રુપાલાના વિરોધનો વંટોળ પહોંચ્યો કચ્છ, વિનોદ ચાવડા સામે પણ ક્ષત્રિયોએ દેખાડ્યા કાળા વાવટા

કચ્છના ગાંધીધામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો પ્રચાર કાર્યક્રમ નક્કી કરાયેલ હતો. અંતરજાળમાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ દર્શાવાયો હતો. વિનોદ ચાવડાના પ્રચાર કાર્યક્રમમા ક્ષત્રિય સમાજે  વિરોધ નોંધાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2024 | 3:42 PM

લોકસભાની રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રુપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામા આવી રહ્યો છે. ક્ષત્રિયોના આ વિરોધનો વંટોળ કચ્છમાં પહોચ્યો છે. પરશોત્તમ રૂપાલાની સાથોસાથ લોકસભાની કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે પણ કાળા વાવટા દેખાડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

કચ્છના ગાંધીધામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો પ્રચાર કાર્યક્રમ નક્કી કરાયેલ હતો. અંતરજાળમાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ દર્શાવાયો હતો. વિનોદ ચાવડાના પ્રચાર કાર્યક્રમમા ક્ષત્રિય સમાજે  વિરોધ નોંધાવ્યો હતો. કચ્છના ગાંધીધામના અંતરજાળમાં ક્ષત્રિય સમાજના એકઠા થયેલા આગેવાનોએ, પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ નારા લગાવ્યા હતા. જો કે ચૂંટણી દરમિયાન કોઈ અન્ય અપ્રિય ઘટના આકાર ના પામે તે માટે કચ્છ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ અગાઉ કચ્છના વિવિધ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાનો વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજની માગ છે કે, રાજકોટ લોકસભા બેઠક પરથી પરશોત્તમ રુપાલાને પડતા મુકવામાં આવે. ક્ષત્રિય સમાજના આંદોલનને થાળે પાડવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. અગાઉ ગત સપ્તાહની માફક આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના અગ્રણી નેતાઓની બેઠકનું આયોજન કરાયું છે.

Follow Us:
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
g clip-path="url(#clip0_868_265)">