વિભાજનએ ભારતની આત્મા પર આંચકો હતો, આ દર્દ ભૂલી શકતા નથી : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan)ભુવનેશ્વરમાં ભારતના વિભાજન વિશે કહ્યું કે, આપણા લાખો ભાઈ-બહેનો નફરતના કારણે વિસ્થાપિત થયા હતા. આ સાથે જ તેમણે લોકોને દેશ માટે બલિદાન આપનાર બહાદુર સપૂતોના જીવનમાંથી પ્રેરણા લેવાની પણ અપીલ કરી હતી.
![વિભાજનએ ભારતની આત્મા પર આંચકો હતો, આ દર્દ ભૂલી શકતા નથી : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/Dharmendra-Pradhan.jpg?w=1280)
કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) ઓડિશાના ભુવનેશ્વરમાં સોમવારે ‘ભારતના ભાગલાની વાર્તા’ થીમ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાગલાએ ભારતની આત્મા પર એક એવો ફટકો હતો, જેનું દર્દ ક્યારેય ભૂલી શકાતું નથી. નફરત, તુષ્ટિકરણ અને વિભાજનની આગએ અસંખ્ય લોકોના જીવનનો નાશ કર્યો છે.
વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ એ તમામ લોકોના સંઘર્ષ અને બલિદાનને વંદન કરવાનો પ્રસંગ છે જેમણે વિભાજનમાં સર્વસ્વ ગુમાવ્યું હતું.
At the inauguration of exhibition on ‘Story of India’s Partition’ on the occasion of #PartitionHorrorsRemembranceDay at Bhubaneswar. https://t.co/NTPfETgmSp
— Dharmendra Pradhan (@dpradhanbjp) August 14, 2023
કેન્દ્રીય મંત્રી પ્રધાને કહ્યું કે, સંકુચિત માનસિકતા અને સ્વાર્થની રાજનીતિને કારણે લોકોએ પીડા સહન કરવી પડી અને દેશને તેની કિંમત ચૂકવવી પડી, વર્તમાન અને ભાવિ પેઢીને યાદ અપાવવા માટે, આજે ભુવનેશ્વરમાં ભાગલાની યાદમાં એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. વિભિષિકા.. પ્રદર્શન દ્વારા સામાજિક સમરસતા અને એકતાની ભાવના વધુ પ્રબળ બનશે.
આ પણ વાંચો : Independence Day 2023 : શું છે ભારતની આઝાદી સાથે જાપાનનું કનેક્શન ? વાઈસરોય 15 ઓગસ્ટને શા માટે માને છે શુભ?
કેન્દ્રીય મંત્રીએ લોકોને પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 14 ઓગસ્ટ, 1947ના રોજ ભારત અને પાકિસ્તાનના વિભાજન દરમિયાન નફરત અને હિંસાને કારણે લાખો ભાઈ-બહેનો વિસ્થાપિત થયા હતા અને બલિદાન આપવામાં આવ્યા હતા. તેના ફોટો અને ઘા હજુ પણ ઘણા લોકોને સતાવે છે. આ વિભિષિકાને ઉજવણીના રૂપમાં નહીં પરંતુ તે દરમિયાન બલિદાન આપનાર અને પૂર્વજોને યાદ કરવાનો સમય છે.
સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પરથી દેશને સંબોધન કર્યું અને ઘણી નવી યોજનાઓનો ઉલ્લેખ કરીને દેશની પ્રગતિની વાત કરી. આ સાથે જ કેટલીક નવી યોજનાઓ વિશે પણ વાત કરવામાં આવી હતી, જેમાં કૃષિને હાઈટેક બનાવવાથી લઈને મહિલાઓને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ થાય છે.