ઉતરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત, કેમ ડૂબી રહ્યાં છે બન્ને રાજ્યોના મોટા શહેર

આ દિવસોમાં પહાડો પર થઈ રહેલી તબાહીને કારણે સવાલ ઉઠી રહ્યો છે કે શું આ વિનાશ માટે અવૈજ્ઞાનિક રીતે થઈ રહેલું ઝડપી બાંધકામ જવાબદાર છે ? હકીકતમાં, 27 જુલાઈએ, હિમાચલના સોલનમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં NHAI અને તેની સાથે કામ કરનાર સંસ્થાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

ઉતરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત, કેમ ડૂબી રહ્યાં છે બન્ને રાજ્યોના મોટા શહેર
Rain Disaster in Uttarakhand and Himachal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 1:12 PM

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યાં છે. શિમલા જેવું જૂનું શહેર પણ પત્તાના મહેલની માફક તૂટી રહ્યાં છે. નદીઓનું પાણી જ્યાં જાય છે ત્યાં વસાહતોને બરબાદ કરે છે. દરેકના મનમાં એક પ્રશ્ન છે કે અચાનક એવું શું થઈ ગયું કે પર્વતો અને નદીઓ, મનુષ્યના દુશ્મન બની ગયા.

ઘણીવાર તમે જોયું હશે કે પહાડોમાં તિરાડ પડવાના અહેવાલો આવ્યા છે. ડુંગરાળ વિસ્તારોમાં ભૂસ્ખલન, ભારે વરસાદ અને અચાનક પૂરથી પાયમાલી સર્જાય છે. પરંતુ તેનું સાચું કારણ શું હોઈ શકે તે જાણવું ખૂબ જ જરૂરી છે. પ્રથમ અને મુખ્ય કારણ પર્યાવરણીય સમસ્યા છે. આ બધા માટે ગ્લોબલ વોર્મિંગ પણ જવાબદાર છે. આ બધા પર આબોહવા પરિવર્તનની પણ અસર પડે છે, જેનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે શું વધતી વસ્તી અને વધતા પ્રવાસીઓ પણ પર્વતોના વિનાશનું મુખ્ય કારણ છે. શું નબળી વ્યવસ્થાપન અને દ્રષ્ટિનો અભાવ પણ આ આફતો માટે જવાબદાર છે?

હિમાલયના પર્વતો ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલા છે

હિમાલય પર્વત જે દેશના દુશ્મનોને રોકે છે તે ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલો છે. ગ્રેટ હિમાલયન રેન્જ, લેસર હિમાલયન રેન્જ અને શિવાલિક રેન્જ, જે પશ્ચિમથી પૂર્વ તરફ લગભગ 2400 કિમીની લંબાઇમાં ફેલાયેલી છે. હિમાલય પર્વત સમગ્ર વિશ્વના એવા પર્વતોમાંનો એક માનવામાં આવે છે, કે, જે કાચો પર્વત છે. તેની માટી હજુ સુધી પથ્થરો પર મજબૂત થઈ નથી. આવી સ્થિતિમાં ઝડપી વિકાસ હિમાલય માટે દુશ્મનથી ઓછો નથી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પર્વતો ખોટી રીતે કાપવામાં આવે છે

આ પ્રશ્ન વારંવાર ઉઠે છે કે શું પર્વતો પર ઝડપી અવૈજ્ઞાનિક બાંધકામ તેના વિનાશ માટે જવાબદાર છે ? 27 જુલાઈના રોજ, હિમાચલના સોલનમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં NHAI અને તેના સહયોગીઓ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. શિમલાના પૂર્વ ડેપ્યુટી મેયરનો આરોપ છે કે પહાડોને ખોટી રીતે કાપવામાં આવી રહ્યા છે. બાંધકામમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી, આમાં ભૂસ્તર વિભાગની સલાહ લેવામાં આવી ન હતી અને તેના કારણે જાનમાલનું નુકસાન થાય છે.

મનાલીમાં વધતા હોટેલ-ગેસ્ટ હાઉસનો ગ્રાફ

  • 1980- 10
  • 1994- 300
  • 2009- 800
  • 2022- 2500

હિમાચલ પ્રદેશ માટે એલર્ટ

  • ઈસરોએ ગ્લેશિયર્સ અને સરોવરોનો અભ્યાસ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 935 ગ્લેશિયર્સ અને સરોવરો તૂટવાનો ભય છે, જેના કારણે ઉત્તરાખંડમાં થયેલ 2013 જેવી દુર્ઘટના થવાની સંભાવના છે.
  • બીજી તરફ જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેમાં 17,120 સ્થળોએ ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સિરમૌર 2559, ચંબા 2389, લાહૌલ સ્પીતિ 2295, કાંગડા 1779, શિમલા 1357, બિલાસપુર 446, ઉના 391, મંડી 1799 અને કિન્નોરમાં 1799 આવા સ્થળો છે.
  • હિમાચલમાં ખડક તુટી પડવાની ઘટનાઓ પણ વર્ષે-દર વર્ષે વધી રહી છે, 2020માં 16, 2021માં 100 અને 2022માં 117 ઘટનાઓ જોવા મળી છે.

પર્યાવરણવિદો શું કહે છે?

  • માર્ગ વિસ્તરણ
  • પર્વતો તોડી નાખવા
  • વૃક્ષો કાપવા
  • વરસાદથી પર્વત નબળો પડી રહ્યો છે
  • હાઇડ્રો પાવર પ્રોજેક્ટ
  • ટનલ બનાવવા માટે બ્લાસ્ટિંગ
  • ભારે મશીનરીનો ઉપયોગ

હિમાચલમાં આવો વિનાશ આ પહેલા જોવા મળ્યો ન હતો. આ વખતે કુદરતે એવો પાયમાલ સર્જ્યો છે કે 12માંથી 11 જિલ્લા ભૂસ્ખલન, પૂર અને વરસાદના કારણે ત્રસ્ત છે. ઘણી જગ્યાએ પર્વતો તૂટી પડ્યા છે, ભૂસ્ખલનનો તમામ કાટમાળ મુખ્ય રસ્તાઓ પર પડ્યો છે, ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે અને લોકો ફસાઈ ગયા છે. પ્રશાસન, NDRF રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. પરંતુ વિનાશ એટલો મોટો છે કે રાહત કાર્ય પૂર્ણ કરવામાં લાંબો સમય લાગી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">