સુરત : રખડતાં શ્વાનનો વધ્યો આતંક, દરરોજ 30 થી વધુ લોકો હુમલાનો શિકાર બને છે, જુઓ વીડિયો

સુરતમાં દિવસે દિવસે રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તે જતા રાહદારીઓ રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે.સુરતની સિવિલ હોસ્પિટલમાં દૈનિક 100થી 120 શ્વાન કરડવાના કેસ નોંધાઇ રહ્યા છે. અચાનક જ રસ્તે જતા રાહદારીઓ પર શ્વાન ત્રાટકે છે અને કરી દે છે અને કેટલાક કિસ્સાઓમાં જીવલેણ હુમલો થાય છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 06, 2024 | 11:39 AM

સુરતમાં દિવસે દિવસે રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તે જતા રાહદારીઓ રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે.સુરતની સિવિલ હોસ્પિટલમાં દૈનિક 100થી 120 શ્વાન કરડવાના કેસ નોંધાઇ રહ્યા છે. અચાનક જ રસ્તે જતા રાહદારીઓ પર શ્વાન ત્રાટકે છે અને કરી દે છે અને કેટલાક કિસ્સાઓમાં જીવલેણ હુમલો થાય છે.

શહેરના ગીચ વસ્તી ધરાવતા પાંડેસરા, ભેસ્તાન, વરાછા, કતારગામ જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા છે. શહેરીજનો શ્વાનના ત્રાસથી રીતસર ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે આ સમસ્યામાંથી તેમને તંત્ર મુક્તિ અપાવે.

રખડતા શ્વાનના હુમલામાં 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. પાંડેસરાના સિદ્ધાર્થ નગરમાં રહેતી બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે ઘટના બની હતી.

સુરત સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અહીં દૈનિક નવા 30થી 35 અને જૂના 55થી 60 કેસ નોંધાય છે.એટલે કે દરરોજ શ્વાન કરડવાના 100થી વધુ કેસ સુરતમાં નોંધાય છે. સ્થિતિ એટલી સ્ફોટક છે કે સિવિલમાં એક અલાયદો વોર્ડ શ્વાન કરડવાના કેસ માટે ઉભો કરાયો છે. શ્વાન કરડવાના કેસમાં કેટેગરી મુજબ સારવાર કરવામાં આવતી હોવાનું હોસ્પિટલ સ્ટાફ જણાવી રહ્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">