T20 World Cup 2024: કેપ્ટન પર પ્રતિબંધ લગાવવો જોઈએ, 5 રનની પેનલ્ટી પર વીરેન્દ્ર સેહવાગે કેમ આવું કહ્યું?

ભારત અને અમેરિકા વચ્ચેની મેચમાં અમેરિકન ટીમને 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેનું કારણ ICCના નિયમનું ઉલ્લંઘન હતું. ICCનો નિયમ છે કે એક ઓવર ખતમ થયા બાદ બીજી ઓવર 60 સેકન્ડની અંદર શરૂ થવી જોઈએ પરંતુ અમેરિકન ટીમ આ કરવામાં નિષ્ફળ રહી અને ભારતને મફતમાં 5 રન મળ્યા. આ મુદ્દે ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે શાનદાર ટિપ્પણી કરી છે.

T20 World Cup 2024: કેપ્ટન પર પ્રતિબંધ લગાવવો જોઈએ, 5 રનની પેનલ્ટી પર વીરેન્દ્ર સેહવાગે કેમ આવું કહ્યું?
Virender Sehwag
Follow Us:
| Updated on: Jun 13, 2024 | 8:00 PM

T20 વર્લ્ડ કપ 2024માં ICCનો એક નિયમ અમલમાં આવ્યો હતો, જે મુજબ એક ઓવર ખતમ થયા બાદ બીજી ઓવર 60 સેકન્ડની અંદર શરૂ થવી જોઈએ. પરંતુ અમેરિકન ટીમ ભારત સામેની મેચમાં આ કરવામાં નિષ્ફળ રહી અને પરિણામ એ આવ્યું કે તેને પાંચ રનનો દંડ ફટકારવામાં આવ્યો. દર વખતે અમ્પાયરે અમેરિકન કેપ્ટન એરોન જોન્સને ચેતવણી આપી હતી, પરંતુ જ્યારે તેણે ત્રીજી વખત તેનું ઉલ્લંઘન કર્યું ત્યારે ભારતીય ટીમને પાંચ રન આપવામાં આવ્યા હતા.

સ્ટોપ ક્લોકના નિયમ પર સેહવાગની ટિપ્પણી

જે સમયે અમેરિકા પર પાંચ રનની આ પેનલ્ટી લગાવવામાં આવી હતી તે સમયે મેચ ખૂબ જ રોમાંચક મોડ પર હતી અને સ્ટોપ ક્લોકના નિયમનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળ્યો હતો. અંતે ટીમ ઈન્ડિયા મેચ જીતી ગઈ અને હવે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે આ મુદ્દે શાનદાર ટિપ્પણી કરી છે.

‘કેપ્ટન પર પ્રતિબંધ મૂકવો જોઈએ’

ક્રિકબઝ શોમાં આ મુદ્દા પર ચર્ચા કરતી વખતે વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે ઓવર મોડી શરૂ કરવા પર પાંચ રનની પેનલ્ટીને બદલે કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ લગાવવો જોઈએ. આ પછી જે બોલરને તેના કેપ્ટન સાથે સમસ્યા છે, તે એક ઓવર લેટ કરી તેને બેન કરાવી દે.

આજનું રાશિફળ તારીખ : 08-07-2024
Emirates કંપનીએ ફ્લાઇટમાં પોતાના પોડકાસ્ટમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને કર્યા સામેલ, જુઓ Video
મીઠો લીમડો કઇ બીમારીમાં ઉપયોગી છે?
હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા ભાભી થયા ગુસ્સે ! વીડિયો થયો વાયરલ
વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો

અમેરિકન હેડ કોચે ભૂલ સ્વીકારી

અમેરિકાના મુખ્ય કોચ સ્ટુઅર્ટ લો પણ અમેરિકાની લેટ ઓવરની ભૂલથી નારાજ છે. તેમણે કહ્યું કે, અમેરિકન કેપ્ટને મેદાન પરના અમ્પાયરોની બે ચેતવણીઓ બાદ સતર્ક રહેવું જોઈતું હતું. લોએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમને અગાઉની મેચોમાં કેટલીક ચેતવણીઓ મળી હતી અને અમારે ઓવર વહેલી શરૂ કરવી જોઈતી હતી. અમે નવી ટીમ છીએ અને અમારે આ મામલે સુધારો કરવો પડશે.

અમેરિકા પાસે સુપર-8માં પહોંચવાની તક

જો કે, અમેરિકાએ T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં આ ટીમ પ્રથમ વખત હારી છે. તેમણે પાકિસ્તાન અને કેનેડાને હરાવ્યું છે અને હવે સુપર 8માં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે. અમેરિકાએ તેની આગામી મેચ શુક્રવારે ફ્લોરિડામાં આયર્લેન્ડ સામે રમવાની છે. જોકે, દુઃખદ સમાચાર એ છે કે ફ્લોરિડામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ મેચ થવી લગભગ અશક્ય છે. જો આ મેચ રદ્દ થાય છે અને પોઈન્ટ્સ વહેંચાય છે તો આયર્લેન્ડ અને પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને ગ્રુપ Aમાંથી ટીમ ઈન્ડિયા બાદ અમેરિકા સુપર-8માં પહોંચી જશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : પાકિસ્તાન બહાર થશે તો બાબર આઝમનું શું થશે? PCBએ લીધો ચોંકાવનારો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી
આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
g clip-path="url(#clip0_868_265)">