IND vs AUS: કોમેન્ટ્રીમાં ઓસ્ટ્રેલીયાના દિગ્ગજે વાળ્યો ગોટાળો, કહ્યુ ટીમ ઇન્ડિયાના ખેલાડીનાં પિતાનું થયુ નિધન

ભારત અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝની શરુઆત થઇ ચુકી છે. સીરીઝની પ્રથમ મેચ સીડનીમાં રમાઇ રહી છે, જેમાં ટોસ જીતીને યજમાન ટીમ ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.પરંતુ આ મેચ દરમ્યાન કરવામા આવી રહેલી કોમેન્ટ્રીમાં મોટી ભૂલ સામે આવી છે. ઓસ્ટ્રેલીયાના પુર્વ દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે કોમેન્ટ્રી દરમ્યાન, ભારતીય […]

IND vs AUS: કોમેન્ટ્રીમાં ઓસ્ટ્રેલીયાના દિગ્ગજે વાળ્યો ગોટાળો, કહ્યુ ટીમ ઇન્ડિયાના ખેલાડીનાં પિતાનું થયુ નિધન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 27, 2020 | 2:02 PM

ભારત અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝની શરુઆત થઇ ચુકી છે. સીરીઝની પ્રથમ મેચ સીડનીમાં રમાઇ રહી છે, જેમાં ટોસ જીતીને યજમાન ટીમ ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.પરંતુ આ મેચ દરમ્યાન કરવામા આવી રહેલી કોમેન્ટ્રીમાં મોટી ભૂલ સામે આવી છે. ઓસ્ટ્રેલીયાના પુર્વ દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે કોમેન્ટ્રી દરમ્યાન, ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર નવદીપ સૈનીના પિતાને લઇને દુખદાયક વાત કહી દીધી. ગિલક્રિસ્ટે કોમેન્ટરી દરમ્યાન સૈનીના પિતાનુ નિધન થયુ હોવાની વાત કહી દીધી હતી.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડની વન ડે દરમ્યાન કોમેન્ટ્રી કરી રહેલા એડમ ગિલક્રીસ્ટે કહી દીધુ હતુ કે, એક સપ્તાહ પહેલા જ નવદિપ સૈનીના પિતાનુ નિધન થયુ હતુ. હકીકતમાં નવદિપ સૈની નહી પરંતુ ટીમ ઇન્ડિયાના અન્ય ઝડપી બોલર મહંમદ સિરાજના પિતાનુ તાજેતરમાં નિધન થયુ હતુ. જેને લઇને ગિલક્રીસ્ટ કન્ફ્યુઝન થઇ ગયા હતા, અને તેમણે નવદિપ સૈનીના પિતાના નિધનની વાત કહી દીધી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એડમ ગિલક્રિસ્ટને જ્યારે પોતાની આ ભૂલની સમજ પડી, તો તેઓએ પોતાની ભૂલને સુધારતા પોતાની સ્થિતી સાફ કરી હતી. ગિલક્રીસ્ટે સોશિયલ મિડીયા પર લખ્યુ હતુ કે, મારી ભૂલને સુધારવા બદલ આભાર. મને અહેસાસ છે કે મારા થી ભૂલ થઇ છે. હું નવદિપ સૈની અને મહંમદ સિરાજ બંને થી આ મોટી ભૂલની માફી માંગુ છુ. બતાવી દઇએ કે હાલમાં જ સિરાજના પિતાનુ નિધન થયુ છે. પરંતુ તે અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારત પરત ફર્યો નહી અને ટીમ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જોકે બીસીસીઆઇએ સિરાજના ભારત પરત ફરવા પર વિકલ્પ રાખ્યો હતો. મહંમદ સિરાજને ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે નવદિપ વન ડે માટે પસંદ પામ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">