AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 WC Breaking : અર્શદીપ સિંહ પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર, ભારતની પ્લેઇંગ 11 માં બે મોટા ફેરફાર

ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026 ના 27મા મેચમાં ટકરાશે. મોટા સમાચાર એ છે કે અર્શદીપ સિંહ આ મેચમાં રમશે નહીં. ભારતની પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફારની અપેક્ષા છે.

IND vs PAK T20 WC Breaking : અર્શદીપ સિંહ પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર, ભારતની પ્લેઇંગ 11 માં બે મોટા ફેરફાર
Arshdeep SinghImage Credit source: X
| Updated on: Feb 15, 2026 | 4:38 PM
Share

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની મેચ શરૂ થવામાં થોડા કલાકો બાકી છે, પરંતુ મેચ પહેલા, ભારતીય કેમ્પમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અર્શદીપ સિંહ આ મેચમાં રમશે નહીં.

અર્શદીપની જગ્યાએ કુલદીપ રમશે

પાકિસ્તાન સામે પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફાર નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. પહેલું ભારતીય ટીમ કુલદીપ યાદવને અર્શદીપ સિંહની જગ્યાએ તક આપવા જઈ રહી છે અને બીજું અભિષેક શર્મા સંજુ સેમસનનું સ્થાન લેશે. બીમારીને કારણે અભિષેક પાછલી મેચ રમી શક્યો ના હતો, પરંતુ ખેલાડી હવે ફિટ છે. પરંતુ પ્રશ્ન એ છે કે અર્શદીપ સિંહને કેમ બહાર રાખવામાં આવી રહ્યો છે?

અર્શદીપ સિંહ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોમાં યોજાવાની છે, અને મેચ કવર કરી રહેલા પત્રકારોએ અહેવાલ આપ્યો છે કે આ મેચમાં ઝડપી બોલર અર્શદીપ સિંહને તક આપવામાં આવશે નહીં. કોલંબોની સ્પિન-ફ્રેન્ડલી પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા પછી, ભારતીય ટીમે કુલદીપ યાદવને તક આપવાનો નિર્ણય લીધો છે. કુલદીપ યાદવનું પાકિસ્તાન સામે પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. તેણે પાકિસ્તાન સામે સતત વિકેટ લીધી છે.

કુલદીપ યાદવનું પાકિસ્તાન સામે પ્રદર્શન

કુલદીપ યાદવે પાકિસ્તાન સામે નવ મેચમાં 23 વિકેટ લીધી છે. તેણે પાકિસ્તાન સામે એક વખત પાંચ વિકેટ અને એક વખત ચાર વિકેટ લીધી છે. પાકિસ્તાની બેટ્સમેનોને તેના વેરિએશન સમજવામાં મુશ્કેલી પડે છે, ખાસ કરીને બાબર આઝમને.

કોલંબોમાં સ્પિનરોનું વર્ચસ્વ

સૌથી અગત્યનું, કોલંબોમાં આવેલું આર. પ્રેમદાસા સ્ટેડિયમ, જ્યાં ભારત-પાકિસ્તાન મેચનું આયોજન થઈ રહ્યું છે, તેની પિચ સ્પિનર-ફ્રેન્ડલી છે. જોકે, પાકિસ્તાન હજુ સુધી આ મેદાન પર રમ્યું નથી. સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતેની પાછલી મેચમાં પાકિસ્તાની બોલરોએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. ઉસ્માન તારીકે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. શાદાબ ખાને 2 વિકેટ લીધી હતી.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

Follow Us
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">