યુટી દૂર કરવાની પણ જરૂર છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) એ બજેટમાંથી તેની અપેક્ષાઓનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આઉટબાઉન્ડ કન્સાઈનમેન્ટની સંખ્યા વધારવા માટે ઘણા પગલાં લેવા જોઈએ. આ સાથે તેમણે પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારવાની જરૂરિયાત પણ જણાવી છે. નિકાસકારોનું સંગઠન બજેટમાં લોજિસ્ટિક્સ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે નાણાકીય પ્રોત્સાહનો આપવા અને એમએસએમઈને ટેકો આપવા માટે ભાગીદારી અને એલએલપી પર આવકવેરો કાપવાની પણ માગ કરી છે. ફીયોના મતે નિકાસ ક્ષેત્ર વધતા નૂર ખર્ચ અને વૈશ્વિક શિપિંગ કંપનીઓ પર નિર્ભરતાને કારણે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ફેડરેશને મોટી ભારતીય કંપનીઓને વૈશ્વિક માપદંડોની ભારતીય શિપિંગ ચેઇન બનાવવા માટે હાકલ કરી છે.

ટેક્સમાં વધુ છૂટ આપવાની માગ

ફીઓના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે નિકાસકારો, ખાસ કરીને એમએસએમઈ માટે વિદેશી બજારો મોટો પડકાર છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીયકરણ માટે આપણે ડબલ ટેક્સ ડિડક્શન સ્કીમ લાવવાની જરૂર છે જેમાં 5 લાખ રૂપિયાની આવક મર્યાદા રાખવામાં આવે.

ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શારદા કુમાર સર્રાફે જણાવ્યું હતું કે નિકાસ માર્કેટિંગમાં મદદ કરવા માટે સરકારે રિફંડ ઓફ ડ્યુટી એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટ પ્રોડક્શન (RODTEP) સ્કીમનો વિસ્તાર કરવો જોઈએ. તેમના મતે, હાલમાં આ માટે અંદાજે 40,000 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી છે, જે અપૂરતી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પ્લાસ્ટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અરવિંદ ગોએન્કાએ પોલિમરની તુલનાએ પ્લાસ્ટિકની બનેલી પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી ઓછામાં ઓછી પાંચ ટકા વધારે રાખવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત, કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ સૂચન કર્યું છે કે સરકારે આગામી સામાન્ય બજેટમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ ફરજિયાત બે ટકા ઉપરાંત એક ટકાની વધારાની જોગવાઈ કરવી જોઈએ.

આ પગલાથી કંપનીઓને કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ આપવા માટે પ્રોત્સાહિત કરી શકાશે. સીઆઈઆઈએ રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે મહામારીને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરે, કારણ કે કોરોના વાયરસના ઓમીક્રોન વેરીઅન્ટને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા બહુ વધારે નથી.

આ પણ વાંચો : Budget 2022: સ્ટાર્ટઅપ્સ અને ફિનટેક ક્ષેત્રે પ્રોત્સાહન ચાલુ રાખે સરકાર, પાછલા વર્ષોમાં થઈ છે જબરદસ્ત વૃદ્ધિ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">