AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024 : શું ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં નહીં રમી શકે ? ICCએ હજુ સુધી આ મેચ માટે પરવાનગી આપી નથી!

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયા લીગ રાઉન્ડ પહેલા પ્રેક્ટિસ મેચ પણ રમશે. પરંતુ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચના આયોજનને લઈ સમસ્યા થઈ ગઈ છે. આવું કેમ થયું? શું છે સમસ્યા, જાણો આ આર્ટીકલમાં.

T20 World Cup 2024 : શું ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં નહીં રમી શકે ? ICCએ હજુ સુધી આ મેચ માટે પરવાનગી આપી નથી!
Rohit Sharma
| Updated on: May 15, 2024 | 6:30 PM
Share

T20 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન 2 જૂનથી શરૂ થવાનું છે અને ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે છે. મોટા સમાચાર એ છે કે આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચ રમશે. રસપ્રદ વાત એ છે કે ટીમ ઈન્ડિયા આ પ્રેક્ટિસ મેચ ન્યૂયોર્કમાં રમવા માંગે છે પરંતુ તેને આ મેચ ફ્લોરિડામાં રમવા માટે કહેવામાં આવી રહ્યું છે.

ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ મેચ યોજાશે?

એવા અહેવાલ સામે આવ્યા છે કે BCCI ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ પહેલા ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ મેચ રમે. ભારતીય ટીમને તેની પ્રથમ 4 મેચમાંથી 3 ન્યૂયોર્કમાં રમવાની છે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર ICC અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે ટીમ ઈન્ડિયાને ફ્લોરિડામાં પ્રેક્ટિસ મેચ રમવા માટે કહ્યું છે.

પ્રેક્ટિસ મેચ યોજવાને લઈ સમસ્યા

જો ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં પ્રેક્ટિસ મેચ રમે છે તો તેને સ્વાભાવિક રીતે જ ફાયદો થશે. કારણ કે અહીં તેમને પાકિસ્તાન સામે પણ મેચ રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ન્યૂયોર્કની સ્થિતિને અનુરૂપ થઈ શકશે પરંતુ ICC તેને મંજૂરી નથી આપી રહ્યું. શક્ય છે કે ICCને લાગે કે ટીમ ઈન્ડિયાને તેનાથી ફાયદો થઈ શકે છે અને આ મુદ્દે વિવાદ થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે BCCIનું શું વલણ છે.

પ્રેક્ટિસ મેચ ક્યારે થશે?

ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચ 25 કે 26 મેના રોજ યોજાઈ શકે છે. પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ 21 મેના રોજ વર્લ્ડ કપ માટે રવાના થશે, પરંતુ પછી આ તારીખ ટાળી દેવામાં આવી હતી. જે ખેલાડીઓની ટીમ IPL પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે તે સૌથી પહેલા અમેરિકા જવા રવાના થશે. કેટલાક ખેલાડીઓ જેમની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર છે તેઓ 24 મેના રોજ વિદાય લેવા જઈ રહ્યા છે. જેમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, શુભમન ગિલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા 4 લીગ મેચ રમશે

ટીમ ઈન્ડિયા પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરવા જઈ રહી છે. T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા 4 લીગ મેચ રમશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં આયર્લેન્ડ, પાકિસ્તાન, અમેરિકા અને કેનેડા સામેલ છે. આ ગ્રૂપ પછી, સુપર 8 રાઉન્ડ થશે અને આ ગ્રૂપમાંથી ટોચની 4 ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો : LSGની હાર બાદ સંજીવ ગોએન્કાએ KL રાહુલ સાથે વાત કરી, DC કેપ્ટન રિષભ પંતને ગળે લગાવ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">