જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત, દિલીપદાસજીના એક નિવેદનથી ફેલાઈ હતી નારાજગી- Video

અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળવાની છે એ પહેલા દિલીપદાસજીના એક નિવેદનથી ખલાસી બંધુઓમાં નારાજગી ફેલાઈ હતી. જો કે વિવાદ વધુ વકરે એ પહેલા જ પોલીસે બેઠક યોજી વિવાદનો અંત લાવ્યો છે. મંદિરના ટ્રસ્ટીગણ અને ખલાસી સમાજની પોલીસની મધ્યસ્થીમાં બેઠક મળી હતી.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jun 24, 2024 | 5:01 PM

અમદાવાદમાં વર્ષોથી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે ભગવાનની 147મી રથયાત્રા યોજાવાની છે. એ પૂર્વે પૂરજોશમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જો કે આ રથયાત્રા પૂર્વે ખલાસીબંધુઓનો એક વિવાદ સામે આવ્યો છે. મંદિરના મહંત દિલીપદાસજીના નિવેદન બાદ ખલાસીઓમાં નારાજગી ફેલાઈ હતી. દિલીપદાસજીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમા તેઓ એવુ બોલ્યા હતા કે માત્ર ખલાસીઓ જ રથ ખેંચે એવુ નથી.આ નિવેદન બાદ ખલાસી બંધુઓમાં નારાજગી ફેલાઈ હતી.

પોલીસની મધ્યસ્થતામાં મંદિરના ટ્રસ્ટીગણ અને ખલાસીઓની મળી બેઠક

આ વિવાદ વધુ વકરે એ પહેલા જ પોલીસની મધ્યસ્થીમાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી ગણ અને ખલાસી બંધુઓની બેઠક મળી હતી. આ બેઠકમાં સમગ્ર વિવાદ પર ઠંડુ પાણી રેડી દેવાયુ છે અને વિવાદનો સુખદ અંત લવાયો છે. આ બેઠક બાદ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યુ હતુ કે ખલાસીઓનો કોઈ વિવાદ પહેલા પણ ન હતો અને હાલ પણ નથી. આ ખલાસીઓ ભગવાનના સેવકો છે અને વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ખૂબ સારી રીતે સહભાગી થશે. રથયાત્રાને લઈને કોઈ વિવાદ કે વિખવાદને સ્થાન જ નથી.

અમે 146 વર્ષથી ભગવાનના રથના ખલાસી છીએ- મફતલાલ ખલાસી

જોકે ચર્ચા એવી પણ છે કે દિલીપદાસજીના નિવેદનથી નારાજ થયેલા કેટલાક ખલાસીઓ શનિવારે રાત્રે પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા.આ અંગે ખલાસી આગેવાન મફતલાલ ખલાસીના જણાવ્યા મુજબ થોડો વિવાદ અને નારાજગી જેવુ હતુ, પરંતુ હાલ કોઈ નારાજગી છે નથી અને 146 વર્ષથી અમે જ ભગવાનનો રથ ખેંચતા આવ્યા છીએ અને આ વર્ષે પણ અમે જ રથ ખેંચવાના. એ અમારો હક્ક છે. અને હાલ કોઈ વિવાદ પણ નથી, એમ તેમણે સ્પષ્ટ જણાવ્યુ હતુ.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">