સરકારે PMJAY હેઠળના બિલની ચૂકવણી ન કરી હોવાનો આક્ષેપ, અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ, જુઓ વીડિયો

અમદાવાદની 60 જેટલી ખાનગી હોસ્પિટલ PMJAY હેઠળ 4 દિવસ સારવાર નહીં કરે. તેમણે 26થી 29 ફેબ્રુઆરી સુધી PMJAY હેઠળ દર્દીઓને સારવાર નહીં આપવાનો નિર્ણય લીધો છે. તેમજ એવો દાવો કરાયો છે કે રાજ્યની 789 ખાનગી હોસ્પિટલોને સરકારે રૂપિયા ચૂકવ્યા નથી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2024 | 1:23 PM

PMJAY હેઠળ ખાનગી હોસ્પિટલોના બાકી પેમેન્ટના આક્ષેપ મુદ્દે હવે મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદની 60 જેટલી ખાનગી હોસ્પિટલ PMJAY હેઠળ 4 દિવસ સારવાર નહીં કરે. તેમણે 26થી 29 ફેબ્રુઆરી સુધી PMJAY હેઠળ દર્દીઓને સારવાર નહીં આપવાનો નિર્ણય લીધો છે. તેમજ એવો દાવો કરાયો છે કે રાજ્યની 789 ખાનગી હોસ્પિટલોને સરકારે રૂપિયા ચૂકવ્યા નથી.નાની મોટી હોસ્પિટલોને 40 લાખથી 8 કરોડ રૂપિયા સુધીના બિલ બાકી હોવાનો દાવો કરાયો છે. જેથી સરકાર PMJAY હેઠળ સારવારની રકમ જલ્દી ચૂકવે તેવી વિનંતી કરાઇ છે.મહત્વનુ છે કે સુરત, વડોદરા અને મહુવાની 32 ખાનગી હોસ્પિટલે PMJAY અંતર્ગત સારવાર બંધ કરી છે.

ઉલ્લેખનીય છે 13 ફેબ્રુઆરીએ PMJAY એમપેન્લડ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશને મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે PMJAY હેઠળ પ્રાઈવેટ હોસ્પિટલોની 870 કરોડની ચૂકવણી બાકી છે. જુલાઈ 2021થી જુલાઈ 2023 સુધીના 370 કરોડના પેમેન્ટ બાકી હોવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે સારવાર થયાના 15 દિવસમાં ચૂકવણી કરવાનો નિયમ હોવા છતાં વર્ષોથી ચૂકવણી કરાઇ નથી. તેવા આક્ષેપ સાથે જણાવ્યું કે આ બાબતે કેન્દ્રીય અને રાજ્યના આરોગ્ય પ્રધાન તેમજ મુખ્યપ્રધાનને રજૂઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

PMJAY પોલિસી 8 હેઠળ બજાજ ઇન્સ્યોરન્સ કંપનીએ 500 કરોડ ન ચૂકવતા PMનો ડ્રીમ પ્રોજેક્ટ પેમેન્ટના કારણે ખતરામાં હોવાનો દાવો કર્યો છે.ત્યારે ખાનગી હોસ્પિટલોએ PMJAY હેઠળના બિલની ચૂકવણી કરવા સરકારને વિનંતી કરી છે. જો ચૂકવણી નહીં થાય તો અચોક્કસ મુદત સુધી PMJAY યોજના હેઠળ સારવાર બંધ કરવાની ચીમકી આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">