ગૌતમ ગંભીરની નવી માંગ ! આ ક્રિકેટરને કોચિંગ સ્ટાફમાં સામેલ કરવા માંગે છે ટીમ ઈન્ડિયાનો નવો કોચ

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સપોર્ટિંગ સ્ટાફને લઈને એક મોટી માહિતી સામે આવી છે. તેણે BCCI સમક્ષ વિદેશી કોચને આ સ્ટાફનો ભાગ બનાવવાની માંગ કરી છે. આ બંને પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે.

ગૌતમ ગંભીરની નવી માંગ ! આ ક્રિકેટરને કોચિંગ સ્ટાફમાં સામેલ કરવા માંગે છે ટીમ ઈન્ડિયાનો નવો કોચ
Gautam Gambhir
Follow Us:
| Updated on: Jul 11, 2024 | 8:15 PM

ભારતીય ક્રિકેટ ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવો મુખ્ય કોચ મળ્યો છે. તેણે રાહુલ દ્રવિડની જગ્યા લીધી છે, જેણે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સપોર્ટિંગ સ્ટાફમાં કયા ચહેરાઓને સામેલ કરવામાં આવશે તે હજુ નક્કી થયું નથી. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૌતમ ગંભીર પોતાના કોચિંગ સ્ટાફમાં વિદેશી કોચને પણ સામેલ કરવા માંગે છે.

ગંભીરે BCCI સમક્ષ મોટી માંગ કરી

ક્રિકબઝના એક અહેવાલ અનુસાર, ગૌતમ ગંભીર નેધરલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રાયન ટેન ડોશકાટેને ટીમના બેકરૂમ સ્ટાફમાં સામેલ કરવા માંગે છે. ગંભીરે BCCI સમક્ષ પણ આ માંગણી મૂકી છે. જોકે આખરી નિર્ણય BCCI જ લેશે. તમને જણાવી દઈએ કે, BCCIએ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં ભારતીયોને પ્રાથમિકતા આપી છે. આવી સ્થિતિમાં ગંભીરની માંગ પૂરી થાય છે કે નહીં તે જોવું રહ્યું.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

IPL 2024માં સાથે કામ કર્યું

ગૌતમ ગંભીરે IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રાયન ટેન ડોશકાટે સાથે કામ કર્યું હતું. ટીમને ચેમ્પિયન બનાવવામાં રાયન ટેનની પણ મહત્વની ભૂમિકા હતી. તે આ ટીમનો ફિલ્ડિંગ કોચ હતો. આ સિવાય રેરાયન ટેન ડોશકાટે કેરેબિયન પ્રીમિયર લીગ, મેજર લીગ ક્રિકેટ અને ILT20માં KKRની પેટાકંપનીઓ સાથે પણ કામ કરે છે. આવી સ્થિતિમાં, તેની પાસે કોચિંગ અનુભવની કોઈ કમી નથી. બીજી તરફ, એવા સમાચાર પણ છે કે BCCI ટી દિલીપને ફિલ્ડિંગ કોચ તરીકે જાળવી રાખવા માંગે છે, જેના કારણે રાયન ટેનને સહાયક કોચ તરીકે લાવવામાં આવી શકે છે.

વર્ષ 2021માં ક્રિકેટને અલવિદા કહી દીધું

રાયન ટેન ડોશકાટે 2021ના T20 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ટેને નેધરલેન્ડ માટે 33 ODI અને 24 T20 મેચ રમી હતી. તેણે વનડેમાં 1541 રન અને T20માં 533 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે કુલ 5 સદી પણ ફટકારી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 68 વિકેટ પણ લીધી હતી. આ સિવાય રાયન ટેન 2011 થી 2015 દરમિયાન IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ રમ્યો હતો. તે 2012 અને 2014માં KKRની ચેમ્પિયન ટીમનો ભાગ હતો.

આ પણ વાંચો: VIDEO: ઈરફાન પઠાણે તોડી તમામ હદો, મોટા ભાઈ યુસુફને પણ માન ન આપ્યું, ગુસ્સામાં કર્યું આવું કામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">