દરેક ક્ષેત્રે માનસિક તાણ અનુભવતાં લોકો વધી રહ્યા છે કેમકે લોકો હાલના સમયમાં શારીરિક સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી રહ્યા નથી.
વિધાર્થીઓ પોતાને સારી રીતે જાણીને માનસિક રીતે તંદુરસ્ત બની રહે એ હેતુથી એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા ઍન્ડ કૉમ્યુનિકેશન દ્વારા 'સેલ્ફ અવેરનેસ એન્ડ મેન્ટલ વેલ-બીઈંગ' પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
L.J યુનિવર્સિટી ખાતે યોજાયેલ સેમિનારમાં વડોદરાનાં સાયકોલોજીસ્ટ ડૉ. ધ્વનિ પટેલ ગેસ્ટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.
સેમિનાર દરમિયાન ડૉ. ધ્વનિ પટેલે વિદ્યાર્થીઓ પાસે માનસિક એકાગ્રતા માટે 3R (Relax, Refresh, Recharge) જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવી હતી.
આ સેમિનારનું આયોજન મીડિયા એન્ડ કૉમ્યૂનિકેશનનાં ડાયરેક્ટર ડૉ. દિવ્યા સોની દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ફેકલ્ટીઝ, મીડિયાનાં માસ્ટર અને બેચલર વિદ્યાર્થી સહિત યુનિવર્સિટીનાં 120 થી વધુ વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
Published On - 7:24 pm, Mon, 28 August 23