AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: જો વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવામાં આવશે તો શું ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાશે?

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાએ સતત ત્રણ મેચ જીતીને સુપર-8માં જગ્યા બનાવી લીધી છે, પરંતુ વિરાટ કોહલીની નિષ્ફળતા મોટી ચિંતાનો વિષય છે. વિરાટને ટૂર્નામેન્ટમાં ઓપનરની ભૂમિકા આપવામાં આવી છે અને તે 3 મેચમાં માત્ર 5 રન જ બનાવી શક્યો છે. શું તેને હવે ઓપનિંગમાંથી દૂર કરવામાં આવશે? જો આવું થાય, તો તેના ગેરફાયદા શું હશે?

T20 World Cup 2024: જો વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવામાં આવશે તો શું ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાશે?
Virat Kohli
| Updated on: Jun 13, 2024 | 8:58 PM
Share

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં ટોપ પર છે અને સતત ત્રણ મેચ જીતીને સુપર-8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂયોર્કની પિચ ચોક્કસપણે મુશ્કેલ હતી છતાં ટીમ જીતની હેટ્રિક ફટકારવામાં સફળ રહી. જોકે, ન્યૂયોર્કમાં યોજાયેલી મેચોએ ટીમ ઈન્ડિયા માટે મોટો પ્રશ્ન છોડી દીધો છે. સવાલ એ છે કે શું વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવો જોઈએ? શું યશસ્વી જયસ્વાલને તેની જગ્યાએ ફરીથી ઓપનિંગ કરાવવું જોઈએ? જો આવું થાય તો તેના શું ગેરફાયદા થઈ શકે છે.

વિરાટના ઓપનર બનવા પર શા માટે હોબાળો?

સૌથી પહેલા તો જાણી લો કે વિરાટ કોહલીની ઓપનિંગને લઈને હોબાળો કેમ થઈ રહ્યો છે? વિરાટ કોહલી પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરી રહ્યો છે અને તે સતત ત્રણ ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે. તે આયર્લેન્ડ સામે 1, પાકિસ્તાન સામે 4 અને અમેરિકા સામે તે પ્રથમ બોલ પર 0 રને આઉટ થયો હતો. મતલબ, T20 વર્લ્ડ કપમાં વિરાટ ત્રણ મેચમાં માત્ર 5 રન જ બનાવી શક્યો છે. આ જ કારણ છે કે હવે ઘણા ક્રિકેટ નિષ્ણાતો તેને ફરીથી નંબર 3 પર રમવાની સલાહ આપી રહ્યા છે.

વિરાટ ઓપનિંગમાંથી ખસી જાય તો થશે નુકસાન?

હવે સવાલ એ છે કે વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવામાં આવે તો શું નુકસાન થશે? ચાલો તમને જણાવીએ કે હવે ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીનો બેટિંગ નંબર બદલવાની ચિંતા કેમ કરવી પડી શકે છે. જો હવે વિરાટ કોહલીને પડતો મુકાયો તો કોને ટીમમાંથી બહાર કરવામાં આવશે? કારણ કે જો વિરાટ કોહલી ઓપન નહીં કરે તો નિયમિત ઓપનર યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવો પડશે અને પછી શિવમ દુબે અથવા રવીન્દ્ર જાડેજામાંથી કોઈ એકને પડતો મૂકવો પડી શકે છે.

રિષભ પંતનું શું થશે?

જો વિરાટને ઓપનિંગમાંથી હટાવીને નંબર 3 પર રમાડવામાં આવે તો સવાલ એ છે કે રિષભ પંતનું શું થશે? જો વિરાટ ઓપન નહીં કરે તો પંતને નંબર 3 પોઝિશન પરથી હટાવવો પડશે. હાલમાં, તેને ટોપ ઓર્ડરમાં સ્થાન આપવામાં આવ્યું છે અને જ્યારે વિરાટ નંબર 3 પર પાછો ફરશે, ત્યારે તેને ફિનિશરની ભૂમિકામાં રાખવો પડશે કારણ કે નંબર 4 પર સૂર્યકુમાર યાદવ રમે છે.

આ પણ વાંચો : T20 World Cup 2024: કેપ્ટન પર પ્રતિબંધ લગાવવો જોઈએ, 5 રનની પેનલ્ટી પર વીરેન્દ્ર સેહવાગે કેમ આવું કહ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">