AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સૂર્યકુમાર યાદવ પર આરોપ લગાવવુ મોડેલને મોંઘુ પડ્યું ,ખુશી મુખર્જી પર ₹100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો

ભારતીય ટીમના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર વર્ષ 2025ના અંતમાં વિવાદોમાં રહેનારી મોડલ ખુશી મુખર્જીએ મોટા આરોપ લગાવ્યા હતા. તેમનું કહેવું હતુ કે, સ્ટાર ભારતીય ખેલાડી પહેલા તેને મેસેજ કરતો હતો. હવે મોડલ માનહાનિના કેસમાં ફસાય છે.

Breaking News : સૂર્યકુમાર યાદવ પર આરોપ લગાવવુ મોડેલને મોંઘુ પડ્યું ,ખુશી મુખર્જી પર ₹100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો
| Updated on: Jan 14, 2026 | 11:04 AM
Share

ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ થોડા સમય પહેલા મોડલ ખુશી મુખર્જીએ લગાવેલા આરોપથી ચર્ચામાં હતો. અભિનેત્રીએ કહ્યું કે, ક્રિકેટર તેને મેસેજ કરતો હતો.ભારતીય ટીમના કેપ્ટન પર મુખર્જીના આરોપો હવે તેમને મોંઘા પડ્યા છે. તેમની સામે 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે સૂર્યકુમાર યાદવે કોઈ જવાબ આપ્યો ન હતો પરંતુ હવે મોડલ મુશ્કેલીમાં મુકાય છે. તેના પર ક્રિકેટરના ચાહકે 100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો છે.

ખુશી મુખર્જી વિરુદ્ધ નોંધાયો માનહાનિનો કેસ

સૂર્યકુમાર યાદવ ભલે ખુશી મુખર્જીના આરોપ પર કોઈ જવાબ આપ્યો નથી પરંતુ તેના ચાહકોએ આના પર મોટું એક્શન લીધું છે. ખુશી વિરુદ્ધ ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં રહેનાર ફેઝાન અંસારીએ રિપોર્ટ મુજબ 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.અંસારીનું માનવું છે કે,ખુશીનું નિવેદન ખોટું અને સૂર્યકુમાર યાદવની છબીને નુકસાન પહોંચાડનારુ છે. રિપોર્ટ મુજબ ખુશી હવે આ મામલે માફી માંગી પૂર્ણ કરવા માંગે છે. પોતાના નિવેદન પછી ખુશીએ સ્પષ્ટતા કરી હતી. પરંતુ ફેઝાન આનાથી ખુશ નથી. પોતાની ફરિયાદમાં તેમણે ગાઝીપુરના એસપી ડો. ઈરાઝ રાજાને આ મોડલની ધરપકડ કરવાની માંગ કરી છે.

ટી20 વર્લ્ડકપ 2026ની તૈયારી કરી રહ્યો છે સૂર્યકુમાર યાદવ

ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં આઈસીસી ઈવેન્ટની તૈયારી કરી રહ્યો છે. હાલમાં સૂર્યકુમાર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો નથી. જેના કારણે તેના સ્થાનને લઈ ચાહકો મોટા સવાલો કરી રહ્યા છે. સૂર્યકુમાર યાદવ પોતાના ફોર્મને લઈ ચિંતત છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 21 જાન્યુઆરીથી શરુ થઈ રહેલી 5 મેચની ટી20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ મોટો સ્કોર બનાવી પોતાના ફોર્મમાં વાપસી કરવા માંગશે.

કોણ છે ખુશી મુખર્જી?

સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સાથે રિયાલિટી શો અને બોલ્ડ વેબ સીરિઝમાં કામ કરનારી ખુશી મુખર્જી માટે વિવાદ કોઈ મોટું કે ચોંકાવનારું નામ નથી. 24 નવેમ્બર 1996ના રોજ કોલકાતામાં જન્મેલી ખુશીએ 2013માં તમિલ ફિલ્મ અંજલ થુરાઈથી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તે ફિલ્મો જેમ કે, ડોંગા પ્રેમા અને હાર્ટ અટેકની સાથે હિન્દી ફિલ્મ શ્રૃંગારમાં પણ જોવા મળી હતી.પરંતુ તેને સૌથી મોટો બ્રેક ઈન્ડિયન ટેલિવિઝન અને રિયાલિટી શોથી મળ્યો છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
g clip-path="url(#clip0_868_265)">