AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષિ બિલ મંજૂર થયા બાદ હવે 750 ખેડૂતોના મૃત્યુ અને MSPનો મુદ્દો ઉઠાવવામાં આવશે: રાકેશ ટિકૈતનું નિવેદન

રાકેશ ટિકૈતે કહ્યું કે, વિરોધ હાલ ચાલુ રહેશે કારણ કે MSP સહિતના અન્ય મુદ્દાઓ હજુ પેન્ડિંગ છે. સરકારે કૃષિ કાયદાને રદ્દ કર્યા હોવા છતાં, તેનાથી ખેડૂતોની સમસ્યાઓનો અંત આવ્યો નથી.

કૃષિ બિલ મંજૂર થયા બાદ હવે 750 ખેડૂતોના મૃત્યુ અને MSPનો મુદ્દો ઉઠાવવામાં આવશે: રાકેશ ટિકૈતનું નિવેદન
Rakesh Tikait
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:31 PM
Share

ભારતીય કિસાન યુનિયનના (BKU) નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 એ તમામ 750 ખેડૂતોને શ્રદ્ધાંજલિ છે, જેમણે આંદોલન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગત નવેમ્બરથી દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ટિકૈતે કહ્યું હતું કે, સરકાર ઈચ્છે છે કે દેશમાં કોઈ વિરોધ પ્રદર્શન ન થાય, પરંતુ અમે એમએસપી (MSP) અને અન્ય મુદ્દાઓના સમાધાન પહેલાં પાછળ હટીશું નહીં.

ત્રણેય કૃષિ કાયદાઓને (Farm Laws) રદ કરવાના ભારત સરકારના નિર્ણય પર ટિકૈટે કહ્યું, આ કાળા કાયદા એક રોગ હતો. હવે જો આ બિલ પર રાષ્ટ્રપતિની મહોર લાગી જશે તો તે ખતમ થઈ જશે. તે પછી, સરકાર જ્યાં બોલાવશે ત્યાં અમે વાત કરવા માટે ત્યાં જઈશું. તેમણે વધુમાં કહ્યું, રાષ્ટ્રપતિએ બિલને મંજૂરી આપ્યા પછી, અમે 750 ખેડૂતોના મૃત્યુ, MSP રદ કરવા અને ખેડૂતો પર નોંધાયેલા કેસ જેવા અન્ય મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચા કરીશું.

MSP કાયદા સામે ખેડૂતોનો વિરોધ ચાલુ રહેશે રાકેશ ટિકૈતે કહ્યું કે, વિરોધ હાલ ચાલુ રહેશે કારણ કે MSP સહિતના અન્ય મુદ્દાઓ હજુ પેન્ડિંગ છે. ટિકૈટે કહ્યું, સરકારે કૃષિ કાયદાને રદ્દ કર્યા હોવા છતાં, તેનાથી ખેડૂતોની (Farmers) સમસ્યાઓનો અંત આવ્યો નથી. કારણ કે સરકાર જુદા જુદા ખેડૂત વિરોધી કાયદા લાવવાનો પ્રયાસ કરી રહી છે.

લોકસભાએ આજે ​​ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટેનું બિલ પસાર કર્યું હતું. આ બિલ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રજૂ કર્યું હતું. ખેડૂતો છેલ્લા એક વર્ષથી આ કાયદાનો વિરોધ (Farmers Protest) કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિના દિવસે 19 નવેમ્બરે રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે જાહેરાત કરી હતી કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પાછી ખેંચી લેશે.

જાહેરાત કરવાની સાથે વડાપ્રધાને ખેડૂતોને પોતપોતાના ઘરે પાછા ફરવાનું પણ આહ્વાન કર્યું હતું. પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ કાયદા ખેડૂતોના હિતમાં છે અને સરકાર સ્પષ્ટ હૃદય અને સ્પષ્ટ ઈરાદા હોવા છતાં ખેડૂતોના એક વર્ગને આ સમજાવી શકી નથી.

આ પણ વાંચો : આગામી 3 દિવસ દરમિયાન હવામાનમાં થશે ફેરફાર, ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો : Omicron Variant: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ અંગે WHO એ ‘હાઈ રિસ્ક’ ચેતવણી જાહેર કરી

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">