AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : બે મેચ હાર્યા પછી પણ પાકિસ્તાની ખેલાડીની ‘અકડ’ તો જુઓ, ભારતને હરાવવાની આપી ધમકી

એશિયા કપ 2025માં સુપર 4 રાઉન્ડમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાને શ્રીલંકાને હરાવ્યું હતું અને હવે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ ભારતને ધમકી આપવાનું શરૂ કર્યું છે. જાણો ફાસ્ટ બોલરે શું કહ્યું.

IND vs PAK : બે મેચ હાર્યા પછી પણ પાકિસ્તાની ખેલાડીની 'અકડ' તો જુઓ, ભારતને હરાવવાની આપી ધમકી
India vs PakistanImage Credit source: PTI
| Updated on: Sep 24, 2025 | 7:09 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપમાં પાકિસ્તાનને બે વાર હરાવ્યું છે. પહેલીવાર ટીમ ઈન્ડિયાએ 7 વિકેટથી મેચ જીતી હતી અને બીજી વાર 6 વિકેટથી જીત મેળવી હતી, છતાં પાકિસ્તાનનો ઘમંડ ખતમ થયો નથી. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ બે મેચ હાર્યા પછી પણ ભારતને હરાવવાની ધમકી આપી છે.

આફ્રિદીએ ભારતને આપી ધમકી

શ્રીલંકા સામેની મેચ જીત્યા બાદ શાહીન આફ્રિદીએ કહ્યું કે તે એશિયા કપ ફાઈનલમાં ભારતીય ટીમને હરાવશે. પરંતુ મજાની વાત એ છે કે પાકિસ્તાન પોતે હજુ સુધી એશિયા કપ ફાઈનલમાં પહોંચ્યું નથી અને તેઓ ભારતને હરાવવાની ધમકી આપી રહ્યા છે.

ભારતને હરાવવાની કરી વાત

શાહીન આફ્રિદીએ શ્રીલંકા સામે સારું પ્રદર્શન કર્યું અને પછી તેણે ખરેખર આશ્ચર્યજનક નિવેદન આપ્યું. શાહીનએ કહ્યું,”ટીમ ઈન્ડિયા હજુ સુધી ફાઈનલમાં પહોંચી નથી. જો તેઓ પહોંચશે, તો અમે તેમને હરાવીશું. અમે ફાઈનલ અને એશિયા કપ જીતવા માટે અહીં આવ્યા છીએ. જે પણ ટીમ ફાઈનલમાં પહોંચે છે તેના માટે અમે તૈયાર છીએ. અમે તેમને હરાવીશું.”

સૂર્યાના નિવેદન પર આપ્યો જવાબ

શાહીને આ નિવેદન સૂર્યકુમાર યાદવના નિવેદનના જવાબમાં આપ્યું હતું, જેનાથી પાકિસ્તાની ચાહકો અને ખેલાડીઓ ગુસ્સે થયા છે. સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સ્પર્ધા નથી કારણ કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તાજેતરના વર્ષોમાં સતત મેચ હારતી જ રહી છે.

પાકિસ્તાન હજુ ફાનલમાં પહોંચ્યું નથી

પાકિસ્તાને એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં ભારત સામે એક મેચ હારી અને પછી શ્રીલંકાને હરાવ્યું. તેમની હજુ બાંગ્લાદેશ સામે એક મેચ બાકી છે. જો બાંગ્લાદેશ પાકિસ્તાનને હરાવે છે, તો પાકિસ્તાન એશિયા કપની ફાનલમાં પહોંચી શકશે નહીં.

ભારતનું ફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત

બીજી તરફ, ટીમ ન્ડિયાનું ફાનલમાં સ્થાન લગભગ નિશ્ચિત છે. જો તેઓ બાંગ્લાદેશને હરાવે છે, તો ફાનલમાં તેમનું સ્થાન નિશ્ચિત થઈ જશે. જો ભારત હારી જાય છે, તો પણ તેમની પાસે શ્રીલંકા સામે રમવાની તક રહેશે, જે જીતવાથી તેઓ ફાનલની ટિકિટ મેળવી શકશે.

આ પણ વાંચો: અભિષેક શર્માને ભારતની ODI ટીમમાં મળશે સ્થાન, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કરશે ડેબ્યૂ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">