AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની કાર્યવાહીથી ડરી ગયું પાકિસ્તાન, PSLની મેચોનું સ્થળ બદલ્યું, રાવલપિંડીમાં મુકાબલો રદ્દ

ભારત પર મિસાઈલ હુમલા કરવાના પાકિસ્તાનના નિષ્ફળ પ્રયાસ બાદ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના કેટલાક શહેરોમાં ડ્રોન હુમલા કરીને જવાબી કાર્યવાહી કરી હતી. આમાંથી એક ડ્રોન રાવલપિંડી સ્ટેડિયમની બહાર પડ્યું, જ્યાં 8 મે, ગુરુવારના રોજ PSL મેચ રમાવાની હતી. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે અને હવે રાવલપિંડીમાં મેચ મુલતવી રાખવામાં આવી છે. સાથે જ અન્ય મેચોનું સ્થળ પણ બદલ્યું છે.

ભારતની કાર્યવાહીથી ડરી ગયું પાકિસ્તાન, PSLની મેચોનું સ્થળ બદલ્યું, રાવલપિંડીમાં મુકાબલો રદ્દ
PSLImage Credit source: PTI
Follow Us:
| Updated on: May 08, 2025 | 5:57 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવની અસર દેખાવા લાગી છે. ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ કારણે, પાકિસ્તાન સુપર લીગની 10મી સિઝનની બધી મેચો ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે PSLની બાકીની મેચો હવે ફક્ત કરાચીમાં જ આયોજિત કરવામાં આવશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતીય દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા, ત્યારબાદ તણાવ વધી ગયો છે.

રાવલપિંડી સ્ટેડિયમ પર ડ્રોન પડ્યું

ઓપરેશન સિંદૂરના જવાબમાં, 7-8 મેની રાત્રે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરથી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધીના અનેક ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારત સરકારે ગુરુવાર, 8 મેના રોજ એક પ્રેસ રિલીઝમાં આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે આના જવાબમાં, ભારતીય સેનાએ પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ અને રડારને નિશાન બનાવીને નાશ કર્યો હતો.

PSLની મેચો ખસેડવામાં આવી

માહિતી અનુસાર, ભારતે ડ્રોન દ્વારા પાકિસ્તાની ઠેકાણાઓને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી. આમાંથી એક ડ્રોન રાવલપિંડીના પ્રખ્યાત પિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર પણ અથડાયો હતો, જેના કારણે સ્ટેડિયમને થોડું નુકસાન થયું હતું. આ ઘટનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઘાતમાં મુકાઈ ગયું કારણ કે ગુરુવારે સાંજે આ જ સ્ટેડિયમમાં પાકિસ્તાન સુપર લીગની મેચ રમવાની હતી. આવી સ્થિતિમાં, બોર્ડે PSL ફ્રેન્ચાઈઝીઓ સાથે એક બેઠક યોજી હતી, જેમાં ટુર્નામેન્ટની બધી મેચો ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સારા તેંડુલકરે પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી !
વિરાટ અને રોહિતનું ગજબ કનેક્શન, એકસમાન રેકોર્ડ અને નિર્ણયનો વિચિત્ર સંયોગ
Jioનો ડેટા વગરનો પ્લાન, 1 વર્ષ સુધી સીમકાર્ડ રહેશે એક્ટિવ
Uric Acid વધે ત્યારે ખાલી પેટ શું ખાવું?
જુડવા બાળકોની માતા 50 વર્ષની અભિનેત્રી, જુઓ પરિવાર
શું મીઠા દહીંના સેવનથી સુગર લેવલ વધે છે?

પિંડી સ્ટેડિયમ ખાતેની મેચ મુલતવી રાખવામાં આવી

મળતી માહિતી મુજબ, 8 મેના રોજ પિંડી સ્ટેડિયમ ખાતે કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચે રમાનારી મેચ પણ મુલતવી રાખવામાં આવી છે અને હવે તે નવી તારીખે રમાશે. ઉપરાંત, ટુર્નામેન્ટની બધી મેચો હવે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. જોકે, હાલમાં પાકિસ્તાની બોર્ડે બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. બીજી તરફ, વર્તમાન પરિસ્થિતિની અસર IPL 2025ની એક મેચ પર પણ પડી છે. 11 મેના રોજ ધર્મશામાં યોજાનારી પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ હવે અમદાવાદમાં રમાશે.

આ પણ વાંચો: ભારતીય સેનાએ શોએબ મલિકના શહેર પર બોમ્બ ફેંક્યા, પૂર્વ પત્ની સાનિયા મિર્ઝાએ કહ્યું- ‘આ આપણો દેશ છે’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્રિકેટ કરો

g clip-path="url(#clip0_868_265)">