નવસારીના હસમુખ પંચાલે 1500 ગામોની પીવાના પાણીની સમસ્યાનું લાવ્યુ સમાધાન, મળો અનોખા વોટરમેનને- Video

નવસારીના હસમુખ પંચાલ વોટરમેન તરીકે નામના પામ્યા છે. તેમણે 1500થી વધુ ગામોની પીવાના પાણીની સમસ્યાનુ સમાધાન લાવી સમસ્યા દૂર કરવાનુ કામ કર્યુ છે. પીવાના પાણીની સમસ્યા દૂર કરનારા આ વ્યક્તિને હવે લોકો તેના સાચા નામથી નહીં પરંતુ વોટરમેનથી જ ઓળખે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2024 | 7:15 PM

આજના જમાનામાં લોકો અનેક રીતે સેવા કાર્યોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે આવા જ એક વ્યક્તિની વાત કરીએ.. જેમણે 1500થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે…જેમણે વોટરમેન તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. 80 વર્ષના આ વ્યક્તિ હસમુખ પંચાલ કે જેમણે છેલ્લાં 21 વર્ષથી કામ કરી 1500થી વધુ ગામોમાં કૂવા અને પાણીના બોર બનાવી આપ્યા છે. વોટરમેન હસમુખ પંચાલ નવસારીમાં શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના નામે ભગવાન સત્ય સાંઈ પીવાના પાણીનો પ્રોજેક્ટ ચલાવે છે…પાણીની સમસ્યા દૂર કરનાર હસમુખ પંચાલને લોકો તેમના કામ મુજબ વોટરમેન તરીકે ઓળખે છે.

શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ કડોલી-મરોલી વિભાગે ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટમાં પીવાના પાણીની સમસ્યા ધરાવતા ગામોમાં કૂવા કે બોરવેલ બનાવી તેની સાથે ટાંકી લગાવી દેવામાં આવે છે. જેથી પાણીની સમસ્યાથી હંમેશ માટે છૂટકારો મળી જાય છે. મહત્વનું છે કે આ પ્રોજેક્ટમાં ગ્રામજનો પાસેથી એક પણ રુપિયો લેવામાં આવતો નથી. પાણીની સુવિધા આપવાના બદલામાં ગ્રામજનો પાસે વૃક્ષારોપણ કરાવવામાં આવે છે અને વૃક્ષોનું જતન કરવાનું વચન પણ લેવામાં આવે છે. જોકે વૃક્ષારોપણમાં પણ વોટરમેન હસમુખ પંચાલ ગામના દરેક યુગલોને વિનામૂલ્યે 2 આંબાના છોડ પણ આપે છે. જે છોડ મોટું વૃક્ષ બનીને ફળ આપતા લોકોને તેમાંથી સારી આવક પણ મળી શકે.

આ પણ વાંચો: અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ, શક્તિપીઠ અંબાજીની યશકલગીમાં થયો વધારો- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">