IND vs BAN: કેએલ રાહુલની જગ્યાએ સરફરાઝ ખાન રમશે? કાનપુરની એક તસવીરે આપ્યો સંકેત

ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ માટે કાનપુર પહોંચી ગઈ છે. મેચ પહેલા યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને સરફરાઝ ખાન નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. સરફરાઝને પ્રેક્ટિસ કરતો જોઈને એવી અટકળો થઈ રહી છે કે તેને કેએલ રાહુલની જગ્યાએ તક આપવામાં આવશે.

IND vs BAN: કેએલ રાહુલની જગ્યાએ સરફરાઝ ખાન રમશે? કાનપુરની એક તસવીરે આપ્યો સંકેત
KL Rahul & Sarfaraz KhanImage Credit source: PTI
Follow Us:
| Updated on: Sep 25, 2024 | 6:17 PM

ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમને 280 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત બાદ હવે ભારતીય ટીમ સિરીઝ પર સંપૂર્ણ કબજો કરવા કાનપુર પહોંચી ગઈ છે, જ્યાં બીજી મેચ રમાવાની છે. 27 સપ્ટેમ્બરથી યોજાનારી આ મેચ પહેલા 3 ભારતીય ખેલાડીઓ નેટ્સમાં પરસેવો પાડતા જોવા મળ્યા હતા. ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને ઓપનર યશસ્વી જયસ્વાલ પ્રેક્ટિસ માટે પહેલા પહોંચ્યા હતા. આ બંનેની સાથે સરફરાઝ ખાન પણ પ્રેક્ટિસ માટે આવ્યો હતો. તેને પ્રેક્ટિસ કરતો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ કાનપુર ટેસ્ટમાંથી બહાર થઈ જશે. તેની જગ્યાએ સરફરાઝને તક મળશે.

શું સરફરાઝને ખરેખર તક મળશે?

કેએલ રાહુલ ચેન્નાઈ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે પ્રથમ દાવમાં માત્ર 16 રન બનાવ્યા હતા. જોકે તેને બીજી ઈનિંગ્સમાં વધુ રમવાની તક મળી ન હતી. કારણ કે કેપ્ટન રોહિત શર્માએ 287ના સ્કોર પર ઈનિંગ ડિકલેર કરી હતી. આથી રાહુલ 19 બોલમાં 22 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં તેને કાનપુર ટેસ્ટમાંથી બહાર કરીને સરફરાઝ ખાનને તક આપવાની ચર્ચા ચાલી રહી છે. જો કે, આવું થવું મુશ્કેલ લાગે છે, કારણ કે સરફરાઝનું નામ ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં સામેલ છે.

અનિલ અંબાણીની આ કંપની... શેર પર સતત 10 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ
ICC રેન્કિંગમાં જયસ્વાલ-બુમરાહનો દબદબો, વિરાટ-રોહિતને થયું નુકસાન
ગુજરાતી ગીતોના રોકસ્ટાર છે દેવ પગલી, જુઓ ફોટો
TMKOC ની એકટ્રેસ બબીતાજીના પસંદના રસગુલ્લા આ રીતે બનાવો
Navratri 2024 : નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની મૂર્તિ કઈ દિશામાં સ્થાપિત કરવી, તેનો સાચો નિયમ શું છે?
BSF અને CRPF માં શું અંતર છે? જાણો કોને કેટલી મળે છે સેલરી

સરફરાઝ રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં સામેલ

સરફરાઝ ખાન ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં મુંબઈ સામે રમતો જોવા મળી શકે છે. જોકે, BCCIએ કાનપુર ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી નથી. બોર્ડે નિશ્ચિતપણે કહ્યું છે કે જો ટીમ ઈન્ડિયા સાથે હાજર ખેલાડીઓ કાનપુર ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય તો તેમને ઈરાની કપ માટે જવું પડશે. તમને જણાવી દઈએ કે સરફરાઝની સાથે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને ફાસ્ટ બોલર યશ દયાલને પણ રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

દુલીપ ટ્રોફીમાં સરફરાઝનું એવરેજ પ્રદર્શન

સરફરાઝ ખાને આ વર્ષે ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની ડેબ્યૂ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ 5 મેચની શ્રેણીમાં 3 મેચમાં તક આપી હતી, જેમાં તે 3 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. સરફરાઝે 5 ઈનિંગ્સમાં કુલ 200 રન બનાવ્યા હતા. જોકે, તાજેતરમાં યોજાયેલી દુલીપ ટ્રોફીમાં તેનું બેટ ચાલ્યું ન હતું. તેણે બે મેચ રમી જેમાં તે કુલ 71 રન જ બનાવી શક્યો.

આ પણ વાંચો: T20 World Cup: હરમનપ્રીત કૌર સહિત 5 સ્ટાર ખેલાડીઓનો આ અંતિમ T20 વર્લ્ડ કપ હશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Diabetes ના કારણે Kidney ખરાબ થઇ શકે છે? Dr Rahul Gupta એ જણાવ્યું
Diabetes ના કારણે Kidney ખરાબ થઇ શકે છે? Dr Rahul Gupta એ જણાવ્યું
એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર
એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર
નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ
નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ
મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ
વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા
વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા
નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ
અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી
g clip-path="url(#clip0_868_265)">