Gujarat Weather : ગુજરાતમાં આગામી બે દિવસ ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી, જુઓ Video
રાજ્યમાં આગામી બે દિવસ સૂર્યનારાયણના આકરા પ્રકોપમાંથી ગુજરાતને આંશિક રાહત મળશે. પશ્ચિમના પવનો ફૂંકાવવાને પગલે ભેજવાળું વાતાવરણ થવાની સંભાવના છે. જેના પગલે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી (Meteorological Department) અનુસાર કાળઝાળ ગરમીની શરુઆત થઈ છે. તેવા ફરી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૂર્યનારાયણના આકરા પ્રકોપમાંથી ગુજરાતને આંશિક રાહત મળશે. પશ્ચિમના પવનો ફૂંકાવવાને પગલે ભેજવાળું વાતાવરણ થવાની સંભાવના છે. જેના પગલે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
આ પણ વાંચો : Gujarati Video : ડાંગના બિસ્માર રસ્તોઓથી ગ્રામજનોને હાલાકી, પ્રજા માટે રાજા કરશે રાજ્યપાલને રજુઆત
તો અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના છે. જો કે ત્યારબાદ અમદાવાદમાં ફરી તાપમાન વધશે વધી શકે છે. ગરમીમાં આંશિક રાહત બાદ હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટની આગાહી કરી છે.
આકરી ગરમીના લીધે રોગચાળમાં વધારો
તો બીજી તરફ અમદાવાદમાં રેકોર્ડબ્રેક ગરમીને કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે. કાળઝાળ ગરમીને કારણે ઝાડા-ઉલ્ટી, તાવ, પેટ અને માથાના દુખાવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત રોજ એક જ દિવસમાં 30થી વધુ ઝાડા-ઉલ્ટીના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો