ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળામાંનો એક છે.આ મેળો દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ મહા વદ અગિયારસથી મહા વદ અમાસથી ભરાય છે. મોટી સંખ્યામાં સાધુ સંતોની સાથે ભક્તો મેળાની મુલાકાત લેતા હોય છે.
હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે.13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કુંભમાં 6 શાહી સ્નાન છે. પહેલું સ્નાન 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે હતુ અને છેલ્લું સ્નાન 26 ફેબ્રુઆરીએ શિવરાત્રીના દિવસે છે.
મેળામાં રાત્રે લોકસંગીત, રાસ-ગરબા અને ભજન-કીર્તનના કાર્યક્રમો પણ યોજવમાં છે. રવેડીમાં દિગમ્બર સાધુઓએ લાઠીદાવ, અંગકસરત તેમજ તલવારબાજી જેવા કરતબ રજૂ કરતા હોય છે.
ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા સાધુઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે. દર્શનને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્નક્ષેત્ર પણો ખોલવામાં આવે છે.
મહાશિરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે શિવ ભક્તો ધામધૂમથી શિવરાત્રીની તૈયારીઓ કરી રહ્યાં છે. જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
મહાશિવરાત્રીના દિવસે ભવનાથમાં ભક્તોનું કિડીયારુ ઉભરાય છે. દૂર દૂરથી લોકો ભવનાથ તળેટીમાં દર્શન કરવા આવે છે. આ સાથે અહિ આવતા લોકો મહાશિવરાત્રીના મેળાની પણ મજા માણતા હોય છે.
હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ તળેટી ગૂંજી ઉઠે છે. જૂનાગઢના ભવનાથમાં રવેડી બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિનો મહામેળો સંપન્ન થાય છે. રાત્રે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતોની પરંપરાગત રીતે રવેડી નીકળે છે.ગત્ત વર્ષે લગભગ 11 લાખ જેટલા લોકોએ મહાશિવરાત્રિનો મેળાનો આનંદ માણ્યો હતો.
Published On - 4:06 pm, Wed, 29 January 25