અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોરનું SPG નેતા લાલજી પટેલે કર્યુ સમર્થન, ગરીબો માટે સમૃદ્ધ લોકોએ અનામતનો લાભ છોડવો જોઈએ

અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું ટકોરનું સમર્થન એસપીજી નેતા લાલજી પટેલે કર્યુ છે. લાલજી પટેલે કહ્યુ કે અનામત મેળવનાર કેટલાક લોકો તેના લાભથી સમૃદ્ધ થયા છે. ત્યારે આવા સમૃદ્ધ લોકોએ હવે ગરીબો માટે અનાતમનનો લાભ છોડવો જોઈએ. આ તરફ અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સુપ્રીમ કોર્ટની ટકોરનું સમર્થન કરતા કહ્યુ કે સુખી સમૃદ્ધ લોકોએ જાતે જ અનામતના લાભ છોડવા જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2024 | 11:47 PM

એકતરફ દેશમાં OBC અનામતને લઈને રાજનીતિ તેજ થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટે અનામતને લઈને ટકોર કરી છે કે જે જાતિને અનામતનો લાભ મળ્યો છે તેને હવે લાભ છોડવો જોઈએ. અનામતને લાયક ન હોય તેવા ધનવાનોએ લાભ છોડવા જોઈએ. ગરીબોના લાભ માટે ધનવાનોને અનામતની શ્રેણીમાંથી બહાર આવવુ પડશે. જેને જરૂર નથી તેમણે અતિ પછાત લોકો માટે લાભ છોડવો જોઈએ. સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેંચે આ મુદ્દે કાયદાકીય પ્રશ્નોની સમીક્ષા કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટની ટકોરને SPGના અધ્યક્ષ લાલજી પટેલે સમર્થન કર્યુ છે.

લાલજી પટેલે જણાવ્યુ કે અનામત મેળવનાર કેટલાક લોકો તેના લાભથી સમૃદ્ધ થયા છે. ગરીબોના લાભ માટે ધનવાન લોકોને અનામતમાંથી બહાર કાઢવા જોઈએ. સમૃદ્ધ લોકોએ અનામતનો લાભ સમાજના ગરીબ વર્ગ માટે છોડવો જોઈએ. લાલજી પટેલે વધુમાં જણાવ્યુ કે બાબાસાહેબ આંબેડકર ગરીબ સમાજને સમૃદ્ધ કરવા અનામત લાવ્યા હતા. હવે સમૃદ્ધ લોકોએ જાતે જ અનામતનો લાભ છોડી દેવો જોઈએ

આ પણ વાંચો: રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીના પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીએ માત્ર PM પર નહીં, પરંતુ તૈલી સમાજ પર પ્રહાર કર્યો છે

આ તરફ અરવલ્લીના બાયડથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ આ અંગે જણાવ્યુ છે કે સુખી સમૃદ્ધ લોકોએ જાતે જ અનામતનો લાભ છોડવો જોઈએ. ધવલસિંહ ઝાલાએ જણાવ્યુ કે જ્યા જરૂર ન હોય ત્યાં અનામતનો લાભ ન લેવો જોઈએ. જેથી અન્ય સમાજના ગરીબ વર્ગને તેનો લાભ મળી શકે, ગરીબ વર્ગને શિક્ષણ મળવાથી તેનો વિકાસ થશે અને તેઓ આગળ આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">