ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ખુદ મુખ્યમંત્રી મેદાનમાં, ગાંધીનગરમાં યોજી બેઠક, જુઓ Video

છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ વકરી રહ્યો છે.ગોંડલમાં આ વાતને થાળે પાડવા ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યુ હતુ. જો કે તે પછી મામલો બીચક્યો હતો.હવે આ વિવાદને શાંત કરવા ખુદ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગરમાં આ મામલે બેઠક યોજાઇ છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 02, 2024 | 12:56 PM

છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ વકરી રહ્યો છે.ગોંડલમાં આ વાતને થાળે પાડવા ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યુ હતુ. જો કે તે પછી મામલો બીચક્યો હતો.હવે આ વિવાદને શાંત કરવા ખુદ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગરમાં આ મામલે બેઠક યોજાઇ છે.

રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે ગાંધીનગરમાં બેઠક યોજાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. સી આર પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી. આ સાથે જ બેઠકમાં હર્ષ સંઘવી, બળવંતસિંહ રાજપૂત, જયરાજસિંહ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા.

એવુ માનવામાં આવી રહ્યુ છે કે બેથી ત્રણ દિવસમાં ક્ષત્રિય સમાજમાં જે વિરોધ જોવા મળી રહ્યો છે તે શાંત થઇ શકે છે.ભાજપ હાઇ કમાન્ડ દ્વારા એવુ કહી દેવામાં આવ્યુ છે કે ઉમેદવાર નહીં બદલવામાં આવે, એટલે કે પરષોત્તમ રુપાલાને બદલવામાં નહીં આવે, જે નારાજગી છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.ગઇકાલે મુખ્યમંત્રીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઇ હતી. જે દરમિયાન ગુજરાતની વાત થવી એ સ્વાભાવિક છે.

આ પણ વાંચો-અમદાવાદમાં હવે સિગ્નલ પર તાપમાં શેકાવુ નહીં પડે, 100 સિગ્નલ બપોરે રહેશે બંધ

ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વર્ગ ખૂબ જ નાનો છે.જો કે એ વર્ગને પણ મનાવવો ખૂબ જરુરી છે. અત્યાર સુધી તેમને લઇને કોલ લેવામાં આવ્યો ન હતો.જો કે હવે આ મામલાને શાંત કરવાનો ભાજપે નિર્ણય લીધો છે.

 

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">