T20 World Cup 2024 : શું ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં નહીં રમી શકે ? ICCએ હજુ સુધી આ મેચ માટે પરવાનગી આપી નથી!

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયા લીગ રાઉન્ડ પહેલા પ્રેક્ટિસ મેચ પણ રમશે. પરંતુ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચના આયોજનને લઈ સમસ્યા થઈ ગઈ છે. આવું કેમ થયું? શું છે સમસ્યા, જાણો આ આર્ટીકલમાં.

T20 World Cup 2024 : શું ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં નહીં રમી શકે ? ICCએ હજુ સુધી આ મેચ માટે પરવાનગી આપી નથી!
Rohit Sharma
Follow Us:
| Updated on: May 15, 2024 | 6:30 PM

T20 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન 2 જૂનથી શરૂ થવાનું છે અને ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે છે. મોટા સમાચાર એ છે કે આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચ રમશે. રસપ્રદ વાત એ છે કે ટીમ ઈન્ડિયા આ પ્રેક્ટિસ મેચ ન્યૂયોર્કમાં રમવા માંગે છે પરંતુ તેને આ મેચ ફ્લોરિડામાં રમવા માટે કહેવામાં આવી રહ્યું છે.

ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ મેચ યોજાશે?

એવા અહેવાલ સામે આવ્યા છે કે BCCI ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ પહેલા ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ મેચ રમે. ભારતીય ટીમને તેની પ્રથમ 4 મેચમાંથી 3 ન્યૂયોર્કમાં રમવાની છે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર ICC અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે ટીમ ઈન્ડિયાને ફ્લોરિડામાં પ્રેક્ટિસ મેચ રમવા માટે કહ્યું છે.

પ્રેક્ટિસ મેચ યોજવાને લઈ સમસ્યા

જો ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ મેચ રમે છે તો તેને સ્વાભાવિક રીતે જ ફાયદો થશે. કારણ કે અહીં તેમને પાકિસ્તાન સામે પણ મેચ રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ન્યૂયોર્કની સ્થિતિને અનુરૂપ થઈ શકશે પરંતુ ICC તેને મંજૂરી નથી આપી રહ્યું. શક્ય છે કે ICCને લાગે કે ટીમ ઈન્ડિયાને તેનાથી ફાયદો થઈ શકે છે અને આ મુદ્દે વિવાદ થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે BCCIનું શું વલણ છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

પ્રેક્ટિસ મેચ ક્યારે થશે?

ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચ 25 કે 26 મેના રોજ યોજાઈ શકે છે. પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ 21 મેના રોજ વર્લ્ડ કપ માટે રવાના થશે, પરંતુ પછી આ તારીખ ટાળી દેવામાં આવી હતી. જે ખેલાડીઓની ટીમ IPL પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે તે સૌથી પહેલા અમેરિકા જવા રવાના થશે. કેટલાક ખેલાડીઓ જેમની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર છે તેઓ 24 મેના રોજ વિદાય લેવા જઈ રહ્યા છે. જેમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા 4 લીગ મેચ રમશે

ટીમ ઈન્ડિયા પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરવા જઈ રહી છે. T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા 4 લીગ મેચ રમશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં આયર્લેન્ડ, પાકિસ્તાન, અમેરિકા અને કેનેડા સામેલ છે. આ ગ્રૂપ પછી, સુપર 8 રાઉન્ડ થશે અને આ ગ્રૂપમાંથી ટોચની 4 ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો : LSGની હાર બાદ સંજીવ ગોએન્કાએ KL રાહુલ સાથે વાત કરી, DC કેપ્ટન રિષભ પંતને ગળે લગાવ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">