Ahmedabad : બે નવા વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉમેરાયા, કુલ સંખ્યા 76 થઈ
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને 2,399 નવા કેસ નોંધાયા. તો અમદાવાદ શહેરમાં 6 દર્દીના નિધન થયા છે. જ્યારે એક દિવસમાં સારવાર બાદ 4,433 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.
અમદાવાદ શહેરમાં 2 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. જ્યારે 24 વિસ્તારને દૂર કરાયા છે. આ ઉપરાંત હવે શહેરમાં કુલ 76 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં 30 મકાનના 87 જેટલા લોકો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. જયારે બોપલના ઈસ્કોન પ્લેટિનિયમના 26 ઘરો માઈક્રો કન્ટેન્મેન્ટમાં અને બોપલના ઈસ્કોન પ્લેટિનિયમના 26 ઘરોના 72 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ હેઠળ મૂકાયા છે. તેમજ ચાંદખેડાના અનિકેત એલિગન્સના 4 મકાનના 16 લોકોને પણ માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા છે.
જો કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને 2,399 નવા કેસ નોંધાયા. તો અમદાવાદ શહેરમાં 6 દર્દીના નિધન થયા છે. જ્યારે એક દિવસમાં સારવાર બાદ 4,433 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જો કે અમદાવાદમાં મોતનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે.અમદાવાદમાં પાછલા 31 દિવસમાં 104 દર્દીને કાળમુખો કોરોના ભરખી ગયો છે.
આ પણ વાંચો : Bharuch : દહેજ રોડ ઉપર અકસ્માતમાં સ્થાનિકના મોતની ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ વાહનોમાં તોડફોડ કરી બે બસ સળગાવી
આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા મુદ્દે હિન્દુ સંગઠનોને કાર્યક્રમ ન યોજવા વિશ્વ હિન્દુ પરિષદની અપીલ