કૃષિ બિલ મંજૂર થયા બાદ હવે 750 ખેડૂતોના મૃત્યુ અને MSPનો મુદ્દો ઉઠાવવામાં આવશે: રાકેશ ટિકૈતનું નિવેદન

રાકેશ ટિકૈતે કહ્યું કે, વિરોધ હાલ ચાલુ રહેશે કારણ કે MSP સહિતના અન્ય મુદ્દાઓ હજુ પેન્ડિંગ છે. સરકારે કૃષિ કાયદાને રદ્દ કર્યા હોવા છતાં, તેનાથી ખેડૂતોની સમસ્યાઓનો અંત આવ્યો નથી.

કૃષિ બિલ મંજૂર થયા બાદ હવે 750 ખેડૂતોના મૃત્યુ અને MSPનો મુદ્દો ઉઠાવવામાં આવશે: રાકેશ ટિકૈતનું નિવેદન
Rakesh Tikait
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:31 PM

ભારતીય કિસાન યુનિયનના (BKU) નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 એ તમામ 750 ખેડૂતોને શ્રદ્ધાંજલિ છે, જેમણે આંદોલન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગત નવેમ્બરથી દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ટિકૈતે કહ્યું હતું કે, સરકાર ઈચ્છે છે કે દેશમાં કોઈ વિરોધ પ્રદર્શન ન થાય, પરંતુ અમે એમએસપી (MSP) અને અન્ય મુદ્દાઓના સમાધાન પહેલાં પાછળ હટીશું નહીં.

ત્રણેય કૃષિ કાયદાઓને (Farm Laws) રદ કરવાના ભારત સરકારના નિર્ણય પર ટિકૈટે કહ્યું, આ કાળા કાયદા એક રોગ હતો. હવે જો આ બિલ પર રાષ્ટ્રપતિની મહોર લાગી જશે તો તે ખતમ થઈ જશે. તે પછી, સરકાર જ્યાં બોલાવશે ત્યાં અમે વાત કરવા માટે ત્યાં જઈશું. તેમણે વધુમાં કહ્યું, રાષ્ટ્રપતિએ બિલને મંજૂરી આપ્યા પછી, અમે 750 ખેડૂતોના મૃત્યુ, MSP રદ કરવા અને ખેડૂતો પર નોંધાયેલા કેસ જેવા અન્ય મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચા કરીશું.

MSP કાયદા સામે ખેડૂતોનો વિરોધ ચાલુ રહેશે રાકેશ ટિકૈતે કહ્યું કે, વિરોધ હાલ ચાલુ રહેશે કારણ કે MSP સહિતના અન્ય મુદ્દાઓ હજુ પેન્ડિંગ છે. ટિકૈટે કહ્યું, સરકારે કૃષિ કાયદાને રદ્દ કર્યા હોવા છતાં, તેનાથી ખેડૂતોની (Farmers) સમસ્યાઓનો અંત આવ્યો નથી. કારણ કે સરકાર જુદા જુદા ખેડૂત વિરોધી કાયદા લાવવાનો પ્રયાસ કરી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

લોકસભાએ આજે ​​ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટેનું બિલ પસાર કર્યું હતું. આ બિલ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રજૂ કર્યું હતું. ખેડૂતો છેલ્લા એક વર્ષથી આ કાયદાનો વિરોધ (Farmers Protest) કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિના દિવસે 19 નવેમ્બરે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે જાહેરાત કરી હતી કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પાછી ખેંચી લેશે.

જાહેરાત કરવાની સાથે વડાપ્રધાને ખેડૂતોને પોતપોતાના ઘરે પાછા ફરવાનું પણ આહ્વાન કર્યું હતું. પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ કાયદા ખેડૂતોના હિતમાં છે અને સરકાર સ્પષ્ટ હૃદય અને સ્પષ્ટ ઈરાદા હોવા છતાં ખેડૂતોના એક વર્ગને આ સમજાવી શકી નથી.

આ પણ વાંચો : આગામી 3 દિવસ દરમિયાન હવામાનમાં થશે ફેરફાર, ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો : Omicron Variant: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ અંગે WHO એ ‘હાઈ રિસ્ક’ ચેતવણી જાહેર કરી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">