AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs KKR : એમએસ ધોની ટોસ હાર્યા બાદ પણ ખુશ હતો, ‘થાલા’ની મનની ઈચ્છા થઈ પૂરી !

લગભગ દોઢ વર્ષ પછી એમએસ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે પાછો ફર્યો છે. કોણીની ઈજાને કારણે ઋતુરાજ ગાયકવાડ આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, જેના કારણે ધોનીને ફરીથી કેપ્ટનશીપ સંભાળવી પડી હતી. જોકે, તે ટોસમાં હારી ગયો હતો છતાં તેના ચહેરા પર સ્માઈલ હતી, જાણો કેમ.

CSK vs KKR : એમએસ ધોની ટોસ હાર્યા બાદ પણ ખુશ હતો, 'થાલા'ની મનની ઈચ્છા થઈ પૂરી !
MS DhoniImage Credit source: PTI
| Updated on: Apr 11, 2025 | 8:51 PM
Share

લગભગ દોઢ સિઝન પછી એમએસ ધોની ફરી એકવાર IPLમાં કેપ્ટન તરીકે પાછો ફર્યો છે. IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ સાથે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે પાછો ફર્યો છે. જોકે, કેપ્ટન બન્યા પછી ધોની પોતાનો પહેલો ટોસ હારી ગયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીત્યો હતો, પરંતુ તેમ છતા ધોની ખૂબ ખુશ દેખાતો હતો, કારણ કે ટોસ હાર્યા પછી પણ તેની ઈચ્છા પૂરી થઈ હતી. આખરે, ધોનીની ઈચ્છા શું હતી? ચાલો તમને જણાવીએ.

ધોની ફરી બન્યો CSKનો કેપ્ટન

11 એપ્રિલ, શુક્રવારના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો આમને-સામને હતી. આ મેચ ચેન્નાઈ માટે પહેલાથી જ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે ટીમ છેલ્લી 4 મેચ સતત હારી ગઈ હતી અને તેમને કોઈપણ કિંમતે જીતની જરૂર હતી. પરંતુ એમએસ ધોનીના કેપ્ટન તરીકે પાછા ફરવાથી તે વધુ ખાસ બન્યું. કોણીની ઈજાને કારણે ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ આખી સિઝનમાંથી બહાર થયા બાદ ધોનીએ કેપ્ટન તરીકે વાપસી કરી હતી.

ટોસ હાર્યા પછી પણ ધોની ખુશ હતો

જોકે, ધોનીનું પુનરાગમન સારું રહ્યું નહીં કારણ કે તેણે મેચ શરૂ થાય તે પહેલાં જ સિક્કો ટોસ ગુમાવી દીધો. ટોસ KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ જીત્યો હતો, જે પોતે ગયા સીઝન સુધી ચેન્નાઈનો ભાગ હતા. આમ છતાં, ધોની ખૂબ જ ખુશ દેખાતો હતો અને તેનું કારણ કોલકાતાનો નિર્ણય હતો. વાત એ છે કે KKR ના કેપ્ટન રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પણ ધોની પણ એ જ ઇચ્છતો હતો.

પહેલા બેટિંગ કરવા માંગતો હતો ધોની

ધોનીનો બોલવાનો વારો આવતા જ તેણે ખુશીથી કહ્યું કે તે પહેલા બેટિંગ કરવા માંગે છે. ધોનીએ આનું કારણ સમજાવ્યું અને કહ્યું કે છેલ્લી કેટલીક મેચોમાં જ્યારે પણ ટીમે રન ચેઝ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ નિષ્ફળ ગયા, કારણ કે પિચ ધીમી થઈ રહી હતી અને ખરાબ શરૂઆત પછી મધ્યમ ક્રમ પર ઘણું દબાણ હતું. એટલા માટે તે પહેલા બેટિંગ કરવા માંગતો હતો.

આ પણ વાંચો: CSK vs KKR : MS ધોની પર એક કે બે મેચનો પ્રતિબંધ લગાવવો જોઈએ… વીરેન્દ્ર સેહવાગે CSK કેપ્ટન પર કેમ સવાલ ઉઠાવ્યા?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">