
ઉત્તરાખંડમાં સ્થિત ગુરુદ્વારા સુધીનો 17 કિલોમીટરનો મુશ્કેલ માર્ગ હોવા છતાં, દર વર્ષે ભારત અને વિશ્વમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.તમે અમદાવાદથી ઋષિકેશ સુધી ટ્રેન, રેલવે અથવા રોડ માર્ગે દ્વારા જઈ શકો છો.

હેમકુંડ સાહિબના કપાટ ખોલવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. ઉત્તરાખંડ સરકાર અને ગુરુદ્વારા મેનેજમેન્ટે મળીને તારીખની જાહેરાત કરી હતી. આ વર્ષે, 25 મેના રોજ, હેમકુંડ સાહિબના કપાટ શીખ શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓ માટે ખોલવામાં આવશે.

તમને જણાવી દઈએ કે,83 હજાર 722 શ્રદ્ધાળુઓએ હેમકુંડ સાહિબના દર્શન કર્યા હતા. આ પહેલા વર્ષ 2023માં એક લાખ 77 હજાર 463 શ્રદ્ધાળુઓ હેમકુંડ સાહિબના દર્શન કર્યા હતા.