AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર માટે 115 દેશોમાંથી મંગાવાયુ જળ, 2023 સુધીમાં દર્શન માટે ખોલવાની તૈયારી

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ફક્ત અયોધ્યાના લોકો માટે જ પુજનીય નથી પરંતુ આધુનિક સમયમાં દુનિયાભરના લાખો લોકો તેમની પુજા કરે છે.

રામ મંદિર માટે 115 દેશોમાંથી મંગાવાયુ જળ, 2023 સુધીમાં દર્શન માટે ખોલવાની તૈયારી
Water brought from 115 countries for Ram temple in Ayodhya
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 9:50 AM
Share

દિલ્લીના એક ખાનગી સંગઠને બુધવારે દાવો કર્યો છે કે તેમણે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે 115 દેશોમાંથી પાણી મંગાવ્યુ છે. બિન સરકારી સંગઠન દિલ્લી સ્ટડી સર્કલ ના અનુસાર ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કેનેડા, ચીન, કંબોડિયા, ક્યૂબા, ડીપીઆર કાંગો, ફિજી, ફ્રાંસ, જર્મની, ઇટલી, ઇન્ડોનેશિયા, આયરલેન્ડ, ઇઝરાયલ, જાપાન, કેન્યા, લાઇબેરિયા, મલેશિયા, મોરિશસ, મ્યામાં, મંગોલિયા, મોરક્કો, માલદીવ અને ન્યૂઝીલેન્ડથી જળ મંગાવવામાં આવ્યુ છે.

આ બિન સરકારી સંગઠનના પ્રમુખ અને દિલ્લી ભાજપના પૂર્વ વિધાયક વિજય જોલીએ જણાવ્યુ કે ભાજપના દિગ્ગ્જ નેતા લાલ કૃષ્ણ અડવાણી, વિશ્વ હિન્દુ પરિષદના દિવંગત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી તેમને આમ કરવાની પ્રેરણા મળી છે.

મોદીએ ગત વર્ષ 5 ઓગસ્ટના રોજ રામ મંદિરની આધારશિલા રાખી હતી. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, આવા સમયમાં કે જ્યારે લોકો કોવિડ 19 ના (Covid 19) કારણે એક દેશથી બીજા દેશમાં યાત્રા નથી કરી શક્તા તો આસ્થા અને વિશ્વાસના પોતાના ઐતિહાસિક મિશનમાં અમે સફળ થયા.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ફક્ત અયોધ્યાના લોકો માટે જ પુજનીય નથી પરંતુ આધુનિક સમયમાં દુનિયાભરના લાખો લોકો તેમની પુજા કરે છે. આ સંગઠનની યોજના આવતા મહિના સુધી આ જળને અયોધ્યા પહોંચાડવાનું છે.

આ પહેલા મોટો નિર્ણય લેતા શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય (Champat Rai) એ જણાવ્યુ હતુ કે, શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન 2023 પહેલા કરાવી દેવાશે.

ચંપત રાયે જણાવ્યુ કે આગળ શુ શુ કરવાનું છે. કયુ કામ કયા સમયે પુરુ થશે. તેના માટે જરૂરી વસ્તુઓ ક્યાંથી આવશે. આવી નાની નાની ઘણી બાબતો પર ચર્ચા થઇ છે. બેઠકમાં પહેલો વિચાર એ વાત પર થયો કે શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન 2023 સમાપ્ત થવા પહેલા કરાવી દેવામાં આવે. જ્યાં ગર્ભ ગૃહ બનાવાનું છે ત્યાં ભગવાનની સ્થાપના અને શ્રદ્ધાળુઓ માટે દર્શન શરૂ થઇ જશે.

2025 સુધીમાં વિક્સિત થશે 70 એકરનું પરિસર

મહાસચિવ ચંપત રાયે જણાવ્યુ કે, બેઠકમાં એ વાત પર પણ ચર્ચા થઇ છે કે મંદિર પરિસરની બહારનું જે બાકી અયોધ્યા છે તે મંદિરના નિર્માણની કોઇ પણ યોજનામાં સમસ્યાનો સામનો ન કરવો પડે. સમગ્ર પરિસરને ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવશે. સીવર અને વોટર ટ્રીટમેન્ટ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે. પાણીના બચાવ માટે 3 દિશાઓમાં રિટેનિંગ વોલ પણ લગાવવામાં આવશે. મહાસચિવ ચંપત રાયે એ પણ કહ્યુ કે, 2023 સુધીમાં અમે ભક્તો માટે દર્શન શરૂ કરી દેશું અને 2025 પૂર્ણ થતા થતા સંપૂર્ણ 70 એકર પરિસરનું નિર્માણ કાર્ય પતી જશે.

આ પણ વાંચો –

સર્જરી બાદ અભિષેકે તસ્વીર સાથે શેર કર્યો અમિતાભનો આ ફેમસ ડાયલોગ, જાણો શું કહ્યું અભિનેતાએ

g clip-path="url(#clip0_868_265)">