Breaking News : વાવ થરાદના માવસરી ગામમાં ગૌશાળામાં 1.24 કરોડના કૌંભાડમાં રાજકારણ ગરમાયું
તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક લેવલે ગાયો પર રાજકારણ સામે આવ્યું છે. ગૌશાળાના 1.24 કરોડ ના હિસાબના ઉચાપતમાં સ્થાનિક ભાજપના નેતા નું નામ આવતા રાજકારણ ગરમાયું છે.

વાવ થરાદના ધરણીધરના માવસરી ગામમાં આવેલી ગૌશાળા પર ભાજપ કોગ્રેસનું રાજકારણ ગરમાયું છે. સરકાર તરફથી મળતી ગાયો માટેની સહાય અને અન્ય વહીવટમાં નાણાં ઉચાપતના આક્ષેપ સ્થાનિક કોગ્રેસ નેતાનાએ લગાવ્યા હતા.માવસરી ગામના સરપંચ પતિ અને વાવ તાલુકાના ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર ગાયોના નામે નાણા વહીવટમા ઉચાપતનો આક્ષેપ લાગ્યા હતા.
કિસાન કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના ચેરમેન ઠાકરસી રબારીના ગંભીર આક્ષેપ સ્થાનિક ભાજપ નેતા પ્રકાશ વ્યાસ પર છે.1.24 કરોડના વહીવટ પર આક્ષેપ પર બંને પક્ષ તરફથી પુરાવા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે
ગૌશાળા પર ભાજપ કોગ્રેસનું રાજકારણ ગરમાયું
ધરણીધરના માવસરી ગામમાં આવેલ ગૌશાળામાં વહીવટમાં ઉચાપત મામલો સામે આવ્યો છે. કોગ્રેસના નેતા ઠાકરસી રબારીએ ઉચાપતના આક્ષેપ લગાવ્યા હતા.આજે ગૌશાળા ખાતે ઠાકોર સમાજના આગેવાનો થયા ગૌશાળા હિસાબ માટે એકઠા થયા હતા.
ગૌશાળાના 1.24 કરોડના હિસાબના ઉચાપત
ઠાકોર સમાજના આગેવાનો અને ગૌશાળા અને ધાર્મિક સ્થળના પૂજારી વચ્ચે મળેલ બેઠકમાં મોટો ખુલાસો થયો છે.માવસરી ગામના સરપંચ પતિ અને વાવ તાલુકાભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.વહીવટીમા કરેલ ગોટાળાના 71 લાખ પરત જમા કરાવશે. પ્રકાશ વ્યાસ પર એગ્રો.. પેટ્રોલ.. રેડીમેડ ગાર્મેન્ટસન બિઝનેસ સહિતની જગ્યાએ ગૌશાળાના નાણાંનો ખર્ચ બતાવવામા આવ્યોનો આરોપ લાગ્યો હતો. ગૌશાળાના 1.24 કરોડ ના હિસાબના ઉચાપતમાં સ્થાનિક ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું છે.
તમને જણાવી દઈએ કે,ગૌશાળાએ લખીરામ બાપુની ધાર્મિક સ્થળના નેજા હેઠળ ચાલે છે લખીરામ બાપુની ધાર્મિક સ્થળ એ ઠાકોર સમાજની ધાર્મિક આસ્થા જોડાયેલ છે