એર ઈન્ડિયા બાદ બીજી કંપની ખાનગી હાથમાં, સરકારે આ કંપનીને 210 કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી

માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટની વૈકલ્પિક પદ્ધતિમાં સામેલ છે.

એર ઈન્ડિયા બાદ બીજી કંપની ખાનગી હાથમાં, સરકારે આ કંપનીને 210 કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:52 PM

સરકારે સોમવારે સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (Central Electronics Limited)ને નંદલ ફાયનાન્સ એન્ડ લીઝિંગ (Nandal Finance and Leasing)ને 210 કરોડમાં વેચવાની મંજૂરી આપી છે. એર ઈન્ડિયા પછી સરકાર દ્વારા આ બીજી વ્યૂહાત્મક હિસ્સાનું વેચાણ છે. હાલમાં સરકારે એર ઈન્ડિયાના સંચાલનની જવાબદારી ટાટાને આપી છે અને તેની પૂરી પ્રક્રિયા ઝડપી જ પૂરી થવાની છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક વૈકલ્પિક પદ્ધતિ હેઠળ સૌથી ઉંચી બોલી લગાવનારી કંપની નંદલ ફાયનાન્સ એન્ડ લીઝિંગ પ્રાઈવેટ લિમિટેડને સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં સરકારની 100 ભાગીદારી વેચવાની મંજૂરી આપવામાં આવી. CEL એક સરકારી ઉપક્રમ છે, જે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ અથવા DSIR હેઠળ આવે છે. નંદલ ફાયનાન્સે સૌથી વધુ 210 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.

માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહ વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટની વૈકલ્પિક પદ્ધતિમાં સામેલ છે. એક ન્યૂઝ એજન્સી મુજબ CEL માટે બે કંપનીઓએ બોલી લગાવી હતી, નંદલ ફાયનાન્સે 210 કરોડ રૂપિયા અને જેપીએમ ઈન્ડસ્ટ્રીઝે 190 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી પણ નંદલ ફાયનાન્સ એન્ડ લીઝિંગનીન બોલી ઉંચી રહી, તેથી સીઈએલને તેના નામ પર મંજૂરી આપવાનો નિર્ણય થયો. નંદલ ફાયનાન્સે જે બોલી લગાવી છે, તે રિઝર્વ પ્રાઈસથી પણ વધારે છે, સરકારી નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે.

સરકારે પહેલા આપી દીધી હતી જાણકારી

નાણા મંત્રાલયે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં કહ્યું હતું કે તેમને સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં સરકારના 100 ટકા હિસ્સાના વેચાણ માટે નાણાકીય બિડ મળી છે. તેના વિશે DIPAM સેક્રેટરી તુહીન કાંત પાંડેએ એક ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે તે સમયે તેમને જણાવ્યું નહતુ કે કેટલી કંપનીઓ તરફથી બિડ મળી હતી.

સોમવારે સરકારે જણાવ્યું કે નંદલ ફાયનાન્સે 210 કરોડ રૂપિયાની અને જેપીએમ ઈન્ડસ્ટ્રીઝે 190 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ત્યારબાદ નંદલ ફાયનાન્સની બોલી ઉંચી હોવાના કરાણે તેને CEL વેચવાની મંજૂરી આપવામાં આવી હતી.

જાણો CEL વિશે

સીઈએલની સ્થાપના 1974માં કરવામાં આવી હતી. નેશનલ લેબોરેટરીઝ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યૂશન દ્વારા દેશમાં તૈયાર ટેક્નોલોજીનો ઉપયોગ વધારેમાં વધારે કેવી રીતે કરી શકીએ તેની જવાબદારી CELને આપવામાં આવી હતી. CEL દેશમાં સોલર ફોટોવોલ્ટિકના ક્ષેત્રમાં અગ્રણી છે. જેને 1977માં ભારતની પ્રથમ સોલર સેલ અને 1978માં પ્રથમ સોલર પેનલ વિકસિત કરવાની સાથે સાથે 1992માં ભારતનો પ્રથમ સોલર પ્લાન્ટ ચાલુ કરવાનું ગૌરવ પ્રાપ્ત છે.

કંપનીએ 2015માં ખાસ કરીને પેસેન્જર ટ્રેનની છત પર ઉપયોગ કરવા માટે પ્રથમ ક્રિસ્ટલ ફ્લેક્સિબલ સોલર પેનલ્સ વિકસાવી અને તેનું ઉત્પાદન કર્યું. તેની સોલાર પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય ધોરણોની છે. CEL રેલવે સેક્ટરમાં સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન માટે નવા અને અદ્યતન ઉત્પાદનોની શ્રેણીના વિકાસ પર આગળ કામ કરી રહી છે.

આ પણ વાંચો: કૃષિ બિલ મંજૂર થયા બાદ હવે 750 ખેડૂતોના મૃત્યુ અને MSPનો મુદ્દો ઉઠાવવામાં આવશે: રાકેશ ટિકૈતનું નિવેદન

આ પણ વાંચો: આગામી 3 દિવસ દરમિયાન હવામાનમાં થશે ફેરફાર, ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">