અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ, શક્તિપીઠ અંબાજીની યશકલગીમાં થયો વધારો- Video

બનાસકાંઠામાં આવેલ અંબાજી ધામ શક્તિપીઠ માટે તો પ્રસિદ્ધ છે જ પણ સાથે જ અહીં મળતો વિશેષ પ્રકારનો "આરસપહાણ" પત્થર એટલે કે માર્બલ પણ એક આગવી જ ઓળખ ધરાવે છે. હવે આ ઓળખમાં વધુ એક યશકલગી ઉમેરાતા તેને "GI ટેગ" પ્રાપ્ત થયો છે. એટલે કે "જીઓ ગ્રાફિકલ ઈન્ડીકેશન"માં અંબાજીના માર્બલને સ્થાન મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2024 | 6:57 PM

અંબાજીનો માર્બલ ઉદ્યોગ આમ તો સમગ્ર વિશ્વમાં નામના ધરાવે છે પરંતુ હવે તેને GI ટેગ દ્વારા એક નવી જ ઓળખ પ્રાપ્ત થઈ છે. અંબાજીમાં મળતો આરસપહાણ પથ્થરને જીઓ ગ્રાફિકલ ઈન્ડીકેશનની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે. “GI ટેગ” એ ઉચ્ચ ગુણવત્તાની સાબિતી આપે છે. ત્યારે વર્ષોની મહેનત બાદ આ ટેગ મેળવવામાં સફળતા મળતા માર્બલના ઉદ્યોગકારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

આપને જણાવી દઈએ કે શક્તિપીઠ અંબાજીનું મંદિર પણ આ જ માર્બલથી નિર્માણ પામ્યું છે. તો દેશથી લઈ વિદેશ સુધી અનેક કલાત્મક મંદિરોનું નિર્માણ અંબાજીના આરસપહાણથી જ પરિપૂર્ણ થયું છે. હાલ દિલ્લીમાં બની રહેલી અમેરિકન એમ્બેસીમાં પણ અંબાજી માર્બલ જ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.

ગુજરાતમાં માર્બલની ખાણો એકમાત્ર અંબાજીમાં જ છે. અંબાજીના માર્બલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કેલ્શિયમની માત્રા વધારે છે. અને સાથે જ તે મજબૂત પણ છે. આ આરસપહાણમાં સિલિકોન ઓક્સાઈડ અને કેલ્શ્યિમ ઓક્સાઈડ જેવા તત્વો તેનું સકારાત્મક પાસું છે. અંબાજીમાં 1 હજારથી 1200 વર્ષ પ્રાચીન માર્બલની ખાણો આવેલી છે.  અંબાજીના માર્બલનું આયુષ્ય ઘણું લાંબુ અને ટકાઉ મનાય છે.

આ પણ વાંચો: અમદાવાદની કેટલીક શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકી બાદ શિક્ષણવિભાગ થયુ સતર્ક, શાળા પરિસરમાં સુરક્ષાકર્મીને રખાશે તૈનાત- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">