ગુજરાતમાં અદાણી ગેસે CNGમાં 3.48 રૂપિયાનો કર્યો ઘટાડો, મુંબઈ મહાનગર ગેસે પ્રતિ કિલોએ 6 રૂપિયાનો ઘટાડો કરી ગ્રાહકોને આપી રાહત

ગુજરાતમાં વાહનોમાં વપરાતા CNG અને ઘરેલુ વપરાશમાં લેવાતા PNGના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 52.55 ટકાનો વધારો થયો છે. આ ભાવ વધારા પાછળ કંપનીઓ દ્વારા આયાતી ગેસ મોંઘો હોવાનુ કારણ આપવામાં આવે છે હવે કેન્દ્ર સરકારે આયાત ખર્ચ ઘટાડ્યો હોવા છતા કંપનીઓ દ્વારા ગ્રાહકોને કોઈ રાહત અપાતી નથી.

ગુજરાતમાં અદાણી ગેસે CNGમાં 3.48 રૂપિયાનો કર્યો ઘટાડો, મુંબઈ મહાનગર ગેસે પ્રતિ કિલોએ 6 રૂપિયાનો ઘટાડો કરી ગ્રાહકોને આપી રાહત
CNG, PNG
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 2:51 PM

હાલ મોંઘવારીએ માઝા મુકી છે. જીવન જરૂરિયાતની તમામ ચીજોના ભાવ આસમાને છે. જેમા દૂધ, શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, ઘી, વાહનોમાં વપરાતા પેટ્રોલ, ડીઝલ સહિતની દરેકે દરેક વસ્તુઓના ભાવ ભડકે ભળી રહ્યા છે ત્યારે સામાન્ય માનવીને ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. ઉપરાંત રાંધણગેસના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. આટલુ ઓછુ હોય તેમ પાઈપ્ડ નેચરલ ગેસ(PNG) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ગેસના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં તોતિંગ વધારો થયો છે. મોંઘી આયાત(Import)ના નામે કંપનીઓ સતત ભાવ વધારતી રહે છે. ગુજરાતમાં CNG અને PNG ગેસમાં કંપનીઓ સતત વધારો કરી રહી છે તો બીજી તરફ મુંબઈ મહાનગર ગેસે CNGના ભાવમાં કિલોએ 6 રૂપિયા ઘટાડી મુંબઈની જનતાને રાહત આપી છે. જેની સામે ગુજરાતમાં અદાણી ગેસ કંપનીએ CNGમાં  3.48 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

11 મહિનામાં CNG, PNGના ગેસમાં 52.55 ટકાનો વધારો

ખાસ કરીને અમદાવાદમાં CNGના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. જૂલાઈ 2021ની જો વાત કરીએ તો જે CNG ગેસનો ભાવ ગુજરાતમાં 56 રૂપિયા હતો તે ઓગષ્ટમાં વધીને 85.89 રૂપિયા થઈ ગયો છે. રાંધણગેસમાં વપરાશમાં લેવાતા પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)નો ભાવ ગત વર્ષે 915 પ્રતિ મિલિયન મેટ્રિક બ્રિટીશ થર્મલ યુનિટ હતા જે અત્યારે 68 ટકા વધી 1542 રૂપિયા થઈ ગયા છે.

મુંબઈ મહાનગર ગેસ કંપનીએ પ્રતિ કિલોએ 6 રૂપિયા ઘટાડી ગ્રાહકોને રાહત આપી

કંપનીઓ દ્વારા આયાત ખર્ચ વધુ હોવાથી ભાવ વધારો કરવામાં આવ્યો તેવો દાવો કરવામાં આવે છે. ખરેખર તો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા 12 ઓગષ્ટે જ આદેશ જારી કરી સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગોને બદલે ઘરેલુ વપરાશ માટે પાઈપ્ડ નેચરલ ગેસ અને વાહનોમાં વપરાતા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ માટે વિતરકોને ફાળવવા આદેશ કર્યો હતો. આ આદેશને પગલે મુંબઈ મહાનગર અને રત્નાગીરી વિસ્તારમાં ગેસનું વેચાણ કરતી મહાનગર ગેસ લિમીટેડે પ્રતિ કિલોએ 6 રૂપિયા ઘટાડી 80 રૂપિયા પ્રતિ કિલો કરવાની જાહેરાત કરી છે. જેની સામે અદાણી ગેસ CNGમાં 3.48 રૂપિયા ઘટા઼ડ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કેન્દ્ર સરકારે આયાત ખર્ચ ઘટાડ્યો હોવા છતા ગુજરાતમાં ગેસ કંપનીઓની મનમાની

વૈશ્વિક બજારોમાં પણ ગેસના ભાવમાં 70 ટકા વધારા બાદ ગ્રાહકો પર પડેલા બોજને કારણે કેન્દ્ર સરકારને આ પગલુ લેવાની ફરજ પડી હતી. જો કે કેન્દ્ર સરકારની આ જાહેરાતના એક સપ્તાહ બાદમાં ગુજરાતમાં ગેસ કંપનીઓએ આવો કોઈ ભાવ ઘટાડો કરી ગ્રાહકોને રાહત આપી નથી. વારંવાર કંપનીઓ આયાતી ગેસ મોંઘો હોવાનુ બહાનુ ધરી સતત ભાવવધારો કરતી આવી છે. ગુજરાતમાં છેલ્લા 1 ઓગષ્ટે ગુજરાતમાં વાહનોમાં વપરાતા CNG અને ઘરેલુ વપરાશના PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. બંને ગેસનો મળીને રાજ્યવાસીઓ પર 52.55 ટકા જેટલો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.

હાલ ખુદ સરકારે સસ્તા ગેસની ઉપલબ્ધી વધારી છે તો ગુજરાતના ગ્રાહકોને પણ ઘટેલી પડતર કિંમતનો લાભ મળવો જોઈએ. જેના એક સપ્તાહ બાદ કંપનીએ ઘટાડાની જાહેરાત કરી છે. જે મુંબઈ કરતા તો અડધી જ છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 11 મહિનામાં કટકે કટકે કરાયેલા ભાવવધારા હેઠળ 52.55 ટકા જેટલો ભાવવધારો ગ્રાહકો પર ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદમાં ભાવ વધારા બાદ CNGનો ભાવ પ્રતિ કિલોએ 85.89 રૂપિયા છે જે વાહનવ્યવહારમાં વપરાતા પેટ્રોલ-ડીઝલની સરખામણીએ માત્ર 6 રૂપિયા જ ઓછો છે. CNG મોંઘો થતા વાહનભાડામાં પણ વધારો થયો છે જેનો બોજો જનતા પર પડી રહ્યો છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">