
મૌની અમાવસ્યા પર આવતા લાખો ભક્તોને કોઈ અસુવિધા ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 12 કિમીના વિસ્તારમાં વિકસિત તમામ 44 ઘાટ પર સ્નાન સુવિધાઓ પૂરી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. ઘાટ પર એસડીએમ, સીઓ, તહસીલદાર અને નાયબ તહસીલદારોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

સંગમ કિનારાના ઘાટો તેમજ ઐરાવત ઘાટ અને અરૈલ ઘાટ પર ADM અને SDM રેન્કના IAS અધિકારીઓ અને PCS અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજની આસપાસ આવેલા 10 જિલ્લાઓના ડીએમ અને એસપીને પણ તહેનાત કરવામાં આવ્યા છે.

પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર કુમાર માંધાડે પ્રયાગરાજ શહેરના લોકોને મૌની અમાવસ્યા સ્નાન ઉત્સવ નિમિત્તે ફોર વ્હીલરનો ઉપયોગ ના કરવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને, તેમણે પ્રયાગરાજના લોકોને અપીલ કરી કે તેઓ ફોર-વ્હીલરનો ઉપયોગ ના કરે અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી ના થાય તે માટે વહીવટીતંત્રને સહકાર આપે. ( તમામ ફોટો સૌજન્યઃ રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ- PTI )